SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ જાન્યુઆરી ૧૯૫૯ આવૃત્તિ તૈયાર કરી (છઠ્ઠઃ હામ; ૭-૮: શુધિંગ). મહાનિકીદ આપણી પાસે ટીકારહિત ઉતરી આવ્યું છે. 150 Stanzas (of the) Niryukti, A Glimpse of Jain Scholasticism (Cyril ૧૫૦ લોકો : જેન ટીકાવાદની ઝાંખી) (Studia Indologica, Festschrift für Willibald Kirfel, Bonn. 1955, pp. 297 ff). લૉયમાને (ZDMG ૧૮૯૦ પૃ. ૫૮૧ થી) ઢસવેવાઢિા સૂત્ર અને નિકુંત્તિ પ્રકાશિત કર્યો છે. નિર્યુક્તિ સિદ્ધાતિક ચર્ચાઓ અને કથાનકો આપે છે. વિષયનું વ્યાખ્યાન આપનાર કે પ્રતિપાદન કરનાર (ઉદાહરણ. હેતુ વિ. જેવા) તૈયાયિક શબ્દો દ્વારા દરેક વિષયનો પ્રારંભ થાય છે. લૉયમાન (પોતાની આવૃત્તિ ઉપરાન્ત). મુખ્યતઃ ગદ્ય અંશોની ચર્ચા કરી હતી જયારે શલિંગનું પૃથક્કરણ નિર્યુક્તિના ૪૩૯ લોકો પૈકી પહેલા ૧૫૦ શ્લોકોના તત્ત્વજ્ઞાનીય અંશો સાથે મુખ્યતઃ સમ્બન્ધ ધરાવે છે. Is Kundakunda the Author of the Atthapdhada? (શું કુન્દકુન્દાચાર્ય રામદાદુ નો કર્તા છે?) (લેખનું જર્મન શીર્ષક: “Kundakunda echt und unecht”– કુન્દકુન્દાચાર્ય અસલ અને નકલ) (ZDMG, Vol. CVII, pp. 557 ff) સમયસાર, ઘવાળસાર, નિયમસાર, અને ધિક્કારને કર્તા કુન્દકુન્દને નામે પરમ્પરા મદવાદુ? પણ ચઢાવે છે. પ્રાકૃત ગ્રન્થ ૫૦૦ શ્લોકો (ભાટે ભાગે ગાથાઓ )માં જુદા જુદા સૈદ્ધાતિક વિષયોને ચર્ચા છે. લૉયમાને અને એ. એન. ઉપાધ્યેએ યવા અંગેનું કુદકુન્દનું ગ્રન્થ કર્તૃત્વ સ્વીકાર્યું છે, પરંતુ શુબિંગ બતાવે છે કે આ ગ્રન્થની ભાષા ઉપર અશતઃ અપભ્રંશની અસર છે અને અંશતઃ તે ખોટી છે; જ્યારે સમયસાર વિ. નું પ્રાકૃત નિયમિત છે. તેથી મટ્ટા સાહિત્યિક ભાષાના વિકાસમાં પાછળનો તબક્કો દર્શાવે છે. અને ચાર ગ્રન્થોના રચનાર તે જ લેખક સુધી સમ્ભવતઃ તે પાછો જઈ શકતો નથી. માન્યતાને સમર્થન આપવા મઢવાદુ? અને સમયસાર માંથી ચૂંટેલા અંશો આ લેખમાં પ્રસિદ્ધ કર્યા છે અને સમજાવ્યા છે. (૧૦) ઘેડોર ત્યાખારીએ (હાલે યુનિ.ના સંસ્કૃત વિભાગના ભૂતપૂર્વ અધ્યક્ષ, અવસાન ઈ. સ. ૧૯૩૪) Informations about the Jains from Authors of the 16th and 17th century (૧૬ મી અને ૧૭ મી સદીના લેખકોમાંથી મળતી જૈનો વિષેની માહિતી) (Festschrift Moritz Winternitz, Leipzig 1933, pp. 174 ff.): ૧૬ મી અને ૧૭મી સદીના પર્શિયન, પોર્ટુગીઝ, ડચ અને બીજા લેખકોએ કરેલા જૈનવિષેના ઉલ્લેખોમાંથી તે સમયની જૈનવિદ્યાના આપણા જ્ઞાનમાં ખાસ વધારો થાય એવી આશા ન રાખી શકાય. છતાં ભારતીય સંસ્કૃતિના અધ્યયનાથને માટે સાખારીએના કેટલાંક ઉદ્ધરણો રસપ્રદ છે. ઉપરાંત તે ઉદ્ધરણ બતાવે છે કે Vertia, Ceurawach, 2427 Tschainer (poll માટે વપરાએલાં કેટલાંક યુરોપીયન નામો) પ્રાચીન યાત્રાળુઓ વડે કેવી રીતે જોવાયા હતા.૧૦ જેવી રીતે બૌદ્ધવિદ્યાના પ્રારંભમાં ફ્રાન્સે તે ક્ષેત્રમાં આગેવાની લીધી હતી તેવી રીતે અમુક સમય માટે જેનવિદ્યાના ક્ષેત્રમાં જર્મનીએ અગ્રેસરપણું લીધું હતું, એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. તેમ છતાં આમાંથી આજે પણ જર્મનીમાં આવી પરિસ્થિતિ છે અથવા તો જર્મનીએ પશ્ચિમમાં જૈન વિદ્યાનો એક જાતનો ઇજારો રાખ્યો છે એ પ્રકારનો અર્થ કાઢવો તે ગેરવાજબી છે. કેટલાક શાખા-સમ્પ્રદાયો સીવાય જૈનવિદ્યા પ્રત્યેના જર્મન અભિસારમાં કંઈક રાષ્ટ્રીય છાંટ જેવું છે એમ પણ નથી. તેથી અમે કરેલી જર્મન અને માત્ર જર્મન ગ્રન્થોની પસન્દગી વિષયની દૃષ્ટિએ અપ્રાકૃતિક છે. જો કે આ પદ્ધતિ માધ્યમની દષ્ટિએ સપૂર્ણ વાજબી લાગે છે, કારણ કે આમાંના લગભગ બધાં પ્રકાશનો જર્મનમાં લખાએલાં છે અને તેથી યુરોપની ભાષાઓ પૈકી અગ્રેજી અધિકતમ જાણીતી છે એવા ભારતમાં એમના પ્રત્યે ધ્યાન ન દોરાય એ સ્વાભાવિક છે. જૈન વિદ્યા” અગર “જૈન વિદ્વાન ' એવા પ્રયોગોઠારા ઉત્પન્ન થતી બીજી ગેરસમજ સંશોધન કાર્ય સાથે સંકળાએલી છે. વિષયના સંપૂર્ણ અભ્યાદ્વારા જર્મન ૧૦. આ જ લેખકના “Der Anekarthasam graha des Hemachandra" (421-571 અને કાર્યસંગ્રહ) (With extracts from the commentary of Mahendra, Bombay, 1893) એ નામના લેખક દ્વારા અનિર્દિષ્ટ પ્રખ્ય પ્રત્યે અનુવાદક ધ્યાન દોરે છે.
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy