SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ જ્ઞાનમાં છે, જેની આસપાસ અનેક કલ્પનાઓની સધિ ઊભી થયેલી છે, પણ મૂળમાં આ ચાર જ છે. ભૌતિક પ્રકૃતિવાદ ભૌતિક જગત પરત્વેની બીછ પરંપરા તે પ્રકૃતિવાદી, છે સાંખ્ય પરંપરા તરીકે વિદિત છે. આગળ જતાં આ જ પ્રકૃતિવાદ નેક વેદાન્તી વિચારસરણીઓની ભૂમિકા બની ગયો છે. આ પરંપરા પ્રથમ પરંપરાની પેકે મૌલિક અનંત પરમાણુઓ ઉપરથી ભૌતિક જગતનું સર્જન નથી માનતી. તે કહે છે કે વિશ્વના મૂળમાં અખંડ તત્ત્વ તો એક જ છે, અને તે પ્રકૃતિતત્ત્વ ખા તત્ત્વમાં જુદા જુદા ગુણધર્મો ધરાવનાર અને તેને વ્યક્ત કરનાર એવા પરપર અવિભા૰ન્ય અંશો કે ઘટકો છે. પણ તે મૂળ પ્રકૃતિથી ા નથી. પ્રકૃતિતત્ત્વ એક તે જ અને કોઈ ને મતે અનેક છતાં તે સમગ્ર વિશ્વમાં વ્યાપક છે. તે તત્ત્વ હવાદી પરંપરાની કે પરમાણ કહેવાય તો એ અર્થમાં કે તે ઇન્દ્રિયાતીત અને અતિગ છે; પણ એ અર્થમાં નહીં કે એનું કદ પા પરિણામ અતિ અલ્પ છે. પ્રકૃતિવાદીએ મૂળ એક પ્રકૃતિ માનીને પણ તેનામાં એટલી બધી સર્જકશક્તિ માની છે કે જેથી તે વિશ્વવિષ્ય મા અશ્વ ખનો પૂરો ખુલાસો આપી શકે છે. અને યાદની સર્જનપ્રક્રિયાની તુલના અહીં ઉપર મસ્થિત બે ભૌતિક યાદોની સર્જનપ્રક્રિયાને લઇ ટૂંકમાં સરખામણી કરીએ તો બન્નેના દૃષ્ટિકોણ સમજવામાં સરળતા થાય. દરેક અણુવાદી એમ માને છે. કે પરમાણુઓના નાનામોટા સમુદાય દ્વારા છેવટે ઈન્દ્રયગમ્ય બની શકે એવી ભૌતિક સષ્ટિ નિર્માણ થાય છે; જ્યારે પ્રકૃતિવાદી એમ માને છે કે અણુવાદીઓનાં પરમાણુ દ્રવ્યો કે એના સ્કંધો, એ તો પ્રકૃતિના સર્જન વ્યાપારનો એક ભાગ છે, અને તેં પશુ બહુ આગળ જતાં આવે છે. પહેલાં તો પ્રકૃતિમાંથી જે સર્જન ચાપ છે, તે શાક કોટિનું યા ાનપક્ષીય દોષ છે. પ્રાથમિક સન્માં જીવાત્મા દ્વારા જે સુખ, બ, જ્ઞાન ઇચ્છા આદિ સ્પર્ધવ ભાવી અનુભવાય છે, તે અસ્તિત્વમાં આવે છે, અને ક્રમેક્રમે તેમાંથી જ્ઞાન મેળવનારી અને જ્ઞાનને વ્યવાર્ય બનાવનારી શક્તિઓ યા ઇન્દ્રિયો રચાય છે. આ જ્ઞાતૃ, આ જ્ઞાનસાધન અને જ્ઞાનનું વાહન એ ત્રિવર્ગ રચાય ત્યારે જ સૂક્ષ્મ-સ્થૂળ ૧૯ અપ્રિલ ૧૯પર ભૌતિક સૃષ્ટિના આર્વિભાવનો કાળ આવે છે: પહેલાં જ્ઞાતૃ યા નાયકપક્ષીય સૃષ્ટિ; અને પછી જ્ઞેય યા ઉપભોગ્ય સૃષ્ટિ. અણવાદી સર્જનપ્રક્રિયામાં આવું કાંઈ નથી. તેમાં નો પ્રથમથી જ ય યા ઉપભોગ્ય સૃષ્ટિ રચતી. મનાય છે, અને કોઈ પણ અવસ્થામાં પરમાણુઓની બનેલી સૃષ્ટિ નાયકપક્ષમાં પડતી જ નથી. ગામ વાદી સર્જનપ્રક્રિયા પ્રારંભથી અંત સુધી ભોંગ મહિના ઉત્પાદનવિનાશનો જ વિચાર કરે છે ત્યારે પ્રકૃતિવાદી સર્જનપ્રક્રિયા પ્રથમ જ્ઞાતા યા ભોક્તાના સર્જનને લગતો વ્યાપાર વટાવી ત્યાર બાદ ભૌગ્ય સુષ્ટિનો વિચાર ઘાયે છે. આ મૌલિક ભેદ ઉપરથી એમ લાગે છે કે કદાચ તત્ત્વજ્ઞાનની કોઈ પ્રાચીન અવસ્થામાં એક પરંપરાએ મુખ્યપણે બહિર્મુખ થઈ સુષ્ટિનો વિચાર પ્રારંભો, અને અંતે પરમાણુ સુધી તે ગયો; જ્યારે બીન પરંપરાએ અતર્મુખ થઈ એ વિચાર પ્રારંભ્યો. અને છેવટે તે સ્થળ વિશ્વના સર્જનને ઘટાવવામાં વિો, આ ભેદ જોતાં અને આગળ ઉપર જે જીવતત્ત્વ વિશે વિચાર ખેડાતો ગયો તે જોતાં, એમ લાગે છે કે પ્રથમ અણવાદી ચાાં જીવનતત્ત્વ તો પોતે માનેલાં બોનિક તત્ત્વોમાંથી જ ધરાવ્યું: ચૈતન્ય યા ફ્થન, એ ભૌતિક તત્ત્વોથી ખાસ સ્વતંત્ર નથી. પણ ભૌતિક તત્ત્વોનાં વિવિધ મિશ્રણોમાં જે મિશ્રણો શરીર આકાર ધારણ કરે અને સેન્દ્રિય અને તે મિશ્રણોનાં સુખદુઃખ આદિની લાગણી જેવું જ ન પ્રગટે, પણ બીજા ણવાદી પક્ષોમ્બે તેથી જુદા પડી એમ કહ્યું કે અસિ એ તો ભોગ્યસૃષ્ટિ છે, અને જે ભોગ્ય હોય તેનો કોઈ ભોક્તા ચેતન હોયો જ જોઈએ. આ દલીલને આધારે તેમણે બધાએ ભોળાનું યા છાનું અસ્તિત્વ સ્વતંત્ર માન્યું. કારણ કે એમની સર્જનપ્રક્રિયામાં મૂળ પાયારૂપે તો પરમાણુઓ જ હતા; અને તેમાં તેમણે ચૈતન્ય સ્વીકાર્યું ન હતું, તેમ જ ચૈતન્ય પ્રગટ થાય એવી ચાર્વાકસમત શક્તિ પણ સ્વીકારી ન હતી. આથી કરું પ્રકૃતિવાદની સર્જનપ્રપ્રક્રિયામાં દેખાય છે એ પ્રક્રિયા પ્રમાણે માન સુખદુઃખ, ઇચ્છા આદિ સ્વસંવેદ્ય મનોગત ભાવો એ તો પ્રકૃતિના સર્જનક્રમમાં ભાવિવિ પામતાં, પહેલા જ તબક્કે. અસ્તિત્વમાં આવે. તેથી શરૂઆતના વખતમાં પ્રકૃતિવાદીને પણ કદાચ પ્રકૃતિથી ભિન્ન એવા ચેતન તત્ત્વની કલ્પના કરવી નહીં પડી હોય. અને જ્યારે એ પના કરવી પડી ત્યારે પ્રકૃતિવાદીને ચેતન સાથે પ્રકૃત્તિનો મેળ બેસાડવામાં અને પ્રકૃતિના બુદ્ધિ, જ્ઞાનેન્દ્રિય
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy