SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦૯ ] પાંજરાંપાળની હાલહવાલ સ્થિતિ. પાંજરાપેાળાની હાલહવાલ સ્થિતિ. ===== તેમાં કરવા જોઇતા સુધારા લેખક માતીચંદ્ર કુરજી ઝવેરી જી. બી. વી. સી. પાંજરાપોળાની સ્થિતિ દિન પ્રતિદિન બગડતી જાય છે. હવે વખત એવા કે તેમાં એકદમ સુધારા કરવાની જરૂર છે અને જો તેમ કરવામાં નહિ સંસ્થા ભવિષ્યમાં પડી ભ.ગશે. ( ૨૩૯ આવ્યા છે આવે તે આ પહેલાં તે પાંજરાપાળ એ શબ્દના અર્થ હાલમાં ધણા બહોળા થઇ ગયા છે અને તેમાં ફેરફાર કરવાની જરૂર છે. પાંજરાપેાળ” એ “પાંગળાંપેાળ” એ શબ્દને અપભ્રંશ છે એ દરેક જીવદયાના હિમાયતીએ ભુલી જવું ન જોઇએ અને તેથી કરીને તેમાં લુલાં-લંગડાં વૃદ્ધુ-અશક્ત-અને માંદા જનાવરાનેજ તેમજ ઘણીજ નાની :ઉમરના મા વગરના બકરાં વગેરેના ખચાંનેજ રાખવા જોઇએ. જંગલમાં હરી ફરી શકે તેવા જંગલી પશુઓ અને ઉડી શકે તેવા પક્ષીઓને કાંઇ પણ કારણ વગર પાંજરાપાળમાં જીંદગી પર્યંત કેદ કરી રાખવાથી પાંજરાપાળ નકામા ખર્ચના ખાડામાં ઉતરે છે એટલુંજ નહિ પણ તેવા પશુ અને પક્ષીઓપર એક જાતનું ધાતકીપણુ ગુજારેલુ કહેવાશે. દૈવ ઇચ્છાથી પાંજરાપોળમાં આવેલા માંદા જનાવરા સારા થાય અને કામ કરી શકે તેવી સ્થિતિમાં આવે કે તરતજ કાઈ હિંદુ ગૃહસ્થને વેચાતા યા બક્ષીસ આપી દેવામાં હું કાઇ પણ રીતે ખાટું ગણુતા નથી; પરંતુ તેમ કરતાં પહેલાં તે ગૃહસ્થ પાસેથી કબુલાત લેવી કે તે જનાવર માંદુ થાય અથવા કામ કરવાને અશક્ત જણાય ત્યારે બીજા કાઇને વેચાતું ન આપતાં પાછુ પાંજરાપેાળમાંજ મેાકલાવવું જોઇએ. પાજરાપાળને બની શકે તેı self suporting body' “પેાતાની મેળે પેાતાનુ ખર્ચે પેદા કરી શકે તેવી સંસ્થા” બનાવવાની જરૂર છે અને આ બાબતમાં જુદા જુદા માણુસાએ જુદી જુદી સ્ક્રીમેા રજુ કરી છે. પાંજરાપેાળમાં રહેતા કામ કરવા લાયકના જનાવરાને જીવદયાના હેતુ ધ્યાનમાં રાખી તેમનેલાયકનું કાંઈ પણ કામ આપી પાંજરાપાળની ઉપજ વધારવાની યેાજનાપર પણ પાંજરાપાલ વહીવટદારાએ ખાસ ધ્યાન આપવાની જરૂર છે. પાંજરાપેાળમાં આવતાં માંદા જનાવરાની દવાદારૂ અને મલમપટા તરફ ઘણુંજ થોડું ધ્યાન આપવામાં આવે છે એ ધણા ખેદની વાત છે. ગુજરાત અને કાઠીઆવાડમાં સારી સ્થિતિની સંખ્યાબંધ પાજરાપોળેા છે પણ તેમાં આ કે દસથી વધારે જગ્યાએ પશુવૈદને માટે કાંઇ પણ ગાઠવણુ કરેલી હાય તે મારા જાણવામાં આવેલ નથી. માંદા અને અશક્ત જનાવરાને ફક્ત પાંજરાપાળમાં લાવ્યા બાદ મહેનત લઇ દવાદારૂ અને માવજત કરવામાં જીવદયાના ખરા હેતુ સમાયેલા છે એ વાંચનારે ભુલી જવું ન જોઇએ.
SR No.536505
Book TitleJain Shwetambar Conference Herald 1909 Book 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1909
Total Pages438
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy