SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨] ધર્મ નીતિની કેળવણી. [માર્ચ. સજકીય સવલમાં ભાગ નહિ લેવા દેવાની ગોઠવણ સુધારામાં આગળ વધેલા સર્વે દેશમાં અસ્વાભાવિક તથા વિશેષ નુકસાનકારક માનવામાં આવે છે. એક નાગરિક તરીકે પિતાની ફરજે શું છે તે સંબંધી કેળવણી વિદ્યાર્થિને અવશ્ય આપવી ઘટે છે. પશ્ચિમાત્ય કેળવણી, તમને ઈષ્ટ લાગે કે ન લાગે, પણ રાજકીય વિષય સાથે એ સંબંધ ધરાવે છે કે જે છૂટે પાડી શકાય તેમ નથી. નામદાર વાઈસ-ચૅસેલરના શબ્દોમાં કહીએ તે “The main defect of modern education is that we live in an age when we are dominated by politics, political ideals, and political methods." આજને જમાને રાજકીય મહત્વકાંક્ષાઓને છે, અને કેળવણી અવશ્ય છે. શકાળને અનુસરતી હોવી જોઈએ. + + + + ઉપરના બન્ને વિષયેના સંબંધમાં “શિક્ષણના ઇતિહાસના અંતિમ ભાગમાં દર્શાવેલા વિચારો બહુ મનન કરવા ગ્ય હેઈ અત્રે ઉતારીએ છીએ. આપણામાં ઘેડે ઘણે ધર્મ હતું તે ઘણું શતકથી અદ્રશ્ય થયે છે; અને નવીન ધર્મપ્રચારની પ્રવૃતિમાં શિક્ષણની મદદ શિક્ષણના ઈતિહા. વગર કશું થઈ શકે તેમ નથી. આપણું રાજ્ય ગયું છે; સકારના વિચારે. અને જે રાજ્ય આવ્યું છે, તે એટલું બધું સારું છે, કે આપણને ખેદને બદલે સંતોષ થાય છે. પણ બ્રિટિશ શ હેનશાહતને આપણી મદદની થેડીજ જરૂર પડે છે. ઉચ્ચતર પ્રકારની રાજ કીય સેવા બજાવવા ગ્ય કરવાને પણ બાળકને ઉચ્ચતર શિક્ષણ આપવા સિવાય બીજે રસ્તે રહ્યા નથી. આ પ્રમાણે ધર્મ અને રાજ્યના મંદિરનાં દ્વારા આપણે માટે પ્રાયશઃ દેવાયેલાં છે. દેશવાત્સલ્યની જે ઉમીઓ હાલ કઈ કઈ સ્થળે ઉછળતી દેખાય છે, તેમને ગૃહીત અને ઉપયુકત કરવાને શિક્ષણ સિવાય બીજું કઈ પાત્ર અમારી દષ્ટિએ તે દેખાતું નથી. લુથર કહે છે તે ખરૂં છે, કે ઘડા દાંડેને સુધારી શકાય તેમ નથી. લાંબી મુદતે પણ ભવ્ય પરિણામ બતાવે તેવી જનાઓ અજમાવવાનાં ક્ષેત્ર જેવા જતાં હાલતે બાળકેજ દેખાય છે. તેમના ઉપર શહેનશાહતને નહીં પણ આપણે પરિપૂર્ણ અધિકાર છે, તેમનાં હદયમાં આપણાથી ધાર્મિક અને રાજકીય ઉ તિની મહાકાંક્ષાઓનાં મૂળ નાખી શકાય તેમ છે; આપણે જવાના છીએ, પણ તેઓ અથવા તેમનાં બાળક રહેવાનાં છે. ત્યારે આપણાથી શું ન બને? ધર્મ પ્રચારકે, તમે તમારા નવીન ધમત્સાહ અને ધર્મગ્રહને, રાજપુરૂષે, તમે તમારી રાજકીય આકાંક્ષાઓને, દેશભકતે, તમે તમારી દેશવાત્સલ્યની વૃતિને, સુધારકે, તમે તમારા સાંસારિક ઉન્નતિના વિચારને, અને બધા ઉત્કૃષ્ટ જીવનના ઉપદેશકે, તમે તમારા ઉત્કૃષ્ટ જીવનના ઉપદેશને તમારાં બાળકોપર ઉપયોગ કરે. * શ્રી શયાળ જ્ઞાન મંજુષા–જનાર, મણિશંકર રત્નજી ભટ્ટ
SR No.536505
Book TitleJain Shwetambar Conference Herald 1909 Book 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1909
Total Pages438
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy