SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ જાન્યુઆરી ૧૯૫૦ (૩) હેક્યૂટ ફૉન ગ્લાસેનાપ (યુબિંગન યુનિ. ના સંસ્કૃત વિભાગના અધ્યક્ષ, યાકોબીના શિષ્ય; પ્રથમ તબક્કામાં પણ જુઓ). The Polemics of the Buddhists and Brahmans against the Jains :-જૈનોની સામે બૌદ્ધો અને બાહ્મણોના વાદગ્રન્થો) (ANIST 7, 1951, pp. 74 ff) : (જેમનો સમય કંઈક પાછળ છે એવા) બ્રાહ્મણ સમ્પ્રદાયના વાદગ્રન્થોમાં મહાવીરના દેહ સમ્બન્ધઉલ્લેખો ભાગ્યે જ જડે છે. જ્યારે બૌદ્ધ સાહિત્યમાં છેલ્લા તીર્થંકર વિષેના અને એમના જીવન તથા ઉપદેશના વિકૃત વૃત્તાન્તો આપતા અસંખ્ય ફકરાઓ મળે છે. સૈદ્ધાતિક તકરારોના ગ્લાસેનાપે દર્શાવેલા મુદ્દાઓ પૈકી કેટલાક દર્શાવી શકાય. (જૈનો દ્વારા કરાતી) કષ્ટમય તપશ્ચર્યાઓની બુદ્ધ કરેલી ઝાટકણી જાણીતી છે. જૈન નીતિશાસ્ત્રમાં દેહ ઉપર વારંવાર એક જ ભાર મૂકવામાં આવે છે. માત્ર શારીરિક ક્રિયા જ જવાબદાર છે, નહિ કે ઇરાદો. માત્ર ઈરાદોને જ પ્રાધાન્ય આપતા બૌદ્ધોએ આ સામે વાંધો ઉઠાવ્યો. બ્રાહ્મણોએ મુખ્ય વાંધો એ ઉઠાવ્યો કે વેદોને અને વેદના વ્યાખ્યાનના બ્રાહ્મણોના અધિકારને જેનો પ્રમાણ માનતા નથી. જેનોના કહેવાતા નાસ્તિકપણું વિષે તેઓ થોડીક જ ટીકા કરે છે. (૪) ફ્રાન્કરિખા હામ (હાબુર્ગ યુનિ.ના સંરકૃત વિભાગમાં સહાયક અધ્યાપક, શુબ્રિગના શિષ્ય) હામની મહાનિરીક્ટ ના છઠ્ઠા અધ્યાયની આવૃત્તિ માટે જુઓ $ ૯. Jain Versions of the Sodāsa Story (સોદાસ કથાના જૈન રૂપાન્તરો) (ANIST 7, 1951, pp. 66 ff) : બદ્ધ અને બ્રાહ્મણ રૂપાન્તરો ઉપરાન્ત આ કથાનું માત્ર એક જ જેન રૂપાન્તર પહેલાં જાણીતું હતું. જૈન (છે. અને દિ.) સાહિત્યમાંથી હામ બીજે પાંચ નવાં રૂપાન્તરો પૂરાં પાડે છે. અને બતાવે છે કે જૈન ગ્રન્થો બ્રાહ્મણ સમ્પ્રદાયનું નહિ કિન્તુ બૌદ્ધ સમ્પ્રદાયનું અનુસરણ કરે છે. (૫) યોસેફ કીડરીખ કોલ (9ત્સર્ગ યુનિ. માં સહાયક અધ્યાપક; કિÈલના શિષ્ય) Die Skaryaprajmapti (સૂર્યપ્રજ્ઞપ્તિ-ન્થના ઇતિહાસનો અભ્યાસ) Bonner Orientalistische Studien, Heft 20, 193) : પ્રસ્તાવનાના આધારે વિશ્વરચનાને લગતા ઉપાંગોના ગ્રન્થોના સમ્બન્ધોનો નીચે પ્રમાણે સાર આપી શકાય. (જુઓ પૃ. XL થી); વિશ્વરચના સમ્બન્ધીના અનુમિત કરેલા મૂળભૂત ગ્રન્થ ઉપરથી વારિ, સૂર્યપ્રજ્ઞપ્તિ, ખૂઢીવપ્રજ્ઞપ્તિ અને દ્વારા પ્રતિ વિકસ્યાં. ગ્રન્થવિકાસને લગતા કેટલાક ફેરફાર બાદ તે ગ્રન્થો પાંચમાં અને છઠ્ઠા ઉપાંગમાં તથા ત્રીજા ઉપાંગ (ના કેટલાક ભાગોમાં “સૂર્યપ્રજ્ઞત્તિ”, “નવૂઢીપપ્રરુત્તિ”, અને “જીવામિજીમ” એ નામે પ્રતિનિધિત્વ પામ્યા. આ ગણ ગ્રન્થોમાંથી “સૂર્યપ્રાપ્તિમાં (૨) સૂર્યગતિ (૨) દ્રવ્રત્તિ અને (૩) નક્ષત્રોની ચર્ચાનો સમાવેશ થાય છે. પહેલો અને બીજે ભાગ અંશતઃ “ગૂઢીવપ્રજ્ઞતિને અને ત્રીજો ભાગ “અને “જીવામિન” ને આવરી લે છે. ગ્રન્થને લગતા પ્રશ્નોની ચર્ચા ઉપરાન્ત ગ્રન્થકર્તા સૂર્યપ્રાપ્તિ અને સાબૂઢીવપ્રાપ્તિની ખગોળનું પૃથક્કરણ પણું આપે છે. પોતાને મળતા આવતા કબૂઢીવવજ્ઞતિના અંશો સાથે આપેલા સૂર્યપ્રાપ્તિના ગ્રન્થ વડે પુસ્તકનું દળ બને છે. The Meaning of potaja in the Zoology of the Jains (જૈનોને પ્રાણિશાસ્ત્રમાં પોતાનો અર્થ) (ZDMG 1953, pp. 151 f) : સસ્તન પ્રાણીઓ (જર્મન-exhautgeboren-ઑર સાથે જન્મેલા) અને પોતા એવા વિભાગોમાં વહેંચાયા છે. વતન નો અર્થ “હોડીમાં જન્મેલ” એમ થાય છે અને આ પ્રાણીઓની જન્મક્રિયાની વિશેષતાને દર્શાવે છે. Plants possessing a common body (Sadharana-sarīra) according to Jain dogmatics (જૈન સિદ્ધાન્ત મુજબ સાધારણ શરીર ધરાવનારા છોડો) (Zeitschrift fur Ethnologie, Vol. 78, 1; Braunschweig 1953). Some Remarks on the Lists of Animals in the Jain Canon (જૈન આગમોની પ્રાણીઓની યાદીઓ ઉપર કેટલાક શેરાઓ (Asiatica, Festschrift Friedrich Weller, Leipzig 1954, pp. 365 ff.) : ઉત્તરાય, જીવામિનામ અને પન્નવા ઉપર આધારિત થયેલ આ લેખ ઘણું પ્રાણીનામોને ઓળખાવે છે (દા.
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy