________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મજેશકર લાલશંકરે પડયા : સંસ્કૃત ઉપક્ષે પ્રદાન
૨૫
મરાઠી નાટકનું વિષયવસ્તુ પણ વિ. ૫. સાથે ઘણું સામ્ય ધરાવે છે, જો કે એ નાટકનું વરૂપ સંગીતનાટક જેવું છે અને તે સુખાન છે.
સંક્ષેપમાં, આ નાટકનું સ્વરૂપ જૂની ગુજરાતી રંગભૂમિ પર ભજવાતાં નાટકો જેવું છે. એમાં સંસ્કૃત નાટક અને શેકસપિયરના નાટકનાં લક્ષણોનું વિશિષ્ટ પ્રકારનું મિશ્રણ છે. જે કે સંસ્કૃત ભાષા ઉપરનું લેખકનું પ્રભુત્વ અહીં અવશ્ય નોંધવું પડે. કેટલાંક સુંદર શબ્દાંચ અને ઊર્મિસભર પદ્યો અહી મળે છે. પૂર્વ અને પશ્ચિમના મહાન સર્જકોની કૃતિઓના તલપશી અભ્યાસથી લેખકની કલમ કેળવાયેલી છે એની પ્રતીતિ આ નાટક કરાવે છે.
શ્રી ગજેન્દ્રશંકરે રચેલાં આઠ જેટલાં બીજાં પ્રહસનેમાં વૃદ્ધિમામ નામનું પાંચ અંકોનું હાસ્યપ્રધાન નાટક સહેજ વિગતે વિચારવા જેવું છે. લાંચરુશવતને પ્રમાણમાં અર્વાચીન વિષય એમાં નિરૂ પણ પામ્યો છે. વલભીપુરના રાજા જયદેવસિંહને માનીત અધિકારી કિરદાસ પિતાના બુદ્ધિ પ્રભાવથી રાજ્યના રુશવતખોર અધિકારીઓ અને કાળા બજારિયા વેપારીઓને પકડી પાડે છે. આને માટે એણે યોજેલી રમૂજપ્રદ યુત નાટકનું કેન્દ્ર છે. નાટકને સસ્પેન્સ છેવટ સુધી જળવાઈ રહે છે. પણ એમાં આલેખાયેલી પરિસ્થિતિ અને હાસ્ય Farcical સ્થૂળ પ્રહસનમાં બંધ બેસે તેવી વધારે છે. પ્રવદ્ધિમત્તા શીર્ષક ધરાવતા એકાંકીમાં સંતદાસ નામના સદ્દગૃહસ્થના મુખ શિરોમણિ પુત્રની મૂર્ખતાને કારણે ઉદભવતે ગોટાળા આલેખાયો છે. આ એકાંકીને હેતુ માત્ર સ્થળ હાસ્ય પ્રેરવાને લાગે છે. શીર્ષકમાં રહેલો કટાક્ષ આકર્ષક છે. સુમનશ્ચિમ્ નામના એકાંકીમાં વતર્યા અગમતા અતિથિઓને ટાળવા માટે પ્રયોજાતી યુક્તિઓનું હાસ્યજનક નિરૂપણ છે. એને ઉદ્દેશ પણ વર્તમાનયુગમાં ગૃહસ્થમાં દેખાતે આતિશ્યભાવનાને અભાવ વ્યંગપૂ રીતે આલેખવાનો લાગે છે. તેવોત્તમ: આધુનિક મનુષ્યની ધનઘેલછાને વર્ણવતો રમપ્રદ સંવાદ માત્ર છે. એમાં અથર્વવેદને બીજા બધા વેદ કરતાં ચડિયાતા વેદ તરીક પ્રતિષ્ઠિત કરવામાં આવે છે. એનું સ્વરૂપ કોઈક પ્રકારના પ્રચાર માટે લખાયેલા રેડિયરૂપક જેવું છે. નાટકમાં અપેક્ષિત કાર્યની (અનીતિ ) એકાત્મકતાને અહીં અભાવ છે. નિયમનનું શીર્ષક
* સભાનું સુંદર ચિત્ર:
गतप्रायः सूयों गगनतलकण्ठाद्तपदः मखेनास्क्तेनामलकमलिनी चुम्बितुमनाः । अहो काश्मीराक्त जलधिमवगाहय प्रमुदितः
fક નાનોત્સવ તથતિનો નમુવામ | (અંક ૪, શ્લોક ૩) અથવા પ્રણયની સુકુમાર ઊર્મિનું આલેખન
बीजस्कन्धफलं विनाऽपि रसजं स्वादामतं लभ्यते यस्मिन् विस्मृतदु:खस्वभावनिखिलं संतुष्टमेतज्जगत् । संतापो हिमशैलशीतलतया नेतं न यः शक्यते વારાફ્ટ જજ તરસાકસી જીવેર જાતિવમ || ( અંક ૪, પાક ૧૦)
For Private and Personal Use Only