SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન શિલાલેખની ઉપયોગિતા. [ ૨૪૩ આ લેખમાં ડે. કલીટે શોધેલા એક શિલાલેખ ઉપરથી જણવામાં આવતી બિના રજુ કરું છું. સંમતિ, કુમારપાળ, વનરાજ, વગેરે જૈન રાજાઓ હતા, તેની તે ઈતિહાસ ગવાહી પુરે છે. શ્રી બખભટરિએ ગ્વાલિયરના આગ્ર રાજાને (વિ. સં. નવમે સેકે) જેના ર્યાની વાત ગુજરાતના ઇતિહાસ, તથા પ્રબંધ ચિંતામણિ, પ્રબંધ કોશ આદિથી આપણે જાણિયે છિએ. તે સિકાને રાઠોડ રાજા અમેઘવર્ષ પણ જન હતો એ બિના પણ આપણું જાણીયે છિએ. પણ વિ. સં. બારમા સૈકાના અંતમાં અને તેરમાની શરૂઆતમાં મરૂદેશના મેદપાટમાં આલ્હણદેવ જેન રાજા હતો એ ખબર તો આપણને નવી લાગશે. પ્રસ્તુત શિલાલેખથી આપણને સમજાય છે, કે. એ જૈન રાજા હતા. ડો. ફલોટે એ શિલાલેખ એક ફેરાફ મરહુમ મી. હરિલાલ હર્ષદરાય ધ્રુવને આપ્યો હતો. તે ઉપરથી તેણે નિબંધરૂપે એક લેખ સને ૧૮૮૪ ના માર્ચ માસમાં રિયલ એશ્યાટીક સોસાઈટીની મુંબઇની શાખામાં વાંચ્યું હતું. આ શિલાલેખ વિ. સં. ૧૨૧૮ ની મિતિને છે. શ્રી નાડેલમાં આવેલા સાદરેકગચ્છના શ્રી મહાવીર પ્રભુના મંદિરમાં પૂજા સામગ્રી માટે . બક્ષીસ આપ્યાની આમાં વિગત છે. આહણદેવ રાજા મેદપાટમાં છે, સાધુ (કે જેની પ્રેરણાથી આ બક્ષીશ મળી હેય), તે શ્રી રામચંદ્ર (હેમચંદ્રાચાર્યના શિષ્ય ?) છે. આ બધી વિગત એ લેખમાં છે. શિલાલેખ આ સરળ ગધ-પધયુકત સંસ્કૃતમાં છે, પણ તે બહુ લાંબો છે; એટલે એ નહિં. આપતાં એને ઉપયુકત સાર આપે છે. પ્રથમ શરૂઆતમાં શ્રી સર્વને કે પૂર્વક નમસ્કાર કરી ચરમતીર્થકરની માલિની વૃતમાં કલ્યાણની યાચનાપૂર્વક સ્તુતિ કરી છે. ત્યારે પછી ગધમાં રાજાની વંશાવલી છે; ત્યાર પછી બે સ્ત્રગ્ધરાવૃત્તમાં સંસારની અસારતાનું નિરૂ પણ છે; અને એ અસારતા જોઈ સારરૂપ શું કર્તવ્ય છે એને બોધ છે; ત્યાર પછી રાજા આહણદેવ ઉપરોકત મંદિરને ઉપરોક્ત બક્ષીસને લેખ લખે છે, તે પ્રમાણે ચાલવાને પિતાને વંશજ તથા બીજા ગાદિયે આવનારાને વિનવે છે; છેવટે મંત્રી આદિનાં નામ આપી પિતાની સહી રૂ૫ નૈગમ વાકય મુકે છે. મિતિ વિ. સં. ૧૨૧૮ ની છે. પિતાની વંશાવલીને સાર નીચે મુજબ છે – ૧ ચાહમાન (ચહુઆણ) વંશને મૂળ સ્થાપક લક્ષ્મણદેવ (વિ. સં. ૧૦૨૪) , ૨ લહિયે ૪ વિગ્રહપાળ ૩ બલિરાજ : - ૬ અણહિલ ' : ૭ બાલપ્રસાદ . .૮ જેરાજ = + ૮ પૃથ્વપાલ ૧૦ જેલ ૧૧ શરાજ ૧૨ આહણદેવ
SR No.536505
Book TitleJain Shwetambar Conference Herald 1909 Book 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1909
Total Pages438
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy