SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૮ રમેશ બેટાઈ તેવી છે. ” આ પછી તેઓ ઉમેરે છે કે –“ નાનાનેTTમરાલાસંસ્કૃતwથાત્ faઝચમા हस्तलिखित ग्रन्थभाण्डागारे द्वे पुस्तके एकस्यैव ग्रन्थस्य अस्मदृष्टिगोचरीभूते आस्ताम् , तयोरुभयोर्भाषाया अतिप्राचीनसंस्कृतत्वात् , वस्तुकल्पनाया: श्रेष्ठत्वात , रसभावालकारनाट्यानां मनोहरतमत्वात् , बाणादिवणितानेकसामान्यभासनाटकसंवादित्वात् च भासकृतमस्माभिः ર૪ મીતે.” ' અર્થાત , “ અનેકવિધ વિભિન્ન આગમોની શાખાઓમાં રચાયેલા સંસ્કૃત ગ્રંથે હસ્તલિખિત સ્વરૂપે ધરાવતા અમારા ગ્રંથભંડારમાં અમને એક જ ગ્રંથની બે હસ્તપ્રતો નજરે પડેલી હતી. આ બંનેય પ્રતાની ભાષા અતિપ્રાચીન સંસ્કૃત છે, તેના વસ્તુની કલ્પના કોષ્ઠ છે, તેનાં રસ, ભાવ, અલંકાર અને નાટયાંગો અંત મનોહર છે તે કારણે અને વળી બાણ વગેરેએ વર્ણવેલાં અનેક ભાસનાં નાટકો સાથે તેમનું સામ્ય છે–આ કારણોસર અમારી દૃઢ માન્યતા બંધાઇ છે કે આ નાટક ભાસનું રચેલું છે.” આ નાટક છે “ યજ્ઞનાટક” અથવા “યાફલનાટક '. આ નાટક તેમની નજરે કેવળ પરમેશ્વરની કૃપાથી ચડવું, તેનાથી તેમનું ચિત્ત અત્યન્ત પ્રસન્ન થયું, તેથી વિદ્વાનોના દર્શનાર્થે આજે પ્રગટ કર્યું છે. શાસ્ત્રીજીના આ હિંમતભર્યા વિધાનમાં, પોતે આ નાટકને ભાસનું રચેલું શા માટે માને છે તે બાબત તેમણે આટલી દલીલ કરી છે – ( 1 ) તેમને મળેલી બંને હસ્તપ્રતોની ભાષા અતિપ્રાચીન છે. (ii ) તેનું કથાવસ્તુ સર્વશ્રેષ્ઠ છે. ( i ) રસ, ભાવ, અલંકારો અને નાટયાંગોનું તેમાં અત્યન્ત મનહર નિરૂપણ છે. (iv) બાણ વગેરેએ જેની પ્રશસ્તિ કરી છે તે ભાસનાં અનેક સામાન્ય નાટકો સાથે આ નાટક સંવાદી છે. પિતાના આ મતને દઢ કરવા માટે તેમણે આ પછી કેટલીક આડકતરી દલીલ આપી છે. શાસ્ત્રીજીના મત પર વિદ્વાનોએ ઠીક ઠીક લખ્યું છે. પરન્તુ એ બધાની વિગતોમાં ઊતરવાને બદલે આપણે અહી કૃતિને પરિચય મેળવીએ અને તેનું મૂલ્યાંકન કરીએ એ જ વિશેષ યોગ્ય ગણાશે-આમ કરીએ ત્યારે “યજ્ઞફલમ”ની ગુણવત્તા બાબત શાસ્ત્રીજીએ જે આભપ્રાય આપ્યા છે, તેનું પરીક્ષણ પણ આપોઆપ થઈ જશે. આપણા માટે તે એ હકીકત ખાસ ખાસ મહત્વની છે કે ગેડક્તના પિતાના એટલે કે ગુજરાતના એક ગ્રંથભંડારમાંથી મળેલી હસ્તપ્રતોને ૩ પ્રાવજતથ્ય માં , ૨. ૪ જુઓ : તજ વાર યજ્ઞનાટક વેતિ પરમેશ્વરકૃપા કરમાઈમરવાવતિ प्रसीदच्चेतसो वयं विदुषां दर्शनायाद्य प्रकाशयामः । આના પરથી એ ફલિત થાય છે કે એક હસ્તપ્રતમાં આ નાટક યજ્ઞના વં તરીકે જાણીતુ છે, બીજીમાં યજ્ઞ& તરીકે-આ બંને નામે તેમને માન્ય છે. જો કે તેઓ સમગ્ર નાટકમાં તેને ચાર્જ તરીકે નિદેશે છે. ૫ પૃ. 5 પરમાવજતચં માં For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy