SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રિદ્ધાથ ય. વાકણકર એટલામાં બધા બ્રાહ્મણે સાથે અમસ્તક હવન કરવા માટે આવે છે. પૂર્ણાહુતી થયા પછી એવું કહે છે કે તમને દક્ષિણ પરમદિવસે મળશે અને “ ભલે ’ કહીને બ્રાહ્મણે નીકળી જાય છે. અહીં વિકૅભક પૂરી થાય છે. પછી કુબેરપુત્ર શાકદેવ અને બ્રાહ્મણે પ્રવેશે છે. ત્યારબાદ રાવ, અમસ્તક અને હરામદાસ પણ પ્રવેશે છે. હરામદાસ કહે છે કે હું દક્ષિણી લઈ આવું છું તમે બ્રાહ્માને ભે જન–પા ગી આપે. એટલામાં નાદારશાયી (જલામ કરનારા ) માણસને સાથે લઈને આવે છે. આ બધા માણસે બ્રાહ્મણોને પાધડીથી બાંધીને શેરીમાં લઈ જાય છે. અહીં આ અંક પૂરા થાય છે. પાંચમે અંક :- પાંચમા અંકના પ્રારંભમાં શેક કરતા “બ્રાહ્મણે પત્ની માનું વન મળે છે. વેદવ્યાસ રડતા રડતા પ્રવેશ કરે છે અને કેવી રીતે બ્રાહ્મણની વિડંબના કરવામાં આવી, આવી વાતનાએ એમને ભેગવવી પડી એની વિગતે આપે છે. બ્રાહ્મણોને મારીને એમનું દ્રવ્ય કેવી રીતે છીનવ્યું હતું તેનું કરુણાસભર વર્ણન કરે છે. - અંતમાં કર્મચંદ્ર પ્રવેશે છે. બ્રાહ્મણ પત્નીઓને પ્રણામ કરીને જણાવે છે કે ધર્મરાજાએ નવાબને પત્ર લખીને આજ્ઞા કરી છે કે તમે બ્રાહ્મોનું ધન છીનવ્યું છે પણ એમને બંધનમુકત કરો. નવાબે પિતાના માણસને જુદા જુદા પ્રકારે સજા કરી. વિપ્રપત્ની એ પૂછે છે કે અમારા પતિઓનું શું થયું ? કર્મચંદ્ર કહે છે કે બધા બ્રાહ્મણોને મુક્ત કરવામાં આવ્યા છે અને હવે તેઓ આનંદમાં છે. આ સાંભળીને બ્રાહ્મણસ્ત્રોમાં સંસ્કૃતમાં કહે છે કે “ અમ દેવીએ છીએ. અા ઉપર પ્રસન્ન થઈ ગયા છીએ. તું તારે જોઈએ એ વર માંગી લે.' અંતમાં કર્મચંદ્ર ભરતવાકય ઉચ્ચારે છે અને અહીં નાટક પૂર થાય છે. સમાજદર્શન અને ભાષા – વિપ્રવડમ્બનનાટક પ્રહસન હોવાથી અહીં સમાજમાં પ્રતિષ્ઠા પામેલ માણસે ઉપર કટાક્ષ પૂર્ણ ભાષામાં ટકોર કરવામાં આવી છે. એમની અંગત વિશેષતાઓ જેમ કે ખાવાનો શોખ, ગાળો આપીને બોલવાની ટેવ. એકબીજાના સ્વાર્થ સાધવા માટે કરાતા પ્રયત્ન આ સાથે જાતી–પેટા જાતીના ઝગડાઓ અને રીતરિવાજો વગેરેનું દર્શન થાય છે. આ પ્રહસનમાં નીચલી કોમના માણસે હોવાથી એમની ભાષાકીય ખાસિયતે દેખાય છે. એમાં વ્યાકરણ અને ભાષાની શુદ્ધતાને અભાવ જણાય છે. અહીં મુસલમાની નવાબેનું આલેખન હોવાથી ઉભાષા વાપરી છે. સ્ત્રીઓ પ્રાકૃત અને ગુજરાતીમાં બોલે છે. કર્મચંદ્ર મરાઠીમાં બેલે છે. અને બ્રાહ્મણે સંવાદ સંસ્કૃતમાં છે. આમ આ નાટક પાંચ ભાષા એના મિશ્રણથી અને બધું છેઆને લીધે અર્વાચીન બોલી–ભાષાઓ સાથે સામ્ય ધરાવે છે. દા. ત., For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy