SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૧૧ ] કાન્ફરન્સની આધુનિક સ્થિતિનુ દિગ્દર્શન, whimsicalities) બીતે, મગજના વિચિત્ર કાંટાને ( whims and દાબી દેવા જોઇએ. સમસ્ત જૈન કામના ઉત્કષકારક કાર્યમાં ભાગ લેતો વખતે દરેક ધમ નિષ્ટ શ્રાવકવયે શુધ્ધ હૃદયથી, શાંતચિતથી, અન્ય સ્વધર્માં બંધુએની કામળ લાગણીને માન આપીને પુર ઉત્સાહથી કામ લેવાની જરૂરછે. [ ૨૯ ઉપર જણાવ્યા મુજબ સુલેહ શાંતિથી કામ લેવા ઉપરાંત અન્ય કેટલીએક બાબતે તે પણ વિચાર કરવાના રહે છે. કેન્ફરન્સે અત્યાર સુધીમાં હાથ ધરેલ કાર્યક્રમમાં અસાધારણ સંયોગો ઉભા થવા પામે તે સિવાય ક ંઇ સુધારા વધારા કરવા જેવું હાલ જણાતું નથી; પરંતુ અન્ય બાબતે તરફ ધ્યાન આપવાની જરૂરછે. કાન્ફરન્સના મેળાવડા ખતે સ્થાનિક જૈન પ્રજાને ખર્ચના બેજો ઘણા ભારે પડેછે અને તે ઉપરાંત પરદેશી હજારે ડેલીગેટાની ચેગ્ય સરભરા ઉડાવવાનુ કામ તેથી પણ વધારે મુશ્કેલથઇ પડેછે. પ્રેક્ષકોને માટે પણ યોગ્ય ગેડવણ કરવાની જરૂર રહેછે વલી હજારો ડેલીગેટા અને પેક્ષકાના મહાન મેળાવડાનુ કામ શાન્તિથી પાર પાડવુ, કાન્ફરન્સ પ્રસ ંગે કરવામાં આવતા અન્ય અનેક મેળાવડ એ.ની સુવ્યવસ્થા રાખવી, આગેવાન ગ્રહસ્થેા માટે અનુકુળ સગવડ કરવી વગેરે અનેક દુર્ધટ કાર્યાં સ્થાનિક જૈન પ્રજાના આગેવાનની મગજશકિત તેમજ શરીર શકિતને એટલા બધાં નાહિમત ભર્યાં થઇ પડે છે કે કાન્ફરન્સને આમંત્રણ કરવા માટે મ્હાર આવવા વ્હેલાં તેઓને ધણેાજ વિચાર કરવા પડે છે. પુરતા ખર્ચા સવાલ એટલા બધા મહત્વના નથી કારણ કે માત્ર એકજ ગ્રહસ્થ તેટલા ના ખાજો ઉપાડી લેવાને બ્હાર આવી શકે છે, પરંતુ અન્ય કાર્યાંની વ્યવસ્થાને માટે મુશ્કેલી ઉભી થાય છે. રીસેપ્શન કમીટીને અંગે જુદા જુદા હા એની વ્હેંચણી વખતે ખેંચાખેંચી થતાં માનાપમાનની કમળ લાગણી ઉશ્કેરાઇ જવા જેવુ થાય છે. અને શરૂઆતથીજ સુસ ંપનુ મુળ રાપાવવાને બદલે કુસ ંપનુંમીજ વવાય છે. નહિ જેવી બાબતામાં મતભેદ પડતાં કટાકટીને પ્રસંગ આવી પડે છે. આમત્રણ કરવા માટે મ્હાર આવેલા આગેવાનાને ઘણીજ નમ્રતાથી, શાન્તિથી, અને કેાઇ પ્રસ ંગે અન્ય ગ્રહસ્થાની ખુશામત કરીને પરવશીથી કામ પાર પાડવા માટે પ્રયાસ કરવા પડે છે. શાન્તમાં શાન્ત માણસ પણ મીજાજ ખાઇ ખેસે તેવા આક્ષેપે તેમને શહન કરવા પડે છે. અનેક માણસા ઘેડે ચડીને આવે છે તેમને શાન્તિથી મારવા પડે છે, કોઇ પ્રસંગે માનભંગની દરકાર રાખવાનું પણ બની શકતુ નથી. કારન્સના મેળાવડા પ્રસ ંગે મ્હોટા વિરાધના જન્મ મળે તેવા સવાલેની ચર્ચાથી રખેને તેમને ત્યાંની કાન્ફરન્સ ભાંગી પડે અને તેથી તેમને માથે અપજશને ટોપલે! કાયમને માટે રહે તેમ હીતા રહે છે. અન્ય કાઇ મેાટા શહેરના આગેવાનને ત્યારપછીની કાન્ફરન્સની બેઠક માટે આમંત્રણ કરવા બ્હાર લાવવાની ભાંજગડમાં ઉતરવુ પડે છે. આવી અનેક પ્રકારની મુશ્કેલીઓને અંત લાવવા માટે અધારણમાં કઇંક આવકારદાયક ફેરફાર કરવાની જરૂર જણાય છે.
SR No.536507
Book TitleJain Shwetambar Conference Herald 1911 Book 07
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1911
Total Pages412
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy