SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિભૂતિ વિકમ ભટ્ટ દેવસૂરિએ રાજને આશા આપતાં “વારતતો મુદ્રિતઃ'' કલાક કહેલા તેમાંથી ‘ મુદ્રિત' પદ લઈને યશશ્ચંદ્ર આ પ્રકરણના શીર્ષકમાં પ્રયોજે છે તેથી મુદ્રિત =ચંતિ:="રાનિત: છપાયેલે–પરાભૂત થવાથી મૂઢ-ઝાંખા ચંદ્ર જે જે બની ગયું છે તે મુદ્રિત કુમુદચંદ્ર ચંદ્રનું તેજ શક્તિ – જ્ઞાન જવાથી પિયg=કુમુદ બીડાઈ ગયાં. આ પ્રકારનું વ્યંજન થતું આ શીર્ષક કલાત્મક, આકર્ષક તેમ જ ‘મદ્ર”ના પ્રાસવાળું અને કથાનક સુચિત કરતું શીર્ષક સાર્થક છે એમ કહી શકાય. આરંભમાં સૂત્રધાર સાથે સંવાદ કરતી નટીનું અને અંતે કામાખ્યા દેવીને પ્રસાદ લઈને રાજાને આશીર્વાદ આપતી-ભરતવાક્ય ઉચારતી ગની વર્ગલાનું પાત્ર–એ બે પ્રત્યક્ષ સ્ત્રીપાત્રો છે. ધર્માચાર્ય દેવસૂરિ નાયક ક્રાવા છતાં મુખ્ય અને જયસિંહ રાજા અધ્યક્ષપદે છે, પરંતુ તેમની ઉક્તને મુખ્ય કેન્દ્રમાં રાખીને કથાનક ચાલતું નથી. પ્રથમ અંકના મિશ્રવિષ્ક ભકમાં આહડ સાથે આશાપલ્લી જઈ આવેલા પારપાકે નટી અને સૂત્રધારને અહેવાલ આપ્યું. તેમાં આશાપલ્લીમાં શ્રી નેમિરૌત્યમાં દેવસૂરિ અને કુમુદચંદ્રને તેઓએ જોયા એ જાણવા મળે છે. સૂત્રધારના શબ્દો મુજબ આ પ્રકરણ ખરેખર અભિનવ ઉક્તિઓ અને શૈલીવાળું રસઝરણાથી પરિપૂર્ણ છે. યશશ્ચંદ્રને કાવ્યત્વકલા વારસાગત મળેલી છે. તેથી તેની કૃતિમાં શ્વાનમૂલક અને વિદ્વત્તાપૂર્ણ કાવ્યત્વ મળે છે. નટીને ચિંતિત જોઈને સૂત્રધારે તેનું કારણ પૂછતાં “પોતાની પુત્રી હવે યુવતી થઈ છે તેથી તેને માટે ગ્ય વર શોધવાની ચિતામાં છું' એમ કહે છે. અને તેને માટે બે વર તૈયાર છે એમ કહેતાં જ સુત્રધારને હસવું આવે છે ! અહીં કવિએ ગુજરરાજ્યલક્ષમીની પૂર્ણ સમૃદ્ધિ ઇત્યાદિ સૂચિત કર્યા છે. અને લો. ૮-૧૧માં દીકરી માટે કે વર જોઈએ તેનું કટાક્ષપૂર્ણ નિરૂપણ થયું છે. તેનું અનુસંધાન અંક ૨ ના વિકભકમાં જોવા મળે છે. જન પ્રબંધોની જેમ-એ સમયની સાહિત્યક રૂઢિ મુજબ કવિ આખા ય પ્રકરણુમાં પિતાનું વિવિધ શાસ્ત્રીય જ્ઞાન પ્રજવાનું કયાંય ચૂક નથી. તે અત્યંત કુશળતાપૂર્વક ધાર્મિક વિવાદમાં પણ ઈર્ષ્યા, અસૂયા, અમ- ક્રોધ વગેરેના ભાવ ઉચ્ચ ધાર્મિક માનસમાં પણ હોય છે તે તેમની ઉક્ત ઓ દ્વારા રજૂ કરે છે. ઉત્તમ સંવાદ કરતા વતિ વગેરે પાત્રો સાધારણું કોટિમાં આવી જતાં કેટલીક વાર લાગે છે એ એની ખૂબી છે. એ સમયે સમાજમાં શાસ્ત્રાર્થો થતાં હશે એમાં એવું જ વાતાવરણ હશે. ધાર્મિક વાદા-વાદી તે ભારતમાં શ્રી શંકરાચાર્ય, શ્રી રામકૃષ્ણ -વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી વગેરેના સમયથી–પરાપૂર્વથી-ચાલતાં જ આવ્યાં છે. તે બાબરી મસ્જિદ અને રામમંદિરના વાદ સુધી ચાલુ જ છે, પરંતુ આ વાદ પ્રસિદ્ધ અને ઐતિહાસિક હોવાથી (એની વિવિધ અસર પણ તે સમયે પડી હશે) અને સાંસ્કૃતિક દૃષ્ટિએ અગત્યને હોવાથી તેને કેન્દ્રમાં રાખીને કવિએ આ પ્રકરણ રચ્યું. બીજા અંકમાં વૃદ્ધા આર્થિકા પાસે ભુજંગ કુમુદચંદ્ર નૃત્ય કરાવીને ખૂબ પરિશ્રમ આપ્યું. તેનાથી ક્રોધાવિષ્ટ અને અપમાનિત થયેલી આયિકાએ પિતાના હૃદગાર શ્રી દેવસૂરિ સમક્ષ પ્રગટ કરીને પોતાનું હૈયું હળવું કર્યું અને દેવસૂરિએ કુમુદચંદ્ર પ્રત્યે થયેલા ક્રોધને દબાવીને આયંકાને સાંત્વન આપ્યું, કે તેના મૃત્યુનું ફળ તેણે જરૂર ભોગવવું પડશે.' આટલી વાત અશક ૧૦ કર્ણાવતીમાં કુમુદચંદે દેવસૂરિને અને વૃદ્ધ સાવીને હેરાન કરેલી. ક. ૩. ગુજ. અનુ., પૃ. ૯૩માંના પ્રસંગ મુ. . . માં વાદના પાંચમાં દિવસે બન્યાનું કહ્યું છે અને તે જરા જુદી રીતે વર્ણવ્યો છે. For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy