SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra . પ્રહૂલાદનદયકૃત્ત ‘પાથ પશમવ્યાયામ' મૂલ્યાંકન ૧૪૭ આ સર્વે વ્યાવ ક લક્ષણે આપણા રૂપકમાં મળે છે: તેને એક જ અક છે. તેની કથાવસ્તુ મહાભારત જેવા મહામાન્ય પ્રાચીન ઇતિહાસગ્રન્થમાંથી લીધેલી ઉંાઇ ધણી નણીતી છે. તેમાં વણુ વેલું યુદ્ધ નારીપ્રેરિત નથી, નારીને કારણે ઊભું થયેલું નથી. તેમાં માત્ર બે જ સ્ત્રીપાત્રો છે: સૉરન્ત્રી એટલે ક દ્રૌપદી અને ઉત્તરા, જે મને તદ્ન ગૌણ પાત્રો છે. પાથ એટલે ક અર્જુન કથાનકને નાયક છે, જે નથી દિવ્યપુરુષ કે નથી રાજા. હાસ્ય, શૃંગાર અને શાન્ત રસના અભાવ છે, સર્વત્ર વીરસ અને અદ્ભુત રસ જ છવાઈ ગયા છે. આ રીતે આ એક સર્વાંગ–સંપૂર્ણ વ્યાયેગ છે. www.kobatirth.org (૨) ભાષા-શૈલી : આ રૂપક પ્રશિષ્ટ સ ંસ્કૃત ભાષામાં રચાયેલું છે. શબ્દાલ’કારો અને અર્થાલકારે, અતિસુન્દર વિધાñા, ટૂંકાં છતાં તાદશ આલેખના તથા ઉત્તેજક સેાની નિષ્પત્તિ સુન્દર ઉઠાવ સાથે કરતું ચોકસાઈપૂર્વકનું ચારચિત્રણુ-આ સર્વ તેની ભાષાને ગૌરવાન્વિત કરે છે. કુલ ૬૧ શ્લોકા છે. જે જુદા જુદા સાળ હન્દીમાં રચાયા છે. શાર્દૂલવિક્રીાંડત કવિને માનીતા છન્દ લાગે છે, કેમકે વીસ લેક તેમાં રચેલા છે. અન્ય ઉપયુક્ત છન્દો લેાકસ ખ્યાનુક્રમે આ પ્રમાણે છે : અનુષ્ટુપ -૬; મન્દાક્રાન્તા-૬; વસન્તતિલકા-૫; આર્યા-૩; ઉપજાતિ-૩; માલિની –૩; હરિણી—૩; શાલિની-ર; શિખરિણી-૨; સ્રગ્ધરા-ર; પૃથ્વી-૧; હર્ષિણી−૧: વશસ્થ-૧ અને રથદ્ધતા-૧. આ ઉપરાન્ત બે લેાક (૧૭ અને ૪૪) એવા છે જે એક જ છન્દ ધરાવે છે પણ જેના છન્દનું નામ હું શોધી શકયો નથી. તે બે શ્લાક આ પ્રમાણે છે : कुरुपतिमभिमानिनं समीके सपदि विमर्द्य यथाऽद्य कङ्कपत्रैः । अहमिह पुनराद्वरामि कीर्त्तीरिव सुराभिरपहृत्य नीयमानाः ॥ १७ ॥ विघटितधनधार्तराष्ट्रचक्रं समरसरस्तरसास्तपुण्डरीकम् । द्विरदवदवगाहते समन्तादतनुमदस्त्रिदशाधिराजसूनुः ॥ ४४ ॥ ~~એ પણ અહીં નૈધવું જોઈએ કે કયાંય છન્દેભંગ જણાયા નથી. કુલ દસ વક્તવ્યા પ્રાકૃતમાં છે, જે ઉત્તરા તથા સૌરશ્રી (દ્રૌપદી)ના મુખમાં મૂકેલાં છે. આમાં દ્રૌપદીના અન્તિમ વક્તવ્યમાં એક સુભાષિત પશુ આવે છે જેના ભાવ આવા છેઃ વીરપુરુષા માટે તે આજ્ઞાભંગ મૃત્યુથી યે અંધક અસહ્ય હાય છે ( શ્લાક ૫૬ ). આ નાની કૃતિમાં ધમક, ઉત્પ્રેક્ષા, ઉપમા, રૂપક, શ્લેષ અને વ્યતિરેક અલકારા યોજાયા છે, પણ આ ટૂંકા મૂલ્યાંકનમાં તેના ઉદાહરણોની વિગતમાં આપણે ઊતરવાની જરૂર નથી. કવિ પાતે તેની કવિતાને સમતા, સમાધિ અને પ્રસાદ ગુણથી યુક્ત ગણાવે છે : 61 ૬ કેટલીક વિશિષ્ટતાઓ : ‘સભ્યમ: સુવે: સમાધિ-સમતા–ધર્મ: કુમારણ્ય ૬ ।'' (શ્લાક ૪ બ) અને બ્રહ્માનાહ્ય કવિતા વસતિ; સત્તેઃ ।'' (શ્લેક ૫ અ) Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧) પ્રસ્તાવનામાં સુત્રધારને શરૂઆતમાં સૂત્રધાર ' કહ્યો છે. ( ૨ ) સ્થાપક ' કહ્યો છે અને ત્યાર બાદ પ્રસ્તાવનામાં એક પણ પ્રાકૃત વક્તવ્યું નથી. For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy