SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ 1 જૈન કોન્ફરન્સ હેરડ. 1 અકસ્મર જુનાગઢના નામદાર નવાબ અને જેને વચ્ચે એક મકાનની માલકી વીષે પડેલો વાંધો. કાઠીયાવાડમાં આવેલા જુનાગઢ શહેરની તદન બાજુમાં જ આવી રહેલ ગીરનારને ઇતિહાસીક અગત ધરાવનાર પર્વત જેને વચ્ચે ઘણુ કાળથી પવીત્ર માનવામાં આવે છે, અને જે ડાં સ્થળેને જેને પિતાનાં પરમ પવિત્ર તીર્થો તરીકે માની તેમની જાત્રાએ જવામાં મોટું મહાત્મ્ય માને છે, તેઓમાંના એક તરીકે આ શ્રી ગીરનારજીને પણ માનવામાં આવે છે. આ પર્વત સાત જુદી જુદી અને એક બીજાથી અલગ પડી ગયેલી ટુંકોમાં વેહેચાઈ ગયો છે, અને તેઓમાંની પાંચ ઉપર જવા માટે મોટા ખર્ચે પગથીયાં બાંધવામાં આવ્યાં છે. તેઓમાંની પહેલી ટુંક ઉપર માત્ર જૈનોનાં જ દેરાસરે આવી રહેલાં છે, જેમને ફરતી એક દીવાલ ચણી લીધેલી હોવાથી તેને ઘણુઓ કોટ તરીકે ઓળખે છે. આ ટુંક ઘણું રમણીય અને સાથી વધારે જોવા લાયક માનવામાં આવે છે, કારણકે તે ઉપરનાં મંદીરે ઘણું ભવ્ય, પ્રાચીન સમયની શીલ્પકળાને ભાસ આપનારાં અને જનોમાં ધાર્મીક ભાવ ના ઉત્પન્ન કરનારાં છે. આ કોટની અંદર દાખલ થવા માટે જે દરવાજે બાંધવામાં આવ્યો છે તેમાં દાખલ થતા જ જનોનાં કારખાના કે કેઠી આવી રહેલી છે અને ત્યાં જૈનેના મુનીમ વગેરે આસામીઓ દેરાસરેને વહીવટ ચલાવવા માટે રહે છે. કારખાનાની બાજુમાં એક મકાન મુસાફરોને ઉતરવા માટેનું છે, જેમાં જેનો સીવાયના લોકોને પણ ઉતરવા દેવામાં આવે છે કોટની અંદર જવા માગનારાઓને જૈન ધર્મની લાગણીઓ સચવાય તેવી રીતે વર્તવાને આગ્રહ કરવામાં આવે છે, અને કોઈક અપવાદ સીવાય તેમજ વર્તવામાં આવે છે. આ કીલ્લા કે કોટની અંદર આવેલા એક મકાનની માલિકીના સંબંધમાં નામદાર નવાબ સાહેબ અને જેને વચ્ચે કેટલો સમય થયે એક તકરાર ઉભી થઈ છે. તે મકાન કીલ્લાની અંદર આવેલું છે અને જઈને ના કહેવા મુજબ આસરે સવાસો વરસ ઉપર જઈનેએ તે બંધાવ્યું હતું, અને તે પછી વખતો વખત તેનું સમારકામ પણ જૈનએ પિતેજ કરાવ્યું હતું, જે દરેકના ખર્ચનું નામું જેના કારખાનાના ચેપડાઓમાં છે. તે ઉપરાંત તેની આસપાસ કુંડ વગેરે બાંધકામ પણ પિતે કરાવેલાં હોવાની દલીલ તેઓએ રજુ કરી છે. બીજા હાથ ઉપર રાજ્યના અધીકારીઓ તરફથી એવું જણાવવામાં આવ્યું છે કે તે મકાન રાહખેંગારના મહેલની સામે આવેલી રાહખેંગારની ઘેાડારના નામે ઓળખાય છે, અને લાંબી મુદતથી તે મકાન રાજ્યના કબજા ભેગવટામાં છે. આ રીતે માલેકીને વાંધો ઉઠવાનું કારણ તે મકાન રાજ્યના અધીકારીઓ તરફથી તેને તેડાવી નાંખવાની કરવામાં આવેલી શરૂઆત વેળા ઉભું થયું હતું. મકાન તોડી પાડવાનું કારણ અધીકારીઓ તરફથી એવું જણાવવામાં આવે છે કે તેને અમુક ભાગ તદન ખળભળી ગયેલ હોવાથી તેમાં રહેતા સરકારી માણસને અને જાનવને જફા પહોંચે તેવી સ્થીતી જણાતાં મકાનને પાડી નાંખવાની જરૂર પડી છે. વાંધાની ઉત્પત્તી થયા પછી તરતમાં જ તેને પાડી નાખવાનું હતું અને તેમ કરતાં તેઓને અટકાવવા માટે જે કાંઈ ઇલાજ જેને સુ તે ત્યાંની રાજ્યપ્રકરણી અદાલતને અરજ કરી આ
SR No.536505
Book TitleJain Shwetambar Conference Herald 1909 Book 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1909
Total Pages438
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy