SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લીને પડયાં ` પરિશુદ્ધ કરવાનું કાર્ય આ સદેશદધિ દરમ્યાન થતું રહે છે. ખીજી તરફ મેનકા ઉપર દસ્ક્યુરાજ હુમલે કરીને તેનું અપહરણ કરવાના પ્રયત્ન કરે છે, એટલે વિશ્વામિત્ર તેને દસ્યુરાજથી બચવવાને પોતાના ધર્મ સમજીને મેનકાને બયાવી લે છે. મેનકાના વિશુદ્ધ ભાવે! જાણીને તેને સહધ ચારિણી તરીકે સ્વીકારે છે, પરિણામે સામાન્યજનામાં હાંસીપાત્ર ડરે છે. આથી પોતે વ. સષ્ઠની ચાલમાં જ ફસાયા છે એમ માનીને આખરી ફેસલે લાવવાની ઇચ્છાથી વિસને વધ કરવાના સંકલ્પ કરી તેના આશ્રામમાં પ્રવેશે છે, પરંતુ અરુંધતી અને સષ્ઠની વાતામાંથી વિરાના પોતાના પ્રત્યેના નિળ ભાવ જાણીને પશ્ચાત્તાપ અનુભવે છે. તામસી અને રાજસી પ્રકૃતિનાં લક્ષણા એગળી જવાથી અને બ્રહ્મષિ પદને માટે આવશ્યક સગુણા પ્રાપ્ત થવાથી વિશ્વામિત્ર બ્રહ્મ પદ પ્રાપ્ત કરે છે. દેશ અને વસિષ્ઠ પશુ તેને અનુમેદન આપે છે, સ્વયં ભગવાન નારાયણ, નારદ, ઇન્દ્ર અને પાંચ બ્રહ્મષિ એ બ્રહ્મષિ વાસના આશ્રમમાં . આવીને વિશ્વામિત્રને બ્રહ્મષિ પદથી નવાજે છે અને આમ સપ્તર્ષિ મડળમાં સાત ઋષિઓ થઇ જતાં સપ્તર્ષિ મંડળ પૂર્ણ બને છે. નાકનું વસ્તુ ઋગ્વેદના કાળથી વિશ્ન-વિશ્વામિત્રના સતી કથા સાહિત્યમાં ચાલતી આવેલી છે. રામાયણ, મહાભારત અને પુરાણમાં પણ તેનું વિવિધ સ્તરે નિરૂપણુ થયેલું છે, વસિ′--વિશ્વામિત્રતા સોંને વિવેચકોએ વિવિધ દૃષ્ટિબિંદુએથી અવલેાકયો છે. પૂર્ણ મિિષમંત્તમ્ નાટકમાં પણ આ જ સંધની કથા છે, પરંતુ કવિએ આખી કથાને બદલે વિશ્વામિત્ર-મેનકા પ્રસ’ગને અનુલક્ષીને જ કથા ગ્રંથી છે. તે ષિએ વચ્ચે થયેલા સક્ષના અન્ય સગામાંથી કેટલાક કયારેક થથા-અવકારા માત્ર ઉલ્લેખ જ થયો છે અને મેનકાપ્રસગ વિધાયિને બાંયપદની પ્રાપ્તિ થાય તે પહેલાંના અતિમ પ્રસંગ કલ્પીને નાટકની રચના થયેલી, તે એટલી હદ સુધી કે શકુંતલાના જન્મની ઘટના પણ હજી બાકી રહી છે. આ તો માત્ર કથાનું માળખું જ છે. કથાનું વસ્તુ તે બ્રહ્મત્વનાં લક્ષણા, બ્રહ્મત્વપ્રાપ્તિને માર્ગ અને બ્રહ્મત્વ માટેની ચેઝ્યતા વિશેનુ છે. આ નાટકમાં વસિષ્ડ–વિશ્વામિત્રને સંધ વણુ સંધ નથી, તેમ રાજકીય કે વિચારસરણીના સંઘ' પણ નથી, પરંતુ તે યેાગ્યાયોગ્યતાના સ છે. મૂળ કથામાં રહેલી બ્રહ્મત્વની તાત્ત્વિકતાને નાટચરૂપ આપવાને આ સહેતુક અને સફળ પ્રયાસ છે અને તેથી આ નાટકને એક વિશેષ પરિમાણુ પ્રાપ્ત થયું છે. નાટકની પાત્રસૃષ્ટિ: નાટકનાં પુરુષપાત્રામાં વિશ્વામિત્ર, વસિષ્ટ અને દેવર્ષિ નારદ મહત્વની ભૂમિકા ભજવે છે, ઈન્દ્ર અને નારાયણુ નાટકના અંત ભાગમાં રગભૂમિ ઉપર આવે છે, પરતુ સૂચિત પાત્રો તરીકે આખા નાટકમાં છવાયેલાં રહે છે. દસ્યુરાજની ભૂમિકા નાની છતાં નાટકને મરોડ આપવામાં મહત્ત્વની છે. ગૌણુ પત્રોમાં મેનકાની રક્ષાથે નિયુક્ત બે દેવપુરુષા, વસિષ્ઠ આશ્રમ નજીકના ખે ત્રણ બટુકો છે. સ્ત્રીપાત્રોમાં મુખ્ય ભૂમિકા મેનકાની છે. તેા સહાયક ભૂમિકામાં અરુંધતીપણુ નોંધપાત્ર છે. તે સિવાય અપ્સરાએના સમૂહની ભૂમિકા ધણી ઘેાડી છે. For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy