SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેધાવતરચિત પ્રકૃતિસૌંદર્યનાટકમ્ : પ્રકૃતિગીતિના? અજિત ઠાકોર અર્વાચીન સંસ્કૃત કવિ મેધાવત (ઈ. સ. ૧૮૯૩ થી ઈ. સ. ૧૯૪૧: મૂળ વતન : સેજિત્રા, તા. પેટલાદ, જિ. ખેડા. જન્મ: યેવતમાલ-ચેવલા મહારાષ્ટ્ર, કર્મભૂમિ : સુરત અને વડોદરા) રથિન વર્તાસૌદ્રર્થનાટકમ્ પ્રકૃતિસૌદર્યને કેન્દ્રિભૂત વિષય બનાવી રચાયેલું છ અંકનું નાટક છે. એની બે આવૃત્તિ થઈ છે. બીજી આવૃત્તિ પં. શ્રતબંધુ શાસ્ત્રોરચિત “માતાજીની માટીવા' સહિત પ્રસિદ્ધ નિર્ણયસાગર પ્રેસમાં સત્યવ્રત (મંત્રો આર્યસમાજ, યેવલા, નાસિક) દ્વારા ૧૯૩૩માં પ્રકાશિત થઈ છે. સંસ્કૃત સાહિત્યમાં ગીતિ ભાવગીતના અનેક ઉદાહરણો રામાયણમાં સીતાહરણ પછી રામવિલાપ, વિક્રમે વંશીયમાં ચોથા અંકમાં પુરુરવા પ્રલા૫, માલતી-માધવના નવમાં અંકમાં માધવન અને ઉત્તરરામચરિતના ત્રીજ અંકમાં રામને પ્રલા૫ આદિમાં જોઈ શકાય. કાલિદાસ-ભવભૂતિ જેવા નાટ્યકારોએ ભાવગીતિને નાથ્ય સાથે સંજી તેને ભાવગીતિનાટ્યરૂપે રૂપાંતરિત કરવાને પુરુષાર્થ કર્યો છે. એમણે સમગ્ર નાટયકૃતના એક સ્વાભાવિક, ક્રિયાશીલ અને અંતરંગ તરવરૂપે ભાવગીતિને નાટયને સંસ્પર્શ આપીને છે. જયદેવે જીતનોfધમાં રાધા-ક ગુની પ્રગતિને નાટ્યાત્મક સ્પર્શ આપવાનો પ્રયત્ન કર્યો. જો કે એ મુખ્યત્વે તો ગીતિકાવ્યરૂપે જ પ્રકટયું. ગીતિને નાટયરૂપ આપવાની પરંપરામાં કાલિદાસ–ભવભૂતિમાં ભાવગીતિ જોવા મળે છે. કેમ કે એમાં ભાવ કેન્દ્રમાં છે. એ પ્રણયભાવ નાયિકાના આલંબને પ્રકાતના પરિવેશમાં પ્રકટ થાય છે. ગીતનું બીજ સ્વરૂ૫ વસ્તુગીતિ-વિશેષતઃ પ્રકૃતિગીતિ-રૂપ હોય છે. એમાં પ્રકૃતિસૌંદર્ય ભાવમયરૂપે વર્ણવાય છે. કાલિદાસનું ત્રરંતુiટ્ટામ્ પ્રકૃતિગીતિ કાવ્યનું ઉદાહરણ છે. અહીં પ્રકૃતિ આલંબન તથા ઉદ્દીપન એમ બંને વિભાવો રૂપે જોવા મળે છે. જે કે ઋતુસંહારમાં પ્રકૃતિવન પ્રણયભાવને પુટ-સંપર્શ પામેલું છે. આ બધામાં મેધાવ્રતનું પ્રતિસૌવયંનાટયમ્ કાવ્યસ્વરૂપની દષ્ટિએ ખાસું જુદું પડે છે. અહીં હિમાલયની વિવિધ ઋતુ માં વિવિધ રૂ૫છટા પ્રકટાવતી પ્રકૃતિની ભાવમય રૂપાવલિ આલેખાઈ છે. એમાં નકર પ્રકતિસૌદર્યને હર્ષોલ્કર્ષ જ જોવા મળે છે. ઋતુસંહારની જેમ એ પ્રણય જેવા * વાદયાય', પૃ. ૩૪, અંક ૧-૪, દીપોત્સવી, વસંતપંચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, નબર ૧૯૯૬- ઓગસ્ટ ૧૯૪૭, ૫. ૨૭૩-૨૩૮. " સંસ્કૃત વિભાગ, સ, ૫. યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર સ્વા. ૩૦ For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy