SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ સં ત ના શબ્દો પ્રોફે ઇંદ્ર, એમ. એ. અનુઃ શ્રી ગુલાબચંદ જૈન “ કોઈપણ તનો ઉપદેશ ન સાંભળ...! તેમના શબ્દો કોઈ કાનમાં ન પાષા દેજે...મારી તને આજ છેલ્લી શિખામણ છે...એને ન ભૂલજે દીકરા..!'' લોહક્ષુરે મૃત્યુશૈય્યા ઉપર પડ્યાં પડ્યાં પોતાના પુત્ર રોહિણેયને કહ્યું. 66 ‘ ભલે...બાપુ ! આપનો જીવ શાંતિ પામતો હોય હોય તો હું તેમ કરીશ...!” રૌહિણેયે કહ્યું. “ હાય...!” છેલ્લો શ્વાસ લોહપુરનો નીકળ્યો અને તેનું પ્રાણપંખેરુ કાયાના પિંજરાને તોડીને ઊડી ગયું..! લોહક્ષુર એટલે રાજગૃહની પાસે વૈભારગિરિ ઉપર રહેનાર એક ડાકુ...! વણજારોને લૂંટવી, સ્ત્રીઓનાં અપહરણ કરવાં કે લોકોને ત્રાસ આપવો એ અને મન રમત હતી...લોકો તેનું નામ સાંભળતાં થરથર કંપતાં ! એ લોહન્નુર મરણ પામ્યો પણ તેનો પુત્ર રોહિત્ર્ય પોતાના બાપના પગલે ચાલીને એક સુપ્રસિદ્ધ ડાકુ બની ગયો. તેણે બાપની બધી વિદ્યા જાણી લીધી હતી. ખાપ કરતાં દરેક વાતમાં તે સ્વર્યો હતો પણ ઓખો નહીં... બાપે મરતાં મરતાં તેને જે શિખામણ આપી હતી તે એણે હૃશ્યમાં ઉતારી હતી અને કદી પણ કોઈ સંતસમાગમ કે ભજનમાં તે ન જતો...! એકવાર તે રાજગૃહ તરફ જતો હતો કે રસ્તામાં તેને ભગવાન મહાવીરના સમોવરણ પાસેથી પસાર થવું પડયું. પોતાના નિયમ પ્રમાણે તેણે કાનોમાં આંગળીઓ નાખી દીધી અને ઝડપથી ચાલવું શરૂ કર્યું. બરોબર સમોવસરણની બાજુમાંથી નીકળતાં જ તેના પગમાં કાંટો વાગ્યો. તે કાંટો કાઢવા જતાં તેને ગળાઓ કાનમાંથી હઠાવવી પડી અને નીચા નમાં પડ્યું. તે ૧૫ ******************* વખતે ભગવાન મહાવીરના મુખમાંથી નીકલ આ વાગ્યો તેના કાને ગા— “ દેવોના પગ પૃથ્વીને બક્તા નથી. તેમની પાંપણો નીચે પડતી નથી. તેમની કૂલમાળાઓં કરમાતી નથી. તેમને પરસેવો વળતો નથી...! ” કાનમાં જાણે કોઈ એ કાંટા ભોંકયા હોય એવું રોહિણેમને લાગ્યું. તેણે બાપને આપેલ વચન પ્રમાણે તે કોઈ પણ સંતનો એકેય શબ્દ સાંભળવા ઇચ્છતો ન હતો. પણ આજે તે લાચાર હતો...! તેણે દિવસ ત્યાં પસાર કર્યો. રાતના તેણે ચોરી કરી અને માલ શહેરમાં જ કોઈક ગુપ્ત સ્થળે છુપાવી દીધો. એ તેનો વર્ષો જૂનો કાયદો હ્તો. તે મુદ્દામાલ સાથે કદી તે જ વખતે બહાર ન નીકળતો. વાત જ્યારે વીસરાઈ જતી ત્યારે તે માલને પોતાની ગુફામાં લઈ જ્યો. એટલે ચોરીના દિવસે ખાલી હાથે કોઈને કોઈ તેને પૂછતું નહીં...! પણ આજે તે નીકળ્યો કે તેને પહેરેદારોને પકડી લીધો. રાજગૃહમાં છેલ્લા ધણા દિવસોથી ચોરીઓ થતી હતી. આજે કોઈ શેઠને ત્યાં તો કાલે બીજાને ત્યાં. લોકોએ જઈ ને રાજાને કરિયાદ કરી. રાન શ્રેણિક પોતાના ચોકીદારોને બોલાવીને ધમકાવ્યા ખરા. પણ તેઓ શું કરી શકે ! ચોરી રોજ નવા પ્રકારે થતી હતી...! ચોર ક્યાંથી આવ્યો અને ક્યાં ગયો એની ખબર પડતી ન હતી. અંતે શ્રેણિક રાજાએ પ્રધાનમંત્રી અભયકુમારને ચોરને પકડવાનું કામ સોંપ્યું, તેણે નગરના દરવાજે ગુપ્તચરો ગોઠવી દીધા અને કડક કાયદો કર્યો કે જે કોઈ પર્દિચિન અર્જિત નગરની બહાર નષ તેને પકડી લેવી. એ પ્રમાણે અષકુમાર પાસે રહિમને લાવવામાં આવ્યો. તેની પાસે કંઈ ન હતું અને મુદ્દામાલ વગર
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy