SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુનિતા નાગરજી દેસાઈ તે મહેકર આદિમાં વેદિક શબ્દોથી જ ભૂતાનાં નામ અને કર્મોના પ્રવર્તનને નિર્માણ કરતા હતા. વળી અન્ય સ્મૃતિમાં પણ કહ્યું છે કે “તે બજપતિએ વેદશબ્દથી નામ તથા કર્મો જદાં જુદાં કર્યા તથા જદી સંસ્થા નિર્માણ કરી.” તેમ જ “વેદશબ્દથી આરંભમાં તે પ્રજાપતિએ ભૂતાનાં તથા કૃત્યાઓનાં અને દેવાદિનાં નામરૂ૫ તથા પ્રપંચ કર્યા.” શબ્દ અને અર્થ અનાદિ હોવાથી તેમને સંબંધ પણ અનાદિ છે, અને તેથી વેદના નિત્યત્વને બાધ આવતો નથી, એમ અર્થધટન કરીને શબ્દની ચર્ચા કરતાં શંકરાચાર્ય કહે છે કે શબ્દ વર્ણાત્મક છે, દયાકરની જેમ તેઓ શબ્દને સ્ફટાત્મક ગણતા નથી અને પોતાને મતના સમર્થન માટે ભગવાન ઉપવર્ષના શબ્દો આપે છે, જેમ કે –“ જf gય તું શક: ” શબ્દ વર્ણરૂપ જ છે, કેમ કે વર્ગથી અતિરિક્ત રાત્મક શબ્દને અનુભવ થતો નથી. વર્ષો ઉત્પન્ન થઈને તરત જ વિનાશ પામતા નથી કેમ કે “ આ તે જ વણે છે' એવી પ્રત્યજિતા થાય છે. વર્ણની પ્રત્યભિજ્ઞાને માણાન્તરથી બાધ થતું નથી. કેમપૂર્વક ઉચ્ચારણું કરેલા વિષ્ણુ ? વ્યુત્પન્ન જાતિના બેધ ધારા મનુષ્યને વ્યક્તિને બોધ થાય છે અને વર્ણોને સામાન્ય (જાતિ) સ્થાયી છે, તેથી નિત્ય શબ્દથી દેવાદિ વ્યક્તિઓની ઉત્પત્તિ અવિરુદ્ધ છે. દેવાદિ સર્વ જગતની વેદ શબ્દથી ઉત્પત્તિ હોવાથી જ વેદશબ્દનું નિત્યત્વ છે. શ્રી વેદવ્યાસ પણ કહે છે -- "युगान्तेऽन्तहितान् वेदान् सेतिहासान् महर्षयः । મરે તારા પૂજન / "1Y યુગના અંતે (પ્રલયકાળમાં) ઈતિહાસ સહિત અંતર્ધાન થયેલા વેદને સૃષ્ટિના આદિકાલમાં બહાની આજ્ઞાને પામેલા મહર્ષિએ તપ વડે સંપાદન કરતા હતા.” બ્રહ્મસૂત્રકારને અનુકૂળ અર્થધટન આપતાં શંકરાચાર્ય તેમ જ રામાનુજાચાર્ય કહે છે કે મહાપ્રલયમાં સર્વ જગત પિતાનાં નામરૂપને ત્યાગ કરીને લીન થાય છે, અને મહાસષ્ટિમાં નવીન ઉત્પન્ન થાય છે. તેથી શબ્દ અને અર્થને સંબંધ અનિત્ય થઈ જતું નથી કે શબ્દકા માર્યમાં વિરોધ આવતો નથી. કારણ કે સૃષ્ટિ પુનઃ ઉત્પન્ન થાય છે ત્યારે સર્જવાના પદાર્થો સમાન નામરૂપવાળા હોવાથી કોઈ વિરોધ આવતા નથી. તેમ જ આદિ સૃષ્ટિ વખતે જ પરમાત્મા પહેલાના આકારવાળા જમતનું સ્મરણ કરીને તે પહેલાંની જેમ જ સજે છે અને પૂર્વેને અનુકરણવાળા વિદેને પ્રકટ કરીને તે હિરણ્યગર્ભને આપે છે. આ પ્રમાણે દર્શનથી (મૃતિથી) અને સ્મૃતિથી જJાય છે. જેમ કે : નૂનમતી વાતા વાહયા. विवञ्चपथिवीञ्चान्तरिब्धमषो स्वः॥" ‘' પરમાત્માં પૂર્વ ક૯૫માં જેવાં સૂર્ય, ચંદ્ર, દિવ, પૃથ્વી, અંતરિક્ષ અને સ્વર્ગ' હતાં, તેવાં આ કપમાં પણ સર્જતા હતા.” ૧૫ મહા. ભા. વનપર્વ. For Private and Personal Use Only
SR No.536111
Book TitleSwadhyay 1992 Vol 29 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy