SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજેન્દ્ર નાણાવટી કર્મચારીઓની તત્પરતા અને નિષ્ઠાથી પરિસંવાદ દીપી ઊઠે છે એમ કહી પરિસંવાદના આજનની પ્રશંસા કરી, પરિસંવાદના તમામ અંગેની વ્યવસ્થા અંગે આનંદ વ્યક્ત કર્યો, અહીં વિચાયેલા લેખે સંકલિત ગ્રંથસ્થ રૂપે ઉપલબ્ધ થવા જોઈએ એમ જણાવ્યું, અને આવા વિદ્યાકીય કાર્યોને પ્રોત્સાહિત કરવા બદલ અકાદમીને ધન્યવાદ પાઠવ્યા. પિતાના આભાર-પ્રવચનમાં પ્રો. રાજેન્દ્ર નાણાવટીએ પરિસંવાદના ઉદ્દધાટક, અતિથિ વિરોધ અને સમાપક છે. માર્કડ ભટ્ટ, શ્રીમતી પબા રામચંદ્રન તથા છે. સિતાંશુ યશંદ્રને, પરિસંવાદમાં ભાગ લેનાર વિદ્વાનોને, પરિસંવાદને સફળ બનાવવા સહકાર આપનાર પારેવવદ્યા મંદિરના સહકાર્યકરોને, યુનિવર્સિટીના, બરડાં સંસ્કૃત મહાવિદ્યાલવ તથા ઈતિહાસ વિભાગના અધિકારીઓને અને વિશેષ કરીને આર્થિક સહયોગ માટે સંસ્કૃત સાહિત્ય અકાદમી, તેની કાર્યવાહક સમિતિના સભ્ય, તથા અધ્યક્ષ ડો. ગૌતમ પટેલને હાર્દિક આભાર મા. ગુ, રાતના સંસ્કૃત રૂપક સાહિત્યની સુદીર્ધ અને સમૃદ્ધ પરંપરાનું એક વીગતપૂર્ણ અને સુરેખ ચત પાપાના સંતાપ સાથે આ ત્રિદિવસીય વિદ્યાનું સમાપન થયું. પરિસંવાદ પૂરી થયા પછી આ પરિસંવાદના બધા જ અભ્યાસલેખને પ્રાયવિદ્યા મંદિરના સંશોધન ટૌમાસિક “ સ્વાધ્યાય'ના જ એક સંયુક્ત વાર્ષિક વિશેષાંક તરીકે છાપવાને વિચાર આવે. વળી એ પ્રસ્તાવને સંસ્કૃત સાહિત્ય અકાદમીની કાર્યવાહક સમિતિએ પણ મંજુરી આપી. તે માટે હું આજક-સંપાદક તરીકે અકાદમીને સહર્ષ આભાર તથા ઋણસ્વીકાર વ્યક્ત કરું છું. પરિસંવાદમાં થોડાક વિદ્વાનોના નિબંધે અંગ્રેજીમાં રજૂ થયા હતા તેને તે જ વિદ્વાને પાસે ગુજરાતીમાં અનુવાદિત કરાવીને અહીં સામેલ કર્યા છે. અનુવાદ કરી આપવા બદલ પ્રાયવિદ્યા મંદિર વતી એ વિદાન પ્રત્યે પણ આભાર વ્યક્ત કરું છું. અને આ વિશેષાંક ગ્રંથ તરીકે પણ મહત્ત્વનું હોવાથી તેને સ્વતંત્ર ગ્રંથ રૂપે પણ પ્રકટ કરવા દેવાની અનુમતિ આપવા માટે મ. સ. યુનિવર્સિટીના અધિકારીઓને પણ આભાર માનું છું. યુનિવર્સિટી પ્રેસના મેનેજર મિત્ર શ્રી પ્રહલાદ શ્રીવાસ્તવ તથા તેના સહકાર્યકરોને પણ એમના સતત સહકાર માટે આભાર માનું છું. મને આશા છે કે ગુજરાત બહારના ગુજરાતી ભાષાના જાણકાર સાહિત્યરસિકોને પણ આ રસપ્રદ અને સુસંકલિત ઉપયેગી માહિતી આપનાર બની રહેશે. રાજેન્દ્ર નાણાવટી A , (સંજક, પરિસંવાદ નિયામક, પ્રાચ્યવિદ્યા મંદિર ) For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy