SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ માર્ચ ૧૫૦ ગુર દુઃખિત વચન ભાગ્યનો દોષ કાઢી, સુજ્ઞ આત્માઓએ સમભાવમાં સ્થિર રહેવું જ ઈષ્ટ છે. આથી કવિના પુણ્યપ્રકોપનો પારો શીધ્ર ઊતરવા માંડે છે, ને પછી વદે છે કે (૧૮) અરે ! અરે ! મારા શિષ્યોને શા માટે દોષ દેવો જોઈએ? દોષ ખરેખર જે કોઈનો હોય તો મારા તથા પ્રકારના પૂર્વત કર્મનો જ છે. જે એવું સમજતા જ હતા તો પછી શા માટે સ્વઘરની વાત જાહેર મૂકી શિષ્ય ગુરુ બંનેની પ્રતિષ્ઠાને ક્ષતિ પહોંચાડે તેવી વાતો કરી, શા માટે કષાયાધીન બન્યા? તેનો જવાબ આપતાં કહે છે કે – મારામાં બેઠેલા ભદ્રક ભાવે જ મારી જીદ્વાને બોલવા માટે પ્રેરણા કરી છે. (૧૯) અંતિમ પદ્યમાં કવિ, સ્વનામોલ્લેખ કરીને કહે છે કે, મેં મારી સ્વેચ્છાથીજ રાધનપુરમાં (ઉત્તર ગુજરાત) રહીને મારી આંતરિક પરિસ્થિતિને આ કાવ્ય દ્વારા પ્રગટ કરી છે. નોંધ : સંરકત કાવ્યના જ ભાવને સંક્ષેપમાં રજૂ કરતું કવિનું લધુ ભાષાકાવ્ય. ચેલા નહીં તઉ મ કરલે ચિંતા, દોસઈ ઘણે ચેલે પણ દકખ; સંતાન કમિ હુયા શિષ્ય બહુલા પણિ સમયસુંદર ન પાયઉ સુખ કઈ મુયા ગયા પણિ કે, કેઈ જયા રહઈ પરદેશ; પાસિ રહઈ તે પાંડન જાણુઈ, કહિથઈ ઘણુઉ ત થાયઈ કિલેસ. જેઠ ઘણી વિસ્તરી જગત મઈ, પ્રસિદ્ધિ થઈ પાતસાહ પર્યત; પણિ એકણિ વાત રહી અકૃતિ, ન કિય કિણ ચલઈ નિશ્ચિત. સમયસુંદર કહઈ સાંભલિજ્યો, દેતઉ નહી હું ચેલાં દોસ; જિન આણ ન પલી જમંતરિ, તઉ શિવાં દિસિ સિઉ કરૂ સોસ, સમયસુંદર કહઈ કર જેહિ, કીપરલા સુણિજે અરદાસ; મનોરથ એક ધરું છું ધુમ ઉ; એ તૂ પૂરિ અહારી આસ. અllસક જૈનયુગની માલિકી અને તેને અંગેની અન્ય માહિતી રજીસ્ટ્રેશન ઓફ ન્યુઝપેપર (સેન્ટ્રલ) રૂલ્સ ૧૯૫૬ અન્વયે ૧ પ્રકાશન સ્થળ : શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ ગોડીજી બીલિંગ; ૨૦, પાયધૂની, કાલબાદેવી રોડ, મુંબઈ ૨. ૨ પ્રકાશન સમય : માસિક ૩ મુદ્રકનું નામ : શ્રી માણેકલાલ ડી. મોદી રાષ્ટ્રિયતા : ભારતીય સરનામું : શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ, ૨૦, પાયધુની, મુંબઈ ૨ ૪ પ્રકાશકનું નામ : શ્રી માણેકલાલ ડી. મોદી રાષ્ટ્રિયતા : ભારતીય સરનામું : શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ, ૨૦, પાયધુની, મુંબઈ ૨. ૫ તંત્રીનું નામ : (૧) શ્રી સોહનલાલ મદનસિંહ કોઠારી, બી.એ., બી.કૉમ. સી.એ. (ઇંગ્લંડ) (૨) શ્રી જયંતિલાલ રતનચંદ શાહ, બી. એ., બી. કોમ (લંડન). રાષ્ટ્રીયતા : ભારતીય સરનામું : શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ, ૨૦, પાયધુની, મુંબઈ ૨. ૬ માલિકનું નામ : શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ સરનામું : ગોડીજી બિડિગ; ૨૦, પાયધુની, કાલબાદેવી રોડ, મુંબઈ ૨. હું માણેકલાલ ડી. મોદી આથી જાહેર કરું છું કે ઉપર આપેલી વિગતો મારી જાણ અને માન્યતા તદ્દન સાચી છે. તા. ૧-૩-૧૯૫૯ માણેકલાલ ડી. મોદી પ્ર કા શ ક
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy