SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ન મૂળ એ સંબંધે આખી રાત્રિ મંથનમાં જ ગળી. બીજે દિવસે મૈત્રીઓ સરદારો તથા નાગરિકો સાથે આ બાબત મસલત પણ ચલાવી. છેવટે ત્યાં યુદ્ધનું પરિણામ સર્વનારામાં જ દેખાય છે તો પછી આ નવીન પ્રયોગ શા માટે ન કરવો. અને એમાં જ પરાજય થયો હોય ગૌરવ વધરી અને જય મારી તો તો ગૌરવ અને પ્રત્નિા બળે મળેલાં જ છે, * એવા વિચારથી છેવટ યુનો-પ્રતિકારનો વિચાર માંડી વાળ નિપતાનો શસ્ત્રસ-પાસનો માર્ગ સ્વીકારવાનો નિર્ણય લેવામાં આવ્યો. જનતાએ પણ એ વિચારને વધાવી લઈ ભારે હિંમત એ બતાવી. અધૂરામાં પૂરું એજ દિવસે સાંજના સમયે દક્ષિણ તરફના બહારના એક પરામાં ભગવાન મહાવીર પધાર્યાંના સમાચાર જાણી એ વિચારને પ્રોત્સાહન મળ્યું. નવા દિવસનું પ્રભાત ગ્યું. દક્ષિણ બાજુએથી મેળ સાથે જોરદાર આક્રમણ કરવાની ગડે જાજે ભારે તૈયારી કરી હતી. સાથે સામેથી જોરદાર પ્રસામગ્રની પણ એણે કલ્પના બાંધી હતી. એથી સવારથી જ સુ ભેરીઓ ફૂંકાવા લાગી. રણશિંગડાં વાગવાં શરૂ જ્યાં કોઈ શ્રોડાના તંત્ર ખેંચતા હતા તો કોઈ તલવારની ધાર તપાસી શસ્ત્રસજ્જ બની રહ્યા હતા. કુક્ત મહારાજા ચંડના દેશનીજ રાવાની હતી. પણ ત્યાં તો સહુના આશ્ચર્ય વચ્ચે કૌશાંખીનો પૂર્વ તરફનો વિરાટ દરવાજો ઉઘડ્યો અને નિઃશસ્ત્ર સાદા ગણવેવમાં સજ્જ થયેલી તુગિણી સેના બહાર ઘસી આવી. સાથેભિન્નભિન્ન વર્ગના લોકો—સ્ત્રી-પુરુષ બાળકવૃદ્ધો સર્વે-નરોની સંખ્યામાં ભગવાન મહાવીરનો ૫ ના ગગનભેદી અવાજો સાથે પ્રચંડ ધ્વની માફક નિર્ભયપણે ભગવાનના ઉતારા ભણી રેલાવા લાગ્યાં. એક ઊંચા શ્વેત અશ્વપર માનવતાની મૂર્તિ સમી શોભતી વીર રાણી મંગાવતી એ બધાને દોરતી મોખરે ચાલતી હતી. ભયને એણે ખંખેરી નાખ્યો હતો. યુદ્ધની ભીષગુતા અને તેનાં દુષ્પરિણામોની કલ્પનાથી એ છ ઊડી હતી. એથી બતાવેલી નિઃશસ્ત્ર--નિર્ભયતાએ આજે એના વન કમળ પર કોઈ દેવી તેની આભા ચાકી રહી હતી. એના દંડના એકએ અણુમાંથી આજે સાચું વીરત્વ પકી રહ્યું હતું, જાણે હું સાક્ષાત વીરત્વની સ્મૃતિ. એની આંખોમાં કોઈ ખોર ચમક હતી. મુખ પર પ્રભાવ હતો અને સમગ્ર વાતાવરણમાં નિર્ભયતા— નીડરતાનો જોશ પેદા કરનારો અંતરનો ઊકો આનવિશ્વાસ હતો. એ આત્મવિશ્વાસે કોયાબીની સમગ્ર २७ જૂન ૧૯૫૯ જનતા પણ નિર્ભય બની બહાર ધસી આવી હતી. જાણે ૩ કૌચાંખી બહાર કોઈ યુદ્ધનું વાતાવરણ જ ન હોય | જો કે બહાર દક્ષિણ તરફ રણભેરીઓ વાગતી હતી. યુદ્ધની નોબતો ગડગડતી હતી. પણ એને તો ભગવાન મહાવીરના આગમનનો ધોધ માની લેવામાં આઓ હતો. કૌશાંબીનો માનવમહેરામણ પૂર્વ તરફથી વળાંક લઈ નિર્ભયપણે દક્ષિણ તરફ વહેવા લાગ્યો. ન તો હતી કોઈ ને સેના તરફ જોવાની દરકાર કે નવોનો અનો ભય. સમગ્ર જનતા ચંડની પડખેથી ભગવાનના ઉતારા તરફ જઈ રહી હતી; તો એમની કૌશાંબી કે જનતા પર આક્રમણુ કરવાની હિંમત જ ન ચાલી. ઉલટું કોરાંખીની સેના અને જનતાને દોરતી તેજોતિ મગાવતીને કોઈ ચંડ અને ચંડની સેનાના વીર અગ્રણીઓ આભા જ બની ગયા; કારણ કે એમની કલ્પના ભઠ્ઠારનો આ વૃત હોઈ શું કરવું એ એ ઝટ સમજી જ ન શક્યા. પરિણામે પોતે પ્રચંડ પરાજય અનુભવી રહ્યા હોય એવી સોંપ અને તેજોભંગની લાગણીથી ચંડ લજ્જિત બની ગયો. વળી સ્ત્રી બાળકો સહિત નિઃશસ્ત્ર જનતાપરાક્રમણ કરવાનું એ વીરને શોભે તેમ પણ નહોતું-માથી હતાશ થઈ રહી સહી પોતાની પ્રતિષ્ઠ ટકાવી રાખવા ખાતર, ઝડપથી ભગવાન મહાવીરના દર્શન કરવાને યુદ્ધ ત ખીનો ધ્વજ ફરકતો કરી દેવાની એણે સેનાપતિને આજ્ઞા કરી. હ ભગવાન મહાવીરના મુખેથી વહેતી જ્ઞાનગંગામ કૌશાંબીની સમગ્ર જનતા આજે નાહી રહી હતી. વનની ધન્ય પળોમાં કોણ આવ્યું ને કોણ ગયું એનું પશુ કોઈ ને ભાન નહોનું, મહાવીર ભક્ત રાન ચેપોન પણ પોતાના અંગત રસાલા સાથે ત્યાં આવ્યા વિના રહી શક્યો નહોતો. ભગવાને સમય જોઈ યુદ્ઘ, યુદ્ધનાં કારણો અને એમાંથી સર્જાતાં વિનાશનાં પરિણામોનો ખ્યાલ આપી સત્તા વૈભવ અને સૌંદર્યપિપાસુ વૃત્તિના ત્યાગનો મહિમા સનો તે સારું સુખ એના ભોગમાં નહીં પતુ એના ત્યાગમાં જ છે એમ પતાના અનુભવના આધારે કહી બતાવી ત્યાગની મજા માણવાનો જનતાને અનુરોધ કર્યો. ભગવાનની વૈરાગ્ય યુક્ત વાણી સાંભળી ઘણા યુવકયુવતીઓએ જ માતાપિતાની અનુમતિ લઈ પ્રમન્યા સ્વીકારી લીધી.
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy