SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . અભાગણું હું રવ નાશ પામી ! મેં છેતરપીંડી માટે કહ્યું હતું. આ તેણી સંપૂર્ણ પણે દશ્યમાન છે. તેથી હું છેતરાઈ છું. શું થઈ શકે ? '૩૦ આ ક્ષણે મન્ની વીરસિંહ જે ગર્જનનગરની જીત માટે ગયેલા રુચિકની સાથે હતા તે આવી પહોંચે છે. વીરસિહ રાજને અને મત્રોને માહિતી આપે છે કે રુચિકે વિરોધીને મારી નાખ્યા હતા અને આમ તેણે રાજાને સમુદ્રરૂપમાં ૧ કટિમેખલાથી ઊંટળાયેલી પૃથ્વીને રાજા બનાવ્યો હતે. મન્ચીને એ પ્રશ્ન કે તેઓ (રાજ) બીજા કયા ઉપકારની તેની પાસેથી અપેક્ષા રાખે છે, તેના જવાબમાં રાજા કહે છે કે તે રાણીના ઔદાર્યની અનુમતિથી સંપૂર્ણ રીતે તેમજ પ્રેમિકાની પ્રાપ્તિથી અને પૃથ્વીને એકછત્ર નીચે આણવાથી સંતુષ્ટ હતો જો કે તે એક્ર બહુશ્રુત વિદ્વાન કવિને પોતાના પડખે રાખવાની ઈચ્છા વ્યક્ત કરે છે. બિહણની નિરૂપણ શૈલી વિષે પ્રોફેસર ડો. એ. બી. કોથેકર નીચે પ્રમાણેની ટીકા કરી છે. “મુખ્યત્વે કરીને બિલ્ડણનું નિરૂપણું સરળ અને સ્પષ્ટ છે. તે વર્ણાનુપ્રાસ અને વધારે સાદી શબ્દ ચમત્કાનથી સ્વતઃ પરિપૂર્ણ છે. નિયમે કરીને તે લાંબા સમાસને વજર્ય કરે છે, અને તે સિદ્ધાન્તથી પ્રશસ્ત પણ મુખ્યતવે અમલમાં ઉપેક્ષિત દિલ્મ રીતિને એક તદ્દન તાર્કિક રીતે સચોટ દાખલ છે. ” રસનિષ્પત્તિ વિષે એમ સરળતાથી જોઈ શકાય છે કે પ્રધાન રસ વિપ્રલમ્મ શુંગાર છે જે પ્રેમીઓના મનમાં પરિણમે છે. આ નાટિકામાં કવિત્વ શકિતના બેહદ પ્રદશનને લીધ ( સમગ્રતયા ૧૫૭) ચરિત્ર ચિત્રણ ડું ઝાંખું છે. એ નોંધપાત્ર છે કે નાયક (અર્થાત્ રાજા કર્ણરાજ ) એવી પ્રેમોન્મત્ત વ્યક્તિ જે પિતાની પ્રેયસીને મેળવવા સિવાય બીજા કશાનું ધ્યાન રાખ નથી તેવો રજૂ કરવામાં આવ્યો છે. આ નાટકમાંથી રાજાના માનસિક, શારીરિક કે આધ્યાત્મિક સગુણે વિષે કોઈ મત બાંધી શકાય તેમ નથી. આમ તેનું ચરિત્રચિત્રણ અપૂર્ણ છે. તે જ પ્રમાણે નાયિકા (કર્ણસુન્દરી)ના દૈહિક આકર્ષણને ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અને તેની સખીએ રચેલા લોકઠયની તેણી દ્વારા કદર કરવામાં આવેલી હોવાનું સૂચન તેણુને કાવ્યશાસ્ત્ર અને ઉપનિષદ એટલે કે તેણીના વિદ્યાવ્યાસંગને ३० (आत्मगतम् ) हा, हतास्मि मन्दभागिनी। मया कथितमेव कैतवमिति प्रत्यक्षं सैव एषेति । तद्वञ्चितास्मि । किं क्रियते । 31 સરખાવો ગાતાર વિનોનવનયશેળીયા सोन्मादामरसुन्दरीभुजलतासंसक्तकण्ठग्रहम् । कृत्वा गर्जनकाधिराजमधुना त्वं भूरिरत्नाकुर छायाबिच्छुरिताम्बुराशिरशनादाम्नः पृथिव्याः पतिः ॥ ४.२२ ક૨ જ આ ધ હેરિટેજ ઓફ ઈન્ડિયા સીરીઝ, “કલાસિકલ સંસ્કૃત લિટરેચર', એસેસિએશન પ્રેસ, પ રસેલ દૂર, કેલકા, ૧૯૨૯, પાન ૬૬. For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy