SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ વડોદરાના પ્રાચ્યવિદ્યા મન્દિરને છ હજા૨ પ્રાચીન હસ્તપ્રતોની અમૂલ્ય ભેટ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પ્રાચ્યવિદ્યા મન્દિરને યતિ શ્રી હેમચન્દ્રજીએ છ હજાર પ્રાચીન હસ્તપ્રતોની ભેટ આપી તે પ્રસંગે એક સમારંભ યોજવામાં આવ્યો હતો. પ્રસ્તુત હસ્તપ્રતોના સંગ્રહમાંથી (બીપૃષ જૈનાચાર્ય લોંકગચ્છાધિપતિ શ્રીન્યાયચન્દ્ર સૂરિજી તથા પૂજ્ય મહારાજ શ્રીસ્વરૂપચન્દ્રજી સ્મારક જ્ઞાનભંડાર) કેટલીક મહત્ત્વની કૃતિઓના પ્રદર્શનનો ઉદ્ઘાટન વિધિ તા. ૨૦-૨-૧૯૫૯ને શુક્રવારના રોજ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર છે. જયોતીન્દ્ર મહેતાના અક્ષપદે કરવામાં આવ્યો હતો, જે પ્રસંગે અનેક વિદ્વાનો અને સાહિત્યપ્રેમીઓએ દારી આપી હતી. પ્રાચીન કાળમાં આપણા દેશમાં જે જે વિદ્યાઓનો વિકાસ થયેલો તે બધા જ વિષયના સંસ્કૃત, પ્રાકૃત, માગધી, જૂની ગુજરાતી ભાવાના ો . કેમમાં ૩. આયુર્વેદ, જ્યોતિષ, તંત્ર વ્યાકરણ, અલંકાર, કાવ્ય, નાટક, સ્તોત્ર, પ્રાકૃત સૂત્રો, વિધિ વિધાનના ગ્રંથો, ચરિત્રો, ગદ્યપદ્ય ગ્રન્થો અને ભાષાંતરોની વિવિધ રચનાઓ આ સંગ્રહમાં છે. પ્રાચ્યવિદ્યા મંદિર પાસે હાલ પંદર હજાર પ્રાચીન પ્રતો છે, તેમાં છ હજાર પ્રતનો બહુ જ અમૂલ્ય ઉમેરો થયેલ છે. રૂઆતમાં પ્રાવિદ્યા મંદિરના ઉપનિયામક ઉનાકાન્તભાઈ શાહે ભારતના જુદા જુદા સ્થળેથી આવેલ પ્રેરણાદાયી સંદેશાઓનું વાચન કર્યું હતું. ત્યારબાદ પ્રાચ્યવિદ્યા મંદિરના નિયામકñ. ભોગીલાલભાઈ સાંડેસરાએ પ્રાસંગિક પ્રવચન કરતાં છેલ્લી અડધી સદીથી વડોદરામાં સ્થપાયેલ પ્રાચ્યવિદ્યા મંદિરના વિકાસક્રમની ઝાંખી કરાવી હતી. સંસ્થાના આદ્ય નિયામક સ્વ. ચીમનલાલ દલાલને તેમની કર્વ્યવ્યનિષ્ઠા, અભ્યાસપરાયણતા, સંશોધન કાર્ય અંગેની સૂઝ આદિ ગુણોને યાદ કરી ભાવભીની સ્મૃતિ આપી હતી. જૈનોની જ્ઞાનસાધનાનો નિર્દેશ કરતાં ડૉ. સાંડેસરાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં જ્ઞાનસાધનાની પરંપરા જૈનાચાર્ય શતગુણુસૂરિથી શરૂ થઈ, સોલંકી યુગમાં સિદ્ધરાજ અને કુમારપાળના સમયમાં આચાર્ય ' હેમચંદ્ર દ્વારા એ પરાકાષ્ટાએ પહોંચી; અને એ જ પરંપરાનો તંતુ આજસુધી ચાલુ રહ્યો છે. જૈનો માત્ર આગમસાહિત્યનો જ નહિ પરંતુ અન્ય શાસ્ત્રોનો અભ્યાસ પણ કરતા ત્યારે ગુજરાતમાંથી બૌદ્ધધર્મ લુપ્તપ્રાય થયો હતો ત્યારે પણ બૌદ્ધ તર્કશાસ્ત્ર જેવા નિર્વિશેષ (Abstract) વિષેનો ચૌદમી પંદરમી સદીમાં અભ્યાસ કરવામાં આવતો હતો. આ બધાં શાસ્ત્રોનો અભ્યાસ જૈન યતિઓના વિદ્યાપીઠોમાં થતો. જૈન સાધુઓની જ્ઞાનાર્જન માટેની ઉપાસના અને જ્ઞાનભંડારોના સંરક્ષણ સંવર્ધન માટેની સતત જાગૃતિને પરિામે ગુજરાતમાં હસ્તપ્રતોની સમૃદ્ધિ-Manuscript Wealth of Gujarat—અસાધારણ છે એવો વિશ્વવિખ્યાત ભાષાશાસ્ત્રી ડૉ. આર. એલ. ટર્નરનો મત સાંકી તેમણે સિંહલીપમાં ઔદ્રસાહિત્યની હસ્તપ્રતોના સંગ્રહની વિપુલતાનો ખ્યાલ આપ્યો હતો. જૈનોની સાહિત્યસાધનાનાં ઉદાહરણો આપી, ગુજરાતમાં નવમી દર્દીના પ્રારંભથી શરૂ થયેલી માનસાધનાની પ્રાચીન પ્રણાલી આજસુધી ચાલુ છે તે સમજાવ્યું હતું. છ હજાર પ્રતોની ભેટ આપનાર પૂજ્ય યુતિ શ્રી મુળની ત્રિી ભાવનાની પ્રશંસા કરતાં સાંડેસરાએ જખ્માવ્યું હતું કે સાધુઓ અને અમિ એક બીજા સાથે અવિનાભાવે જોડાયેલા છે, પરંતુ એ અપરિચત તો ભીતિક સાધનોનો વિદ્વાનો માટે નાનોપાર્જનના સાધનરૂપ પુસ્તકોનો ત્યાગ કરવો, એ વિષયમાં પશુ અપરિગન ધારણ કરવું એ દુર્લબ સ્થિતિ પણ યુનિશ્રીએ સિદ્ધ કરી બનાવી છે. છેલ્લાં ત્રણસો વર્ષથી જે જ્ઞાનભંડાર આપે. ભાવના એમના ગુરુનો અને તેઓ પોતે સંકળાયેલા છે તેને માટે પણ પરિગ્રહ છોડી યુનિવર્સિટીને તેમણે જે અપૂર્વ દાન આપ્યું છે તેમાં વિજય છે તેમની વ્યાવહારિક બુદ્ધિનો યુગબળને ઓળખી, માનવધર્મથી પ્રેરાઈ નવી જ પ્રભુાથી ઊભી કરનાર અતિશ્રીની વિવૈયક્તિ અને નીડરતાની દેશોએ ખૂબ જ પ્રશંસા કરી હતી. ભેંટ મળેલ સંપતનું મહત્ત્વ સમાતાં તેમણે કહ્યું
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy