________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતમાં સંસ્કૃત નાટક અને તેના વિવ
અઢારમા સંનિકટ-અનિકટ વિવર્તના રૂપની હોય (અને વળી સર્વદેશીયું નહીં પણું એકદેશીય ભાષામાં રચાયેલી હેય), તે એ રચનાઓ પેલા સંસ્કૃત રૂ૫ક સાહિત્યમાં કંઈક “મદાનું કરનારી ગણાય?
આ ચારે પ્રનોની પૂરી છણ્ણાવટ અહીં પ્રાપ્ત સ્થળકાળમાં શક્ય નથી. શિકાગે યુનિવર્સિટીના દક્ષિણ એશિયાઈ ભાષાઓ અને સંસ્કૃતિઓના વિભાગને પ્રો. શેલ્ડન પિલેકના નેતૃત્વમાં પૂરા થયેલા એક પ્રક૫ના ભાગરૂપે, ગુજરાતી સાહિત્ય પરના એ પ્રક૫ના એક દીર્ધ નિબંધમાં મેં આ પ્રશ્નો વીગતે આલેખ્યા-ચર્યા છે અને પુસ્તક રૂપે પ્રક૫ના સર્વ નિબંધો ઉપલબ્ધ થશે. એટલે મ. સ. યુનિવર્સિટીના પ્રાયવિદ્યામંદિરના પ્રે. રાજેન્દ્ર નાણાવટીના નેતૃત્વમાં સમ્પન્ન થતા આ પરિસંવાદને અંતે ઉચ્ચારાયેલા. આ લઘુવક્તવ્યમાં એ પ્રશ્નોની પ્રારંભિક ચર્ચા જ, સમયમર્યાદા જાળવાને, કરવી શક્ય બને છે.
અહીં નોંધેલા પ્રથમ ત્રણ પ્રશ્નના ઉત્તર આ પેપરમાં જ સુચવાયા છે. ગુજરદેશસ્થિત સંસ્કૃત નાટયકારો ગુજરદેશમાં જન્મ્યા હોય કે ન યે જગ્યા હોય, અન્ય પ્રદેશમાંથી પાકે ધોળકાની રાજ્યસભામાં કે મંત્રીશ્વરના સાહિત્યવર્તુળમાં આવ્યા હોય, એવું બન્યું છે, લેખક રૂપે વસ્તુપાળ, સોમેશ્વર, હરિહર વગેરે ગુર્જરદેશસ્થ લેખકે એ કદેશીય કે દેશી લેખકો ન ગણાય, સર્વદેશીય અને સંસ્કૃત ‘ખકો ગણાય. રૂપકસાહિત્યમાં એમણે કરેલું અર્પણ “ ગુજરાતી” લેખકનું, પ્રદેશવિશિષ્ટ સર્જક ચેતનાનું, અર્પણ ન ગણાય, કેમકે એ લેખકે ભરતેશ્વર બાહુબલી ઘર-કાર અને ભા. બા. રાસ-કારના સમય પછીના લેખક હોવા છતાં ગુજરાતી સાહિત્ય સાપેક્ષ લેખક નહોતા. સાહિત્ય એટલે સંસ્કૃત (પ્રાકૃત-અપભ્રંશ) એ અનેક દેશીયસર્વદેશીય સાહિત્યિક ભાષામાં રચાયેલી વાડમય કલાકૃતિઓ જ, એવી ૨૫દ સમજણુ ધરાવતા લેખક હતા, દેશીનિરપેક્ષ અને પ્રદેશ નિરપેક્ષ લેખ કે હતા. . . . .
એથે પ્રગ્ન, આ સંદર્ભે, ખૂબ મહત્વને પ્રશ્ન બને છે. એકદેશીય (ગુજરાતી) ભાષામાં જે લેખકે એ સાહિત્યરચના કરી, એવા પરંપરાભંજક લેખકોની એવી કૃતિઓ, અનેકદેશીય (સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ) ભાષાઓમાં પરંપરામાન્ય રીતે, કાવ્યશાસ્ત્રાજ્ઞા પ્રમાણે રચાયેલા સાહિત્યવિશ્વમાં કશું પ્રદાન કરનારી ગણાય? બીજી રીતે કહીએ તે દેશી સાહિત્ય અને સંસ્કૃત સાહિત્યકેવળ વિરોધની મુદ્રામાં જ એકમેક સામે ઊભાં છે ? “દેશી” એટલે “સંસકૃત 'ની જોહુકમીમાથી, એના “બ્રાહ્મણવાદ'માંથી, એની ઉચ્ચવગીયતામાંથી મુક્તિ, એમ જ ? “દેશી એટલે “ સંસ્કૃત' સામેનો વિદ્રોહ જ ?
. . . . . . .
કે “દેશી' એટલે સંસ્કૃત 'નું પરિવર્તનશીલ, વ્યાપનશીલ . સાતત્ય ? આ પરિસંવાદના વિષય સંદર્ભે ગુજરાતી ભાષામાં રચાયેલી રાસા, ઘર, પ્રબંધ, આખ્યાન, પદ્યવાર્તાપદમાળા, ગરબા, ભવાઈ આદિ સ્વરૂપની કૃતિઓને ગુજરાત ગુજરાતી ભાષામાં લખાયેલી અભિનેય સાહિત્યની કતઓ. રૂપે સંસ્કૃત રૂપક-સાહિત્યમાં કરેલું અર્પણ ગણી શકાય ? ના, તે શા માટે? હા, તે કયા પ્રકારના સાતત્યની ભૂમિકાએ? એ સાતત્યનું પિતાનું ડીપ સ્ટ્રકચર' (એની ગઢ સંરચના) શું ? .. .
For Private and Personal Use Only