SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જયાત છે. ઠાકર “ छलछूते जेतुर्जतुमयमगारं रचयितुर જરં તાતુઃ --વિજય-ર્ત સfસ ! स्वयं गन्धर्वेन्द्रादधिगमित-जीवस्य भवतः શિર:થાને મનિન મુદાનિ વિષયના I.” (લે. પ૭). આ સુન્દર કલેક સરળ હોવાથી આ વિઠસભા સમક્ષ તેને અર્થ આપી લંબાણ કરવાની જરૂર નથી. મહાભારતમાં આ અંત સુંદર વિમત આપી નથી તેથી તેમાં બાયોગકારની મૌલિકતા ઝળકી ઊઠે છે. (૧૧) રૂપકમાંનું અન્તિમ દશ્ય પણ મહાભારતમાં નથી. તેને સાર આવે છે. યુધિષ્ઠરની રજા લઇ ઉત્તર તેમના જ રથમાં બેસીને રાજન અને બીજા બધાને ગાયો પાછી જીતી લેવાઇ છે, પાથે કણ ને હરાવ્યો છે અને કૌરવ-કુફકુર (દુર્યોધન)ને જવા દીધું છે એવા શુભ સમાચાર આપવા માટે નગર તરફ જાય છે અને યુધિષ્ઠિર તથા દ્રૌપદી અર્જુનના રથમાં બેસે છે. ત્યાં તે અચાનક જ પેલાના દિવ્ય રથમાં આરૂઢ થઈ છન્દ્ર આકાશમાંથી અવતરણ કરે છે અને પાર્થના પરાક્રમથી પ્રસન્ન થઈ વરદાન માગવા જણાવે છે અને બ્લેક ૬૦માં અર્જુન કહે છે કે તેને માગવાનું કંઈ રહ્યું જ નથી. આમ છતાં ઇન્દ્ર નીચેના આશીર્વાદ આપે છે, જે આ રૂપકનું ભરતવાક્ય બની રહે છે : ." अन्नरस्तु निरन्तरा वसुमती तत्सम्पदं वारिदाः काले कन्दलयन्तु भेक-निकर-प्राणप्रदरम्बुभिः । तत्सन्तान-निदानमग्निषु वषट्कुर्वन्तु हव्यं द्विजास तद्रक्षासु विचक्षणाः क्षितिभुजो राज्यं भजन्तु स्थिरम् ॥"६१॥ મહાભારતમાં છેક પર્વને અને અર્જુન બાણ વડે દુર્યોધનને મુકુટ તેડી નાખે છે, જે પ્રસંગ તેની સાથેના અન્તિમ યુદ્ધ પછી બને છે, જયારે રૂપકમાં તો માત્ર પહેલી લડાઈ જ વર્ણવી છે. આ રીતે પાથપરામવ્યાપાગમાં મૂળ કથાનકમાં કેટલાક બહુ મહત્વપૂર્ણ ફેરફાર તથા ઉમેરા કરાયા છે, જે બાયોગને અધિક મહત્ત્વ આપે છે. ૫ સાહિત્યિક મૂલ્યાંકન : ૧) “ વ્યાયણ” એક યુદ્ધયુક્ત નાટક છે, જેનાં કેટલાંક વિશિષ્ટ લક્ષણે છે : (ક) તેમાં એક જ અંક હાય. (ખ) તેની કથાવસ્તુ જાણીતી હોય. (ગ) તેમાં હાસ્ય, શૃંગાર અને શાન્ત સિવાયના રસ હાય. (ધ) તેમાં આવતું યુદ્ધ નારી-પ્રેરિત ન હોય. (૭) તેમાં ખૂબ જ ઓછાં સ્ત્રી પાત્રો હોય. (ચ) તેને નાયક દિવ્યપુરુષ કે રાજા ન હાય. For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy