SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૮ ગાવિંદલાલ . શાહ શબ્દ ક્લિષ્ટ છે. તે મહાવીર ભગવાનને સૂચક છે. બીજાં આઠ સૂત્રોમાં અંદસ ની સંજ્ઞાઓ સમજાવવામાં આવી છે. અ. ૨ માં ૬ અને અ-૩ માં ૩૩ સૂત્રો છે. તેમાં વૈદિક છંદની વ્યાખ્યા આપવામાં આવી છે. અ. ૪ થી લૌકિક દે છે. અ. ૪ માં ૩૨ પંક્તિઓ છે તેમાં આર્યા, વૈતાલીય, માત્રામક વગેરે અને તેના પ્રકારની સમજૂતી આપવામાં આવી છે. અ. ૫ માં ૩૯ શ્લોકોમાં વિષમ અને અર્ધસમવૃત્તોનાં લક્ષણ, પ્રકારે સહિત આપેલ છે. અ. ૬ ની ૪૬ પંક્તિઓમાં અને અ. ૭ની ૩૭ પંક્તિઓમાં સમવૃત્તો અને દંડક સમજાવવામાં આવ્યાં છે. અ-૮ માં ૧૨ શ્લોકો છે તથા તેમાં પ્રસ્તારની ચર્ચા છે. વૈશિષ્ટયઃ પોતે જેન હોવા છતાં વૈદિક છે દેનાં લક્ષણે તેમણે આપ્યાં છે. તે તેમના આદર્શ તરીક રહેલાં પિગલનું યોગ્ય રીતે અનુસરણ થઈ શકે એટલા માટે છે એમ પ્રોફે. વેલણકર માને છે. દિક ઈદ પરથી લૌકિક ઈદે વિકસ્યા હોઈ તેમને તેની ઉપેક્ષા કરવાનું એગ્ય નહીં લાગ્યું હોય. જો કે જયદેવને દિક છંદને વિભાગ પિંગલની જેમ વિસ્તૃત નથી. તેમણે કરેલું આ વિભાગનું નિરૂપણ જાણે ઔપચારિક્તા નિભાવવા-પરંપરાને માન આપવા માટે-હોય તેમ લાગે છે. જ્યદેવે વેદિક ઈનાં લક્ષણપિંગલની જેમ સૂત્રોમાં આપ્યાં છે. જ્યારે લૌકિક છંદનાં લક્ષણ જે તે છંદના પાદ દ્વારા કે લોક દ્વારા આપેલ છે. પિંગલની જેમ તેમણે છંદનાં માત્ર લક્ષણે જ આપ્યાં છે. અલગ ઉદાહરણ આપ્યાં નથી. પણ લૌકિક દેનું લક્ષણવાકય પોતે જ લક્ષ્મવાક્ય-ઉદાહરણવાક્ય બની જતું હોઈ તેમને અલગ ઉદાહરણ આપવાની આવશ્યકતા નથી. છંદના લક્ષણ પતે ઉદાહરણ પણ બની રહે એ રીત કેદારભટ્ટ “વૃત્તરત્નાકર'માં સવીકારી છે. જયદે વત દર્શાવવા સંજ્ઞાવાચક શબ્દ ઉપરાંત સમુદ્ર, ઋતુ, લેક વગેરે શબ્દ પ્રયોજ્યા છે. તેમણે વસુ, દિશા, યુગ, રસ વગેરે શબ્દ વૈદિક છંદમાં પણ ઉપયોગમાં લીધા છે. પિગલે તેમને ઉપયોગ લૌકિક છંદમાં યતિ દર્શાવવા જ કર્યો છે. વૈદિક છંદોના વિભાગમાં કયો નથી. સંજ્ઞા પ્રકરણના પ્રથમ અધ્યાયમાં જયદેવે એક જ સૂત્રમાં (૧/૨) “અષ્ટગણ' વિશે કહી દીધું છે. તેમણે લઘુગુરુની સમજ સંક્ષેપમાં આપી છે. લધુ કયારે ગુરુ માનો તે વિશે પિગલે વિસ્તારથી સમજાવ્યું છે. જયદેવે સંથાર :: (૧/૫) એ એક જ સૂત્ર આ માટે ફાળવ્યું છે. તેમણે ઘણે ખરો ભાર ટીકાકાર પર નાખે છે, પણ જયદેવે માત્રક ગણે સમુદ્ર, ઋતુ વગેરે સંજ્ઞાઓ અને યતિ વિશે જે અધ્યાયમાં કહ્યું છે તે પિગલ કરતાં વધુ વિસ્તારથી છે. ૯ જુઓ પાદટીપ ક્રમાંક ૪, પૃ. ૩૪. It is true that he has defined the vedic metres in the first three chapters of his work; but this was probably due to the fact that Jayadeva wanted 10 imitate closely his model, namely Pingla's work on chandas in the matter of arrangement of his material, though he adopted a different style of composition, which is almost invariably followed by his successors in the field." For Private and Personal Use Only
SR No.536129
Book TitleSwadhyay 1996 Vol 33 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1996
Total Pages138
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy