SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir ગુજરાતનાં સંસ્કૃત નાટકોનાં કેટલાંક વિશેષ લક્ષણે સાધુ દેવસૂરિ અને દિગબર સાધુ કુમુદચન્દ્ર વચ્ચે જાઈ હતી જેમાં કુમુદચન્દ્રને પરાજય થયે હતો, અર્થાત તેમનું મુખ “મુદ્રિત '=બંધ થઈ ગયું હતું. આ નવું અને સમકાલિક કથાવસ્તુ નાટકમાં વણી લેવાયું છે. આ પ્રસંગે, કહેવાય છે કે, આચાર્ય હેમચન્દ્ર કે જે તે વખતે છત્રીસ વર્ષના હતા તે અને કવિ શ્રીપાલ બને આ ચર્ચા દરમ્યાન ઉપસ્થિત હતા. કવિ શ્રીપાલે પણ મહવને ભાગ ભજવ્યું હતું. સિદ્ધરાજના દરબારનું ઐતિહાસિક વર્ણન પણ કથાવસ્તુને મહત્વને અંશ છે. એ જ રીતે વશર્જનું “રાજીમતીપ્રબોધ’ પશુ અર્ધ-એતિહાસિક અને કદાચ અર્ધ-રૂપકાત્મક (allegorical ) કૃતિ છે. 'કવળ નામમાત્રથી જ આપણી જાણમાં રહેલું દેવચન્દ્રનું “માનમુદ્રાભંજન ' પણ રૂપકાત્મક કૃતિ હેવા સંભવ છે. એવું જ વદાસનું ‘મિશ્યાજ્ઞાનખંડન ' જાણવું. યશ:પાલનું મેહરાજપરાજય' અર્ધરૂપકાત્મક છે. આ નાટયકૃતિ અજયપાલના શાસન (વિ. સ. ૧૨૨૯વિ. સં. ૧૨૩૨ ) દરમ્યાનની છે. અજયપાલ કુમારપાલ પછી ગાદીએ બેઠા હતા અને આ કૃતિ થારાપદ્ર ( આજનું “ થરા ' ગમ)માં યાત્રા મહોત્સવ દરમ્યાન ત્યાં કુમારવિહારમાં ભજવાઈ હતી. આ કૃતિમાં આચાર્ય હેમચન્દ્રની હાજરીમાં થયેલ કુમારપાળનાં કપાસુંદરી સાથેનાં લગ્નનું વસ્તુ છે. કપાસુંદરી તે ધર્મરાજ અને વિરતિની દીકરી છે અને તે પાત્ર રૂપકાત્મક છે. રજુઆતને દિવસ તે મૃગશીર્ષ ( માગશર) માસના શુકલ પક્ષની બીજ, વિ સં. ૧૨૧૬. આ બીજને દિવસે કુમારપાળ જિન–શાસનમાં દીક્ષિત થયા હતા. આ કૃતિમાં પણ ** પ્રબોધચન્દ્રોદય' જેવું જ આયોજન છે. આ કૃતિમાં કુટેવોને, અર્થાત્ વ્યસનને ઈતિહાસ પણ આલેખાયો છે. ચાવડાઓએ મદિરા પીવાના સેવનથી નાશ ને તેવું નિરૂપણ કરાયું છે. નાટચકાર એમ માને છે કે ગણુકાસેવન મદિરાપાન કરતાં ઓછું નુકશાન કરે છે. હવે ગુજરાતની સંસ્કૃત નાટયકૃતિઓનાં કેટલાંક સાવ નવા જ લક્ષણે આપણે વિચારીશું. * સત્વહરિશ્ચંદ્ર' નાટકની ભૂમિકામાં રામચન્દ્ર કવિએ એક વિગતને ઉલ્લેખ કર્યો છે. તે પ્રમાણે તે જમાનામાં જુદી જુદી નાટયમંડળીઓ વચ્ચે તીવ્ર સ્પર્ધા પ્રવર્તતી હતી. એક નટ સુત્રધારને જણાવે છે કે,–“માય, સ ગુમતિપૂર્વી સfસપાનામાં નવ ગઇ, મવતો નિષિw, afમ કa૫મળ્યતા” આ ઈષ્યને ભાવ “ દ્રૌપદી સ્વયંવર'માં પણ જોવા મળે છે. જેમાં પારિપાર્શ્વક સૂત્રધારને જણાવે છે , તેઓએ જે નાટ૫કૃતિની રજૂઆત વિચારી છે તેને જ રાજાની ખુશી માટે ભજવવાનું બીજાઓએ આરહ્યું છે. પણ તેને સુત્રધાર હૈયાધારણ આપે છે:-- पारिपार्श्वकः - नरेन्द्रमनआनन्दाय यदत्यद्भुतं करणं युष्याभिर्ममाज्ञप्तं तवपरैरपि कपटधटनानिपुणे तितुं प्रारब्धम् । तत् किं मया कर्तव्यम् ? सूत्रधार :-न खल बहुभिरप्याखुचर्मभिः सिन्धुराधिगजबन्धननिमित्तं दाम निगड्यते । न खलु गगनाङ्गणावगाहसंभूताभियोगैगंणनातिगैरपि खद्योतस्तिमिरमलिनभुवननिर्मलीकरणकमठस्य વર્ષfક્ષાઃ જર્મ નિયતે I તરd નિતા For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy