SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિજય પડયા દૂતાડુળદના ટલાંક પદો હનુમન્નાટક કે મહાનાટકમાં છે, કે જે આપણે હનુમન્નાટકને ઉઠાંતરી કરનાર નાટક ગણીએ તે, કેટલાંક સુન્દર પદ્ધો માટે સુભટને આપ વશ ફાળ પડે, ૨૨ મું પદ્ય (સે ? જાવ સાવના:......) મહાનાટકમાં પણ છે. અંગદ માયાને કારણે ઘણા રાવણે જુએ છે. તે કહે છે -- ** એ સવણ, મેં ઘણા રાવણે વિશે સાંભળ્યું છે. ગત વર્ષોમાં એક રાવ એ હતો કે જેના હાથ કાર્તવીયે બાંધી દીધેલા. બીજે રાવણ એ હતો કે, જેને બલિની દાસીઓએ નચાવીને પછી જ ખાવાનું આપવામાં આવેલું. ત્રીજો રાવણ (જેને બગલમાં દબાવવામાં આવે અને હું ઘોડિયામાં લાત મારીને, જેની સાથે રમેલ) કે જેના વિશે કહેતાં મને શરમ આવે છે. તું આમાંનો કર્યો છે અથવા કોઈ બીજો જ છે?''૧૨ પછી રામની પ્રવૃત્તિ વિશે રાવણ પૂછે છે તે અંગદને ઉત્તર છે. “ સુગ્રીવના બેળામાં માથું રાખ્યું છે અને હનુમાનના ખોળામાં ચર રાખ્યા છે, અને બાકીને શરીરને ભાગ સુવણે મૃગની ચામડીમાં લંબાવેલ છે અને, નેત્રોના ખૂણેથી પોતાના નાના ભાઈના પણછ પર ચઢાવેલા બાણને જોઈ રહ્યા છે. અને તારા નાના ભાઈના સલાહ-સૂચનને ધ્યાનથી સાંભળી રહ્યા છે.”૧૩ ( દૂતાગ-૨ ) આવી રીતે પઘોની કોણી આવે છે. સુભટ પાતાનો ઉલેખ “pવશ્વ ગ્રામઃ સરસ સાલુમટ (દૂતાળદ-૩૮ ) આ પંક્તિમાં કરી રહ્યો હોવાનું જણાય છે. સુભટનું ભાષાપ્રભુત્વ માન્ય રાખવું પડે તેમ છે. કદાચ સોમેશ્વર આપણને એક ઈગિત આપે છે. ઉપર ઉલેખેલા મધર યત પદ્યમાં સેમેશ્વર એવું કહેવા માંગે છે કે રાવણની સભાનું દૃશ્ય સુભટનું મૌલિક છે. આ પદ્ય આમ જોઈએ.. सुभटेन पदन्यास: स कोऽरिसमिती कृतः । येनाधुनापि धीराणा रोमाञ्चो नापचीयते ।। ભેગીલાલ સાંડેસરા અને (મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ, પહેલી આવૃત્તિ, ૧૯૫ાક, પૃ.-૮૬) સોમેશ્વરચત કીર્તિકૌમુદી ૧-૨૪ના સંપાદક શ્રી પુણ્ય-વિજયસૂરિ ૧૯૬૧ દ્વારા પણ s' પાઠ સ્વીકારાય છે. પણું ખરેખર જોરિ પાઠ સ્વીકારવો જોઈએ, જે રાવણની સભાનું સ્પષ્ટ સૂચન કરે છે. એસ. પી.ભટ્ટાચાર્યનું નિરીક્ષણ છે કે૧૪ ‘મહાનાટકની સાથે, દૂગ્ગદ પણ સભામાં વિજજનેની સંકુલ કલ્પનાની ઈચ્છાને સંતોષવા માટે રચાયું હતું. સુભટના સમયની વિદામાં સેમેશ્વર પણ છે, સુભટ, દૂતાજ્ઞદમાં, અમુક ભાગોમાં પણ મૌલિક ન હોત તો સોમેશ્વરે સુભટની પ્રશંસા કરી ન હોત ', ૧૨ નાગ- ૨ ૨. 15 તાગ૬- ૨૭. ૧૪ ભદ્રાચાર્ય એસ. પી. ઈન્ડીઅન હીસ્ટારીકલ કવાટલી, સપ્ટેમ્બર ૧૯૪, ૫, ૪૯૯, For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy