________________
૧૮૦૮]
'
' ઉપદેશક પ્રવાસ. ' '
[૧૩૩
કરન્સ ભાનાધિકારી ઉપદેશક શા દલીચંદ મગનલાલના સુપ્રયાસથી અનડીઆ ગામના મુખી તથા મહાજને મળી ઠરાવ કર્યો કે કંઈપણ માણસ કોઈ દિવસ પશવધ કરે નહીં, અને તેમ કરતાં જોવામાં આવે તે તેને ન્યાત બહાર અથવા કોન્ફરન્સની જીવદયા મીઠી ને ઠરાવ કરે તે ગુહા આપવા બંધાઈએ છીએ એવી મતલબનો દસ્તાવેજ લખાવ્યા છે. અમે આ એનરરી ઉપદેશકના સદુપયેગ માટે તેને ધન્યવાદ આપીએ છીએ.
કોન્ફરન્સના માનાધિકારી ઉપદેશક મહેતા મોતીચંદ પાનાચંદના હાલારમાં પ્રયાસ દરમિયાન કરેલા ઠરાવ નીચે પ્રમાણે –
ડબાસંગ-તા. ૭-૩-૦૯ કેળવણીથી થતા ફાયદા ઉપર ભાષણ આપવામાં આવ્યું તે ઉપરથી શેઠ વીરપાળ હીરાએ વિદ્યાર્થીઓ વધારવા તથા તેમને ઉત્તેજન આપવા કબુલ કર્યું છે.
દાંતા–તા. ૨૪-૩-૦૯ ધાર્મિક શિક્ષણની જરૂર ઉપર ભાષણ આપતાં ઉપાશ્રય તથા ઘર દેરાસર નહીં હોવાથી તે કરવા તરતમાં ટીપ શરૂ કરી. તથા જગ્યા લેવાનું છે.
નવા ગામ–તા. ર૬-૩-૦૮ મુનિ મહારાજ મણિવિજયજીના પ્રમુખપણા નીચે ” સંપ તથા આપણો આચાર વિચાર ” એ વિષય ઉપર ભાષણ આપવામાં આવ્યું. મહારાજ શ્રીએ “આપણે ધર્મ શું” એ વિષય ઉપર વ્યાખ્યાન આપ્યું હતું.
, પડાણા-તા. ૨૮-૩-૦૮ સભા ભરવામાં આવી અને જીવદયા એ વિષય ઉપર ભાષણ આપવામાં આવ્યું હતું.
* મેવાડમાં માનાધિકારી ઉપદેશક ચાંદમલ નાગરીને પ્રવાસ
છેટી સાદડી- છ મહિના લગી દર અઠવાડિયે કોન્ફરન્સના ઠરાવો સંબંધી ભાષણે આપતાં નીચે પ્રમાણે સુધારા કરવા ઠરાવ થયાઃ
૧ શુભ પ્રસંગે ગણિકા બેલાવવી નહી.
૨ દારૂખાનું ફેડવું નહી કે ખરીદવું નહીં. - ૩ ૫૦ વર્ષની ઉપરનાનાં લગ્ન કરવાં નહીં, તેમ છોકરાની ઉમર ૧૩ વર્ષ અને દીકરીની ઉમર ૧૧ વર્ષ પહેલાં લગ્ન કરવાં નહીં.
૪ કચકડાની ચીજો. તથા પીછાંવાળી ચીજો વાપરવી નહીં.
૫ હેળીમાં અપશબ્દો બોલવા નહીં. - હલકી વર્ણનાની ચલમ લેવી નહીં, તેમ ચલમ પીતાં શીખવું નહીં.
૭ પર્યુષણમાં આઠ દિવસ બહાર ગામ જવું નહીં. ૮ પરદેશી ખાંડ વાપરવી નહીં, બનારશી ખાંડ વાપરવી. ૮ હાથી દાંતના ચુડા હવે વાપરવા નહીં. તેમ નવા મંગાવવા નહીં.
૧૦ પાઠશાળમાં છોકરા, છોકરીઓ તેમજ સ્ત્રીઓને નિયમસર બે કલાક ભણવા મેકલવાં..
૧૧ શુભખાતામાં દર મહીને દરેક માણસે ૧ પૈસે આપવો.