________________
Shri Mahavir Jain Aradhana Kendra
સંસ્કૃત નાટકોમાં વાસ્તુશાસ્ત્ર
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनेन गङ्गातरङ्गसश्रीकेण स्फटिकमणिसोपानेनारोहतु ।
આ ભવન પ્રદોષ કાળમાં ખૂબ જ રમણીય તેમજ મનમોહક લાગતું હતું. પ્રયોષાવસરરમળીય મહિત્મ્યમ્ । આ ભવનની છત ઉપરથી ચંદ્રમા અત્યંત સ્પષ્ટ દેખાતો હતો આથી વ્રતના દિવસોમાં રાણીઓ આ ભવનની છત ઉપરથી ચંદ્રમાનાં દર્શન કરતી હતી.
मणिहर्म्यपृष्ठे सुदर्शनश्चन्द्र । तत्र संनिहितेन देवेन प्रतिपालयितुमिच्छामि यावद्रोहिणी इति ।
પી.કે. આચાર્યના મત મુજબ આની વ્યાખ્યા આ પ્રમાણે છે. “એક માળનું એક સ્ફટિકભવન, રત્નથી
જડેલો પ્રાસાદ’.
૧૯
વિમાનછન્દૂક
આ ભવનનો ઉલ્લેખ વિક્રમોર્વશીયમ્ નાટકમાં તેમ જ વાસ્તુશાસ્ત્રના ગ્રંથોમાં વિશ્વકર્માંપ્રકાશ અને બૃહત્સંહિતામાં પ્રાપ્ત થાય છે.
૮.
સંસ્કૃત વાડ્યમ કોશમાં આ ભવનને જાળીદાર બારીઓ તથા એકવીસ હાથના વિસ્તારવાળું કહ્યું છે. નાટકમાં આ ભવનને જનશૂન્ય વિમાનછન્દ નામનો પ્રાસાદ કહ્યો છે.
तावदेतस्मिन्विरलजनसंपाते विमानपरिच्छन्दपरिसरे स्थास्यामि ।
વિશ્વકર્માપ્રકાશના પ્રાસાદવિધાન નામના છઠ્ઠા અધ્યાયમાં આ ભવનને અનેક શિખરોવાળું કહેલ છે. જેમકે
विमानच्छन्दकं तद्वदनेकशिखरानतः ||३
બૃહત્સંહિતાના પ્રાસાદલક્ષણાધ્યાયમાં આ પ્રમાણે વર્ણવેલ છે. जालगवाक्ष युक्तो विमानसंज्ञः ॥ ४ બૃહત્સંહિતા તેમજ વિશ્વકર્માપ્રકાશમાં જે વીસ પ્રાસાદોનાં નામ આપેલાં છે તેમાંનો આ એક છે. મેઘપ્રતિછન્દ
આ પણ અન્ય પ્રાસાદોની જેમ એક વિશિષ્ટ પ્રાસાદ છે. માનસારમાં થોડું ભિન્ન છે. તે મેઘકાન્તથી
વિક્રમોર્વશીયમ્, ગર્લ્સ ૩ (‘પ્રાજ્ઞ’ સંસ્કૃત-હિન્દી ક્યારણ્યોપેતમ્), શ્રી રામચંદ્ર મિશ્ર, ચૌલમ્મા સમરમારતી પ્રાણન, પો.વો. સં. ૨૩૮, વરાળ, ૨૨૨૦૦૨, ચતુર્ય સંરળ, ૨૨૮૨, પૃ. ૨૦૨
એજન
૯.
૧૦. એજન, પૃ. ૧૦૦
૧૧. સંસ્કૃત વાડ્મય જોશ (રિમાળ લન્ડ પૂર્વાર્ધ), ડૉ. શ્રીધર મારી વર્ખેર, મારતીય માવા પરિવવ, દ્દ- શેક્સપીયર સરળી,
कलकत्ता ७०००१७, पृ. ३०१
૧૨. વિક્રમોર્વશીયમ્, અત્ત ૨, પૃ. રૂ૪
૧૩. વિરવાંપ્રધારા, ૪. ૬-૮૭ - હેમરાન શ્રીકૃષ્ણવાસ, શ્રી વેંટેશ્વર પ્રેસ, મુંવ-૪
૧૪.ગૃહત્સંહિતા (દ્વિતીયો માઃ), ૬. ૧-૨૨, સં. અવવિહારના ત્રિપાડી, વારાળી વિવવિદ્યાય, વારાળી, પૃ. ૬૭૨
For Private and Personal Use Only