SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ગુજરાતનાં સંસ્કૃત નાટકોનાં કેટલાંક વિશેષ લક્ષણા તપસ્વી શ, નાન્દી ગુજરાતે સંસ્કૃત નાટયસાહિત્યનાં ક્ષેત્રમાં ઇયત્તા અને ઈદક્તાની દષ્ટિએ વિપુલ પ્રદાન કર્યું. અનેક નાટ્યકૃતિઓનાં આપણને નામેા-નિર્દે શા સાંપડે છે. આમાંની કેટલીક નાટ્યકૃતિને તે આપણુંતે નામમાત્રથી જ પરિચય છે. આ નાટયચનાઓમાં કેટલીકનુ” કથાવસ્તુ રામાયણ તથા મહાભારત ઉપર આધારિત છે, જ્યારે કેટલીક સાવ નૂતન કથાવસ્તુવાળી ‘ પ્રકરણ' પ્રકારના રૂપકની રચનાએ પગ છે. વળી અન્ય કેટલીક ઐતિહાસિક અથવા અર્ધ-એતિહા સક કથાવસ્તુવાળી પણું જણુાય છે, જેને આપણે Allegorical-રૂપકાત્મક પ્રકારનાં કહીએ એવા નાટકો પણ અહીં જોવા મળે છે તથા જેને છાયાનાટક' કહે છે એવે! પ્રકાર પણ પ્રાપ્ત થાય છે. આ રીતે ગુજરાતમાંથી પ્રાપ્ય થતી સંસ્કૃત નાટઘરચનાઓમાં “ વસ્તુગત વૈવિધ્ય ' એ સૌથી પહેલુ ધ્યાનાર્હ લક્ષણ Acharya Shri Kailassagarsuri Gyanmandir આ પી * સ્વરૂપવિષ્ણુ ’એ. બીજું ધ્યાનમાં આવતું લક્ષણ છે. આપણી પાસે નાટક ', ‘ પ્રકરણ ', ' બાયોગ ', ‘નાટિકા ’~એ ચાર જાણીતા રૂપક-પ્રકાશ ઉપરાન્ત ‘ છાયાનાટક’ પશુ પ્રાપ્ત થાય છે જેને ડૉ. સુશીલકુમાર ≥ “ irregular type ’'–‘ અનિયમિત પ્રકાર ' કહે છે. એ વન માપણા ચિત્તમાં સ્પષ્ટ હોવી જોઇએ કે જ્યારે આપણે ‘ગુજરાત ’એવા સદર્ભ આપીએ છીએ ત્યારે આપણને ભારતના એ પ્રદેશવિશેષા અભિપ્રેત છે કે જે, જે-તે સમયમાં ‘ આનર્ત ’,· સુરાષ્ટ્ર અને • લાટ –એ નામે ઓળખાતા હતા. આ પ્રદેશને ‘ ગુજરાત ' એવું ભેગુ` નામ કારે અપાયું તે આપણી જાણમાં નથી. જૂનાગઢના શિલાલેખે રુદ્રદામન અને સ્કન્દવર્માના-સુંદર કાવ્યમય ગદ્યનાં ઉદાહરણો છે. વલભીની તામ્રપટ્ટિકામાં પણ સુંદર કાવ્યમય લખાણુ છે. ચાવડાઓના સમયથી પાટણ ગુજરાતની રાજધાની બની. ચાલુકયો અથવા સાલકીના સમયમાં આ રાજ્યને સૂર્ય ખૂબ તપ્યું! હતા. ત, કાવ્ય વગેરેના નિષ્ણાતેાના પરિસંવાદ આ પ્રદેશમાં ગોઠવાતા. પ્રો. ૨. છે. પરીખ * ‘ સ્વાધ્યાય', પુ. ૩૪, અંક ૧-૪, દીપાત્સવી, વસતપ’ચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, નવેમ્બર ૧૯૯૬-ઓગસ્ટ ૧૯૯૭, પૃ. ૫-૧૦. સંસ્કૃત વિભાગ, ભાષાવિદ્યાભવન, ગુજરાત યુનિ. અમદાવાદ–૯. ' વધુ વિસ્તૃત માહિતી માટે જુએ-નાન્દી તપસ્વી, ‘સ’સ્કૃત નાટકોના પરિચય', ત્રીજી આવૃત્તિ, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બે, અમદાવાદ. ૨ AIOC, ૬૧; કલાસિકલ વિભાગ; અધ્યક્ષસ્થાનેથી પ્રવચન. For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy