SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાસ્તાવિક વિદ્યા મ`દિરના ભુતપૂર્વ નિયામકો (ક્રમશઃ) પ્રો. ડૉ. સુરેશદ્ર જી. કાંટાવાળા તથા પ્રો. ડૉ. અરુણેય ાતી, સયેાજકો હતા પ્રાચ્યવિદ્યા મદિરનાં પ્રો. ડૉ. મુકુંદ વાડેકર તથાા ડૉ. મીનાબેન પાક. મધ્યકાલીન નાટકોમાં બિલ્હણ પછીના રામચંદ્ર, જયસિંહસૂરિ, પહલાદનદેવ, સોમેશ્વર, સુભટ, મુનિ દેવચન્દ્ર, ભુદેવ શુકલ, ગ`ગાધર, વગેરે દસમીથી અઢારમી સદી સુધીના ચૌદેક લેખકોનાં રૂપકો વિશે અઢારેક નિબંધો રજૂ થયા. ગુજરાતની મધ્યકાલીન સંસ્કૃત નાટકોની સમૃદ્ધ પર પરાનુ એક વ્યાપક અને વૈવિધ્યસભર ચિત્ર આ બે બેકોમાં સુપેરે ઉપસી આવ્યું. jii ત્રીા દિવસ તા. ૧૮ ડિસેમ્બર ૧૯૯૬ના દિવસની પરિસ'વાદની બંને બેઠકો તથા સમાપનની એક વળી પાછી સંસ્કૃત મહાવિદ્યાલયના વ્યાખ્યાન ખ'ડમાં યોજાઇ. પડલી એ બેઠકોના વિષય હતેા અર્વાચીન સૌંસ્કૃત નાટક, આ બે બેઠકોમાં ક્રમશઃ સુરતની મ. ડા. બા કોલેજના નિવૃત્ત વિભાગાધ્યક્ષ અરુણ્યદ્ર ડી. શાસ્ત્રી તથા ચુનિલાલ ગાંધી વિદ્યાભવન, સુરતના નિયામક, અરવિંદ જેપી અધ્યક્ષસ્થાને હતા. સયાજકો હતાં ક્રમશઃ પ્રવિદ્યા મદિરનાં શ્રીમતી શાશ્વતી સેન તથા શ્રી જયતી ઉંમરક્રિયા, આ બે બેઠકોમાં ૫. જીવરામ કાલિદાસ શાસ્ત્રો, શંકરલાલ માહેશ્વર શાહ્મી, આ. જે. ટી. પરીખ, કવિ મેધાવ્રત નાગરદાસ પંડા, બદ્રીનાથ શાસ્ત્રી, ગજેન્દ્રશ'કર પડ્યા, જનકશાંકર વે, મૂળશકર યાજ્ઞિક વગેરે ઓગણીસમી–વીસમી સદીના અગિયારેક નાટ્યકાર વિશે અગિયારેક અભ્યાસલેખા રજૂ થયા, અને એથી અર્વાચીન સમયમાં પશુ સંસ્કૃત નાટ્યપરંપરા ગુજરાતમાં હજુ પણુ એવી જ જીવંત છે એવી એકંદર છાપ ઉપસી આવી. પરિસંવાદની સમાપન એડક મહાવિદ્યાલયના એજ વ્યાખ્યાન ખંડમાં સાંજે ૪-૪૫ વાગે ચેન્નઈ. તેમાં અધ્યક્ષસ્થાને હતા. ગુજરાતના વૈશ્વિક કવિ-નાટ્યકાર પ્રો. ડૉ. સિતાંશુ યશશ્ચંદ્ર, પ્રો. સિતાંશુએ સમાપનસત્રના અક્ષ તરીકે જે વકતવ્ય રજુ કરેલું તેનું એમણે પોતે તૈયાર કરેલું વિવર્ધિત–સબંધિત લિખિત સ્વરૂપ આ ગ્રંથના સમાપનસત્રના વકતવ્ય તરીકે પ્રાપ્ત થઈ શકે છે તેને ખૂબ આન છે. એમણે રજુ કરેલા પ્રશ્નો, ગુજરાતનાં સંસ્કૃત નાટકોના (સમગ્રપણે સાહિત્યના ) ગુજરાતના પ્રાદેશિક સાહિત્ય સાથેના સૂક્ષ્મ નાળસ બંધનુ એમણે કરેલું વ્યાકરણુ, સમાપ્ત થઈ રહેલા આ સહસ્રાબ્દના આરંભે આરંભાયેલી વાડ્મય ક્રાન્તિના દર્શન દ્વારા મધ્યકાલીન ભારતમાં ( અને એ સદર્ભે ગુજરાતમાં પશુ ) આપણાં સાંસ્કૃતિક deep structures સૌંસ્કૃતમાંથી પ્રાદેશિક ભાષાઓમાં ઉતારવાની પ્રક્રિયા અને તેની આવશ્યક્તા તરફના એમને અબુલિનિર્દેશ, દેશના આ ખૂણે થતી એક નાનકડી અભ્યાસપ્રવૃત્તિની તુલનાત્મક સાહિત્યના એક વિશ્વવિદ્યુત વિદ્વાનની સ્વસ્થ દૃષ્ટિએ ઐતિહાસિક દષ્ટિબિંદુથી વ્યાપક રાષ્ટ્રીય સ ્હિત્યિક પરપરાના પ્રવાહના સદ માં મૂલવણી-એ બધું આ પરિવાદ-પ્રવૃત્તિની વિચારપ્રક્રિયાની સમાપ્તિરૂપે અને એની પ્રયેાજક્તાના વિચાર તરીકે આ ગ્રંથની મેાટી ઉપલબ્ધિ છે. ( તેથી જ એ છેલ્લું વક્તવ્ય હોવા છતાં ગ્રંથના આરંભમાં મુકયું છે. ) આ લેખ કરી આપવા માટે મિત્ર સિતાંશુને ઋણી છું. For Private and Personal Use Only વડોદરા બહારથી પરિસંવાદમાં ઉપસ્થિત રહેલા વિદ્રાના વતી પ્રતિભાવ રજૂ કરતાં ડૉ. આર. પી મહેતા, ડૌ, અરવિન્દ શ્વેષી તથા ડો. વિજય પંડયાએ પ્રાચ્યવિદ્યા મદિરના તમામ
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy