SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ જેન યુગ જાન્યુઆરી ૧૯૫૯ Ancient Jaina Hymns (પ્રાચીન જૈનસ્તવનો) (અંગ્રેજીમાં) (ઉજજૈન ૧૯૫૨). (વિક્રમની) ૧૩ થી ૧૮ મી સદી સુધીમાં લખાએલાં (૭ સંત અને ૧ અ૫. એમ) ૮ અપ્રસિદ્ધ વે. સ્તોત્રોની એક સમીક્ષિત આવૃત્તિ ડૉ. ક્રાઉઝે આપે છે. રસ્તોત્રો અને તેના રચયિતાઓની વિગતવાર ચર્ચામાં મુનિસુવ્રત (અને અશ્વાવબોધ અથવા શકુનિકાવિહાર નામનું ભરૂચમાં એમનું તીર્થ) અને વૈરોટી દેવી (અને વિદ્યાદેવીઓ)ના અભ્યાસોનો પણ સમાવેશ થાય છે. ત્રણ પ્રાચીન ગુજરાતી કૃતિઓ (ગુજરાતીમાં), (ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ ૧૯૫૧): (2) નયસુન્દરરચિત શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ છન્દ – કાવ્ય (છબ્દનો અર્થ આ છે)માં ઊમિપ્રધાન અને ઉપદેશાત્મક અંશો છે. ઉપદેશાત્મકમાં હલ્યોગનું જૈનમતાનુસાર પુનર્વ્યાખ્યાન આવે છે. હયોગચર્ચામાં પાર્વિનાથચરિત સમાવી દીધું છે. રચયિતા જુદા જુદા ૧૦ છન્દો પ્રયોજે છે. (જૂઓ પ્રસ્તાવના પૃ. ૧૯) અને સંસ્કૃત, ગૂજરાતી, હિંગળ (રાજસ્થાનના ભાટોની ભાષા) અને ચારણી (સૌરાષ્ટ્રને ચારણોની ભાષા)નું મિશ્રણ | કરીને અનેકશઃ માવાવનો પ્રયોગ કરે છે. નયસુન્દર સ. ૧૬૩૭ અને ૧૬૮૧ વચ્ચે થઈ ગયા અને તેમણે રાસો અને બીજા ગ્રન્થો રચ્યા છે. (૩) ત્રણસો પાંસઠ પાર્શ્વનામમાળા –(ધણ સ્થળોએ તેઓના તે તે તીર્થો પ્રમાણે નામ અપાએલા) ભિન્ન ભિન્ન ૩૬૫ પાર્વોની આ ગ્રન્થમાં ગણત્રી છે. આ ગ્રન્થ સં. ૧૬૫૫ માં અકબરપુર (ખંભાત)માં પ્રેમવિજયે રચ્યો હતો. (૧) વૃદ્ધ વન્દન –સં. ૧૮૯૬ પછી કોઈ સમયે ખીમાએ રચેલી જુદા જુદા તીર્થોની આ સ્તુતિ છે. ગ્રન્થના અનતે ડો. ક્રાઉએ ઓળખાણ સહિતની નિર્દિષ્ટ તીર્થોની યાદી અને સાહિત્યિક ઉદ્ધરણ આપ્યાં છે. કઈક શંખેશ્વર સાહિત્ય (ગુજરાતીમાં), (જૈન સત્ય પ્રકાશ ૧૯૪૫): મુનિરાજ જયન્તવિજયજીના શંખેશ્વર મહાતીર્થ (વિજયધર્મસૂરિ જૈન ગ્રન્થમાળા પુષ્પ ૫૭, ઉજજૈન, સં. ૧૯૯૮; બે ભાગમાં) નામના ગ્રંથમાં આવેલ શંખેશ્વર પાર્શ્વનાથ સબધી સાહિત્યની આ પૂરવણી છે. ૧૫ નાનકડા ગ્રન્થોનું પ્રકાશન અગર ઉલેખો આપવામાં આવ્યા છે. શ્રી શ્રીસારવાચક વિરચિત શ્રી ફલવદ્ધિપાર્શ્વનાથસ્તુતિ (ગુજરાતીમાં), (જૈન સત્ય પ્રકાશ ૧૯૪૫): ફલવહિં તે આજનું ફલોદી (રાજસ્થાન). રચયિતા સં. ૧૭૦૦ની આસપાસ થઈ ગયા અને ટીકાટિપ્પણ અને ઐતિહાસિક કાવ્ય ગ્રન્થો તેમજ સ્તોત્રો એમણે રચ્યા છે. શ્રી હેમવિમલસૂરિચિત તેરે કહીયાની સજઝાય (ગુજરાતીમાં), જૈન સત્યપ્રકાશ ૧૯૪૬): સજઝાય એટલે ઉપદેશાત્મક કાવ્ય. આ સઝાય સદાચારના પરિપત્થી રૂ૫ આલસ્ય, મોહ વિ. કાઠીઓ એટલે કે લુંટારાઓ વિષે છે. રચયિતા હેમવિમલસૂરિ સં. ૧૫૨૩થી ૧૫૮૩ સુધી જીવ્યા અને સુધારક તથા તપાગચ્છના પપમાં સૂરિ તરીકે જાણીતા હતા. છે. ક્રાઉઝેના “પ્રાચીન જૈન સ્તોત્રો” (પૃ ૧૦૫ થી)માં એમનું વરાણપાર્શ્વનાથસ્તવન પ્રકાશિત થયું છે. શ્રી ભાનુમેરુકૃત “ચદનબાલા સજઝાય' (ગુજરાતીમાં) (જૈન સત્ય પ્રકાશ ૧૯૪૬) – આ સજઝાય સુપ્રસિદ્ધ અજચન્દણાં (જુઓ હેમચંદ્રનું ત્રિષષ્ટિ° ૧૦°૪૪૭૪-૬૦૦) વિષે છે. રચયિતા કાં તો ખરતરગચ્છના ભાનુમેરુ કે કાં તો વૃદ્ધતપાગચ્છના ભાનુમેરુ છે. બન્ને સં. ૧૬૫૦ ની આસપાસ થઈ ગયા. માંડવગઢના શ્રી પ્રમદપાશ્ચદેવ (ગુજરાતીમાં) (જૈન સત્ય પ્રકાશ ૧૯૫૪) – જૈન સ્તોત્રસંગ્રહ (શ્રી યશોવિજ્ય જૈન ગ્રન્થમાળા પુ૫ ૭) ના પ્રથમ ભાગમાં પ્રમદપાર્શ્વનાથ સ્તવન પ્રકાશિત થયું છે. ડૉ. ક્રાઉઝે એના રચયિતાનું સિદ્ધાન્તરચિ સાથે તાદામ્ય બતાવે છે અને દર્શાવે છે કે અમદપાર્શ્વનાથની મૂર્તિ અને (ખરતરગચ્છના ૫૫ મા સૂરિ અને સિદ્ધાંતરુચિના ગુરુ) જિનભદ્રસૂરિએ (જેસલમીર પ્રશસ્તિ મુજબ) પ્રતિષ્ઠા કરેલી મૂર્તિ એ સંભવતઃ એક જ છે. મહુના મુસ્લિમ નામ શદીયાબાદ (આનન્દનું ધામ) ઉપરથી અમદપાર્શ્વનાથ નામ પાડવામાં આવ્યું છે. (૭) ગુષ્ટાફ ચોથ (પટણામાં સંશોધનવૃત્તિભુક, હોફમાનના શિષ્ય) Mohanagrha in Prakrit Texts, in Kautilya's Arthaśāstra and in the Annals of Tabiri (પ્રાકૃત ગ્રન્થો, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર અને
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy