SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાસને નામે ચડેલી કૃતિ–વકલમ આધારે અને સર્વ પ્રથમ ગુજરાતમાંથી જ આ કૃતિનું પ્રકાશન થયું છે. તેથી આ નાટક એ સંસ્કૃત જ્ઞાનગરાને ગુજરાતનું પ્રદાન છે. હા, અહીં શ્રી શાસ્ત્રીજી એ ઉલલેખ કર્યો છે કે તેમને હસ્તપ્રતગ્રંથભંડાર તેમને વારાણસી અને અન્ય સ્થળોએથી મળેલી પ્રતથી સમૃદ્ધ થયો છે. પરંતુ તેમણે ઉપયોગમાં લીધેલી પ્રસ્તુત બે હસ્તપ્રતે તેમના ભંડારની હતી કે બહારથી ઉમેરાયેલી તેની સ્પષ્ટતા તેમણે કરી નથી. આ નાટકનાં બે પ્રવેમાં મળતાં બે નામોને નિર્દેશ આ પણે કર્યો. પ્રતાનો લેખનકાળ ત્યાં અનુક્રમે વિ. સં. ૧૭૨૭ અને ૧૮ ૫૯ છે. આથી ખાસ વિશેષ પ્રકાશ તેમણે પાંડવો નથી. આ કતિ સાત અંકની છે, છતાં ષષ્ઠાંક પછી સાતમા અંકને અને ઉલેખ આવે છે કે “ ઇતિ નિર્વહણાંક ષષ્ઠ:” અને ષષ્ઠાંક તે છે જ, તેથી આ કૃતિ ખરેખર સાત અંકની છે એ બાબત સંપાદકે માન્ય રાખી છે. સાત અંકોને કથાસંક્ષેપ આ કૃતિના છ અંકો વત્તા પકડ નિર્વહણાંક અથવા સપ્તમાંકની કથા સંક્ષેપમાં આ પ્રમાણે છે.' પ્રથમાં પુત્રોની પ્રાપ્તિથી પ્રસન્ન, વૃદ્ધ અને છતાં યુવાન અને તેજવી રાજા દશરથ પોતાની પ્રજાને સર્વ રીતે પ્રસન્ન રાખવા પ્રયત્નશીલ છે. તેની ત્રણેય રાણી અને સમાન આદરભાવ સાથે એકી વખતે, એક વખતે મળવાનું નકકી કરે છે. ત્યાં કૈકેયીની દાસી મંથરા કૈકેયીને વિશેષ આદર મળવાના નથી, તેથી તે નારાજ છે. આમ સંધર્ષનું એક બીજ રોપાય છે. દ્વિતીયાંક પ્રથમાંકના અનુસંધાનમાં રાજા દશરથ તેમની ત્રણ રાણીઓ સાથે વાતચીત કરે છે અને ત્યારે જ તેમના મનની મૂંઝવણ વ્યક્ત કરે છે. તેમની મૂંઝવણ એ છે કે તેમણે ત્રીજી રાણીની સાથે વિવાહ કર્યા ત્યારે તેને વચન આપ્યું હતું કે તેમના પછી તેમના રાજ્યના ઉત્તરાધિકારી કેકેયને પુત્ર બનશે. બીજી બાજુ સ ગુણે જોતાં તેમને જ્યેષ્ઠ પુત્ર રામ જ સર્વ કોલ્ડ અને તેમના રાજા તરીકે ઉત્તરાધિકારી થવા યોગ્ય જણાય છે. કોશલ્યાની તમન્ના છે કે તેને પુત્ર રામ રાજ બને. સુમિત્રા સુચન કરે છે કે રાજ્યના બે ભાગ કરી એક એક રામ અને ભરતને સોંપવામાં આવે. સાથે તે ઉમેરે છે કે તેના બે પુત્રો-લક્ષમણ અને શત્રુન બેઉ રાજાના રક્ષણહાર બનશે. રાજા વચનબદ્ધ હોવા છતાં કેકેયી સૂચન કરે છે કે દશરથરાજા તેમને જે શ્રેષ્ઠ લાગે તેને જ ઉત્તરાધિકારી તરીંક નક્કી કરે. સાથે તે પિતાના મનની મનોકામનાને પણ વાચા આપી દે છે. રાજને ( ૯ પ્રથમ અંકમાં પોતે વિવાહ સમયે કૈકેયીને આપેલા વચન અને રામની સર્વગુણસંપન્નતા જતાં તે જ રાજ્યના ઉત્તરાધિકારી થવા સોથી વધુ પાત્ર છે એવી પ્રતીતિ, આ બેની બાબતમાં દશરથ રાજાની મૂંઝવણ અને દ્વિધા અહીં કલાત્મક રીતે પ્રગટ કરી છે, ૭ અહીં નોંધપાત્ર એ છે કે કોલ્યા અને સુમિત્રાની સાથે, જેને રાજાએ વચન આપ્યું છે તે કકેયીનું પણ આભિજાત્ય પ્રથમ અને દ્વિતીય અંકમાં લેખકે સરસ રીતે પ્રગટ કર્યું છે. For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy