SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૦૨ www.kobatirth.org स्वयं गेहे लक्ष्मीरिव समुपलब्धा तव पुनविमोहादासीद्वा किमपि हृदयं तत्र विरसम् । स्वयं त्यक्ता कान्ता तव कथमिदानीं तु सुलभा विधौ कष्टं वामे विरम विरमारण्यरुदितात् ।। १७ ।। આ કુંજ તરફ જુએ એમ અનસૂયા કહે છે— એટલામાં અનસૂયાના પ્રવેશ થાય છે અને તે દુષ્યંતને કુટિર પાવન કરવાનું કહે છે એટલે દુષ્યંત પામી જાય છે કે વચનમંમ્બ્રિટોડમી યાત્ર"જ્ઞામવિવ્યન્તિ પછી તે ઉત્તરરામ/રતના છાયા અંકમાં જે કાય વાસતી કરે છે તે કઠેર કાર્ય અહીં અનસૂયાને ભાગે આવે છે. દુષ્ય તના ચિત્તને સંકોરવા ને કારવા એક હૃદયગમ પ્રસંગ લેખક અનસૂયાના મુખમાં મુકે છે. શાકુન્તલમાં નિર્દિષ્ટ પ્રસંગને લેખક અહીં સરસ શાર્દૂલવિક્રીડિતમાં છંદોબદ્ધ કરે છે. अस्मिन्नेव शकुन्तलासहचरः कुञ्जे त्वमासीस्तदा दीर्घापाङ्गमृगेण तेऽपरिचयात्पीतं न हस्ताज्जलम् । तस्मिन्नेव जले पुनः स्वकरयोः सख्या गृहीते स्वयं पानाय प्रणयः कृतः कमलिनीपत्रस्थिते सत्वरम् ॥ २० ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir અરવિદ હ. શૈષી અહીં હૃદયના તારને ઝંકૃત કરી દેતા દીર્ઘાપાંગ શૃંગ સાથે... પ્રસગ અનસૂયા છેડે છે ત્યારે છાયારૂપે રહેલી શકુન્તલા મનેમન ખાલે છે—આર્યપુત્ર, તા ત્યમિત્યં પ્રસિતોઽસિ । સર્વ: સાઘેશ્ विश्वसिति । द्वावप्यत्रारण्यकाविति । શાકુન્તલમાં પાંચમા અંકમાં રાજા આના ઉત્તરમાં કહે છે—વમાિિમશમાર્યનિવૃતિનીનામનુતમયવાદ્મમિરાવ્યો. ત્રિચિનઃ । ત્યારે અહીં અનસૂયા સમક્ષ રાજા કબૂલ કરે છે -- ' स्मारितोऽप्यस्य तदा शकुन्तलया न स्मृतवानहं मन्दबुद्धिः । For Private and Personal Use Only ડૉ. રાજેન્દ્ર નાણાવટી એમની પ્રસ્તાવનામાં ઉચિત રીતે જ નોંધે છે કે શાકુન્તલના પ્રસંગાનું આમ છાયા–સીતા-પ્રસંગના ઢાળામાં કરાયેલુ સંસ્મરણાત્મક આલેખન આ નાટિકાનું ઉત્કૃષ્ટ કલાશિખર છે. પછી અનસૂયા આશ્રમની વૃક્ષવાટિકામાં રાજાને લઈ જાય છે જ્યાં નેત્રને નિર્વાણુ આપનારુ· શકુન્તલાનું પ્રથમ દર્શીન થયું હતું. આ બધું જોઈ ને દુષ્યંત રડે છે ત્યારે શકુન્તલા મનેામન અનસૂયાને ઠપકો આપે છે કે તું આ પુત્રને શું કામ દુઃખી કરે છે? દુષ્યંતની આ દશાથી શકુન્તલા પણુ રડે છે. કૅરિયાદ કરવી બાજુએ રહી જાય અને આરપીના દુઃખે ફરિયાદી દુઃખી થાય એવી હૃદયસંવાદિતાના દર્શન અહીં થાય છે. શાપથી અજાણુ એવી અનસૂયા વિકલ થઈ પૂછી બેસે છે.થમિયમનાર્યમાવરિત વેવેન । રાજા શું કહે ? અનુવાદકની વાણીમાં જવાબ સાંભળીએ
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy