SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦૮ ] ખંભાળીયા પાંજરાપેળ [ ૨૩૭ ખંભાળીઆ પાંજરાપોળ, - www . અમારા પાંજરાપોળ ઇન્સ્પેકટર મીટ મેતીચંદ કુરજીએ તા. ૧-૭-૦૮ ના રોજ આ પાંજરાપોળ તપાસી. આ પાંજરાપોળ ત્યાંના ઉદાર ગૃહસ્થ ઠ. હરજીવનદાસ નરેતમદાસના ફંડથી ચાલે છે. તેમણે હજારો રૂપીઆ ખચીને પાકા પાયા ઉપર મોટું મકાન બંધાવી તેને નિભાવ માટે એક ટ્રસ્ટ ડીડ કરી લગભગ ૭૦ હજાર રૂપિઆની પ્રોમીસરી નેટ એક કમીટીને સ્વાધીને કરી છે. તેના વ્યાજમાંથી પાંજરાપોળનું ખર્ચ ચાલે છે. તે ઉપરાંત મુંબઈની જામ મીલ તરફથી પણ મોટી મદદ મળે છે. લકલ ઉપજ ઘણુંજ ડી છે. આ પાંજરાપોળની સ્થિતિ ઘણીજ સારી છે. આ પાંજરાપોળમાં મેટાં જાનવરે રાખવામાં આવે છે પણ નાનાં જાનવરે નાનાં બકરાં કુતરાંબિલાડા વિગેરે) રાખવામાં આવતાં નથી તે રાખવામાં આવે તે આ પાંજરાપોળ ઉત્તમ ગણાય. . આ પાંજરાપોળના મુનીમ ખીમજી ત્રીકમજી ઘણુ લાયક માણસ જણાયા છે. જૈન ભાઈઓ તરફથી એક જુદી નામનીજ પાંજરાપોળ ચલાવવામાં આવે છે. તેમાં નાના છોને રાખવામાં આવે છે. જિનની વસ્તી બહુ થોડી હેવાથી વધારે ખર્ચ પોસાય તેમ નથી, ' અહીં ગાયો માટે એક જુદી ગેરક્ષક મંડળી છે. આ સંસ્થાને દેશાવરમાંથી ઘણી સારી મદદ મળે છે. આ ખાતા તરફથી વખતો વખત ગામની ગાયને નીરણ નાંખવામાં આવે છે અને કસાઈખાનેથી ગાયોને છોડવી પાંજરાપોળમાં મોકલવામાં આવે છે. ' સલાયા–પાંજરાપોળ તપાસી તા. ૩-૭-૦૮ આ પાંજરાપોળ નવી બંધાવેલી છે પણ તેમાં ચોમાસામાં અને ઉનાળામાં જનાવરને રહેવા માટે અડાળીઓ નથી, તે ઉપર પાંજરાપોળ સેક્રેટરીનું ધ્યાન ખેંચવામાં આવે છે. આ પાંજરાપોળમાં વાર્ષિક ૪૦૦ જનાવરોની સરાસરી આવક છે, પણ તે સઘળાં જનાવરે કરાંચી પાંજરાપોળ તરફથી અહીં મોકલવામાં આવે છે. અહીંના સ્થાનિક જનાવરોની આવક બહુ થડી છે. મકાન દરીઆ કિનારા ઉપર હોવાથી જનાવરેની તંદુરસ્તી માટે બહુ :અનુકૂળ છે. પાંજરાપોળમાં આવ્યા પછી જનાવરે સાજ અને કામ કરવા લાયક થાય તેને હિંદુ ગૃહ- .' ને વેચાતાં આપવામાં આવે છે. એવી સરતે કે તે જનાવર પાછું જ્યારે માંદુ થાય ત્યારે પાછું પાંજરાપોળમાં મોકલવું. બીજા કોઈને વેચાતું આપવું નહીં. આવી રીતના વેચાણથી આ પાંજરાપોળને ગઈ સાલમાં ૫૦૮ જનાવરની રૂ. ૩૨૧૩-૧૪-૦ ની આવક થઈ હતી. આ પાંજરાપોળને વેપાર ઉપર લાગો નહીં હોવાથી ઉપજ ઘણી થોડી છે. આ પાંજરાપિળને ત્યાંના ઠ. કલ્યાણજી ભાણજીની ઘણીજ મદદ છે. તેઓ મેટા વેપારી છે અને તેમની દેશાવરમાં ઘણું પેઢીઓ હેવાથી તેને ધર્માદે આ પાંજરાપોળને આપવામાં આવે છે. તેમજ આડતીઆ પાસેથી પણ અપાવે છે. આ પાંજરાપોળ તેમણેજ સંવત ૧૮૫૮ માં ખેલેલી છે. આ સંસ્થાને વાર્ષિક ઉપજ રૂ. ૩૦૦૦ થી ૩૨૦૦ લગીની છે અને ખર્ચ પણ તેટલું જ છે. જનાવરોની સારવાર ઘણી સારી રીતે કરવામાં આવે છે. મુનીમ પણ લાયક છે - અને હિસાબ ચેખે જણાય છે.
SR No.536505
Book TitleJain Shwetambar Conference Herald 1909 Book 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1909
Total Pages438
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy