SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ વીર–રાસ ફાર્બસ સાહેબને સંસ્કૃત દ્વયાઅય મહાકાવ્યની ટીકાની પ્રાંત પ્રશસ્તિવાળી શુદ્ધ પ્રતિ પ્રાપ્ત નહિ થઇ શકી હાય તેથી તે વાંચવામાં ભ્રમ થવાથી અથવા તેનેા અર્થ બરાબર નહિ સમજી શકવાથી તેવા આશય દર્શાવ્યા હશે. આજે તેભે! સાહેબ વિદ્યમાન હત તા અવશ્ય પોતાની ભૂલ સમજી સુધારત વૃત્તિકાર અભયતિલકગણિ પેાતાને હેમચન્દ્રાચાર્યના સંસ્કૃત હ્રયાશ્રયના વિદ્યુતિકાર, વૃત્તિકાર કે ટીકાકાર તરીકેજ ઓળખાવે છે, મૂલ દ્વયાશ્રયના કર્તા તરીકે કે હેમચંદ્રાચાયના અપૂર્ણ ભાગના પૂર્ણ કરનાર તરીકે ક્યાંય ઓળખાવતા નથી. વૃત્તિને અંતે ૧૫ શ્લોકાની જે પ્રશસ્તિ નૃત્તિકાર અભયતિલકગણિએ દર્શાવી છે, ૧૬૧ તેના ૧, ૧૨, ૧૩ એ ત્રણ શ્લોકાના ખરાખર અર્થ ન સમજવાથી તેવા ભ્રાંતિયુક્ત ઉલ્લેખ કર્યો જાય છે. વાસ્તવિક રીતે તેનેા અર્થ આ પ્રમાણે થઈ શકે “ અતિ વિમલ વિશાલ ચાંદ્રકુલમાં શ્રી વર્ધમાનાચાર્યના શિષ્ય જિનેશ્વરસુરિ જિપતિ (જાતિથી બ્રાહ્મણુ હેાવાથી, પક્ષે ચન્દ્ર ) થયા, જેમણે ગુજ રાતની ભૂમિમાં (પાટણમાં) દુર્લભરાજની સભામાં વસતિમાર્ગના પ્રકાશ કરી ( ચૈત્યવાસીઓને વાદમાં જીતી) સાધુએને સારા વિહાર કરનાર કર્યાં હતા.૧વૃત્તિકા અભયતિલકગણિએ ત્યારપછીના Àાકામાં પેાતાની ગુરુપર’પરા દર્શાવી છે, તેને આવા વ’શક્રમમાં ગાઠવી શકાયઃ— સ (ચાંદ્રકુલ ) વધુ માનસર જિનેશ્વરસૂરિ (દુ ભરાજની સભામાં વસતિમાર્ગ પ્રકાશક જિનચ ંદ્રસુરિ (સવેગર ગશાલા રચનાર )..# અભયદેવસૂરિ (સ્તમ્ભનમાં પાર્શ્વપ્રભુના સ્થાપક, નવા વૃત્તિકાર) જિનવલ્લભસૂરિ જિનદત્તસૂરિ જિનચંદ્રસૂરિ જિનપતિસૂરિ જિનેશ્વરસૂરિ જિનરત્નસૂરિ બુદ્ધિસાગર અમરકીર્તિ ૫.પૂર્ણકલશગણિ પ્રખેાધચંદ્રગણિલક્ષીતિલકગણિ પ્રમાદમૂર્તિ અભયલિંકગણિ તિલકગણિએ પોતાના મતિવૈભવના અનુસારે સકર્ણપ્રાજ્ઞજતાના કાનને ઉત્સવ-આનંદ આપે તેવી આ વિદ્યુતિ (વિવરણ) રચેલ છે. સ` વિદ્યાઓમાં પ્રવીણ, વિકલતા વિનાની કવિતા ક્રીડાના ક્રીડાતૃરૂપ, કીર્તિવડે સમુદ્રના પારગામી, ત્રણ ભુવનના જતાપર ઉપકાર કરવાના નિયમવાળા, લક્ષ્મીતિલક કવિરૂપી સૂર્ય, કે જેએ સમગ્ર ગ્રંથસમૂહમાં મ્હારા ગુરુ છે દરેક સર્ગની વૃત્તિના પ્રાન્ત લેખમાં પોતાને જિનેશ્વરસૂરિના શિષ્યલેશ તરીકે ઓળખાવવામાં પાતે તેમના અનેક શિષ્યામાં લઘુશિષ્ય તરીકે હતા એમ સૂચિત કરવાના અને પોતાની લઘુતા-નમ્રતા દર્શાવવાને વૃત્તિકારને હેતુ કલ્પી શકાય. ૧૧ થી ૧૪ શ્લાકમાં વૃત્તિકારે જણાવ્યું છે કે—“ તે સુગુરુ ( જિનેશ્વરસૂરિ )ના આદેશથી મુનિ અભય
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy