________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
xiv
- સિતાંશુ યશશ્ચક પ્રોરભિક “ગુજરાતી” રચનાઓ થયા પછી, ચૌલુકના (વાઘેલાઓના) મંત્રીશ્વર વસ્તુપાળના આશ્રયે ભેગી મળેલી સાહિત્યકારોની મંડળીએ સંસ્કૃત ભાષામાં, ગુજરમંડળમાં રહીને, અનેક રચનાઓ કરી. એમાં પ્રકરણ વ્યાયોગ આદિ પ્રકારનાં રૂપને સમાવેશ થાય છે. વ્યાયામ પ્રકારનું નાપસાહિત્ય જ્યાં રચાય, ભજવાય, સામાજિક દ્વારા આસ્વાદાય એ સમાજની રાજકીય-લશ્કરી શક્તિ અને સ્વાયત્તતા કેવી હશે, એની નાટ્યવિદે આજે યે કલ્પના કરી શકે. - એ અર્થમાં ગુજરદેશની રાજકીય શક્તિ અને સ્વાયત્તતા એ વ્યાયોગ-રચનાઓની ભૂમિકામાં રહેલી ગણાય. પણ અંતતોગત્વા એ સંસ્કૃત નાટયરચનાઓનું “ગુજરાતીપણું આગળ ધરવું, એ કેટલે અંશે સ્વયમ વસ્તુપાળ સેમેશ્વર આદિ પરંપરાપ્રિય, સંસ્કૃતભાષાનિબદ્ધ, સાહિત્યકારને (ધોળકા, પાટણ જેવા “ ગુજરાતી ' નગરોમાં રહેતા હોવા છતાં યે ) યોગ્ય લાગે એ પ્રશ્ન છે એ સાહિત્યકારોમાંથી કેટલાક જન્મે “ ગુજરાતી” હતા ને કેટલાક નહતા. પણ એ બધા જ ભારતની સર્વદેશીય સાહિત્યભાષા સંસ્કૃતના સાહિત્યકારો હતા. એમનાં મહાકાવ્ય, પ્રકરણે અને વ્યાયોગો પણ ગુજરાતૈનિરપેક્ષપણે સાહિત્યસ્વ-ગુણયુક્ત હતા. એમનું પ્રદાન તે સર્વદેશીય સહિત્યભાષા સંસ્કૃતમાં પરંપરામાન્ય રીતે લખતા સાહિત્યકારોનું “ભારતવ્યાપી સહદય મંડળના આસ્વાદ માટેનું અર્પણ ગણાયન કે “ ગુજરાત નું સંસ્કૃત સાહિત્ય 'ને થયેલું અર્પયુ. કેવળ ભૌગોલિક રીતે “દેશ ' અને વિશિષ્ટપણે, સંસ્કાર-સંવેદન-ઈતિહાસવિશેષ રીતે “દેશી”—એ બે વરચે ભેદ અહીં અભિપ્રેત છે
. ગુજરાત-સાપેક્ષ અને ગુજરાતી સાહિત્ય - સાપેક્ષ સંસ્કૃત સાહિત્યને એતિહાસિક તથા પે ધારણ કરતું વિશ્વ, અને પ્રદેશ-નિરપેક્ષ અને પ્રાદેશિક ભાષા-સાહિત્ય-નિરપેક્ષ સાહિત્યને એતિહાસિક તથ્ય રૂપે ધારણ કરતું સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ-ત્રયી–સાહિત્યભાષાનું પરંપરામાન્ય વાડ્મય વિશ્વએ બે વિશ્વોના ભેદને, ઇતિહાસસંદર્ભે પૂરે પામવા તરફ આ સહસ્ત્રાબ્દનું આ પ્રદેશવિશેષમાં રહીને સંસ્કૃતમાં સાહિત્ય રચનારા સર્જકોની કૃતિઓ આપણને દોરે છે.
: : આ પરિપ્રેક્ષ્યમાં ચાર સ્પષ્ટરેખ પ્રશ્નો ઉપસ્થિત થાય : (૧) સર્વદેશીય એવી ભારતીય સાહિત્યભાષા સંસકૃતના માધ્યમમાં, આપણુ પ્રદેશવિશેષ ગુજરાતમાં સ્થિત સાહિત્યકારોને હાથે, ક્યાં, કેટલાં અને કેવાં રૂપકો રચાયાં (૨) એ સાહિત્યકારો સહુ આપણું પ્રદેશવિશેષ ગુજરમંડળમાં જન્મેલા–ઉછરેલા લેખકો જ હતા કે પછી સંસ્કૃતની અનેક દેશીયતાએ શકય બનાવેલા એક. વ્યાપકતર સાંસ્કૃતિક અવકાશ ( ગ્રેટર કચરલ સ્પેસ)ની કળાશને લીધે એ લેખકોમાં ગુજરમંડળની બહાર જમેલા-ઉછરેલા સાહિત્યકારોને પણ સમાવેશ થઈ શક્યો હતો? (૩) પાટણ-ધોળકા-ખંભાત આદિ ગુજરમંડળમાં/ગુર્જરદેશના નગરમાં વસતા સહંદ દ્વારા જ
આ ગુર્જરદેશસ્થ લેખકોની સંસ્કૃત રૂપક સાહિત્ય રચનાએ આસ્વાદાતી કે એ કૃતિઓને સહૃદય વિાચક-એક્ષક વર્ગ અનેકદેશીય, સર્વદેશીય, ભારતવર્ષ વ્યાપ્ત હતો ? (૪) આ ત્રણેમાંથી સુમવાને એથ, અને સર્વોપરિ મહત્વને પ્રશ્ન એ છે સંસ્કૃત રૂપકસાહિત્યની જાળવણી અને તેમાં ઉમેરણ ગુજરાત પ્રદેશમાં રહેતા લેખકો દ્વારા શું તેમની સંસ્કૃત રચનાઓ દ્વારા [૪] થઈ ગણાય, કે પછી તેમના દ્વારા થયેલી ગુજરાતી. રચનાઓ દ્વારા [પણ] થઈ ગણાય? આ રચનાઓ દશ પ્રકારના રૂપકોના સ્વરૂપમાં નિબદ્ધ ન હોય, પણ એના કોઈક અગિયાર-બારમા કે સત્તર
For Private and Personal Use Only