SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra પાણિનીય તન્ત્રમાં આગમવિધાન www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭ ભાષ્યકાર અહીં પૂર્વોક્ત શંકાને દૂર કરવા પત્તન । પરિભાષાનું પણ આશ્રણ કરીને સમાધાન આપી શક્યા હોત. એટલે કે રેસ્કય । ૭-૧-૫૩ની અપ્રવૃત્તિ અહેર કરી શકયા હોય, પણ એમણે તેવું નહીં કરતાં, સત્ત્તતૌ વિપ્રતિષેષે । એવી પરિભાષાનું આશ્રયણ કર્યું છે. તેથી એવું સૂચિત થાય છે કે જ્યાં ધ્વનિન॰ । સૂત્રની પ્રવૃત્તિ કરવામાં આવે છે ત્યાં નિર્વિશ્યમાન । પરિભાષા કામે લગાડી શકાતી નહીં હોય. ઉપસંહાર For Private and Personal Use Only યાનમાસ્ત-મુળીભૂત સ્તવ્યબેન વૃદ્ઘત્તે । એવી પરિભાષાને વિષે નાગેશ ભટ્ટે જે ઊહાપોહ કર્યો છે તેમાંથી નિષ્કર્ષ રૂપે પાંચેક મુદ્દા આ પ્રમાણે તારવી શકાય : (૧) આગમ આગમીનો અવયવ બનીને રહે છે; આથી આગમી ગ્રહણના પ્રસંગે આગમસહિતના (જ) આગમીનું ગ્રહણ થાય છે. (૨) અલબત્ત, આ પરિભાષાવચન અનિત્ય છે. તેથી જ્યાં ઈસિદ્ધિ કરવી હોય ત્યાં જ આ પરિભાષાવચન કામે લગાડવું. (૩) આ પરિભાષાવચન લોક ન્યાયસિદ્ધ અને સૂત્રશાષિત છે. (૪) પાર્શિનીય તંત્રમાં આગવિધાન માટેનાં સૂત્રો છે, પણ શબ્દનિત્યત્વની રક્ષા કરવા માટે ‘અનાગમકના સ્થાનમાં સાગમ આદેશો થાય છે' એવું માનવામાં આવે છે. (૫) પ્રસ્તુત પરિભાષા વધુ ગમ વિધાનના સંદર્ભોમાં આનુમાનિક સ્થાન્યાદેશ ભાવ માન્યો હોવાથી ત્યાં સ્થાનિવત્॰ । સૂત્રની પ્રવૃત્તિ કરી શકાતી નથી.
SR No.536137
Book TitleSwadhyay 1998 Vol 35 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1998
Total Pages131
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy