SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાહસવમાં નિષિત વેદનું નિત્ય નાત : મયાત્ પ્રત્યક્ષનુમાન ”, “મત રૂ૫ ૨ નિત્યay. ” અને “સમાન નામ=પરવાનrssyત્તાવાર નાત મુતા” સુત્રોમાં દેવાદિ સહિત સર્વજગતની ઉત્પત્તિ વેદશબ્દથી જ થઈ હોવાથી વેદશબ્દનું નિયત્વ કહ્યું છે. જે પ્રમાણે ઇંદ્રિપાંદ દેવો પોતાના સામર્થથી અનેક શરીરને ધારણ કરીને એક જ સમયે કરવામાં આવતા અનેક યજ્ઞોમાં ગમન કરી શકે છે, તેથી યજ્ઞાદિકર્મમાં વિરોધ આવતા નથી. તે જ પ્રમાણે શબ્દમાં પણ વિરોધ આવશે નહિ. કેમ કે વૈદિક શબ્દથી દેવદિ જગતની ઉત્પત્તિને સુત્રકાર સ્વીકાર કર્યો છે અને અન્ય કોઈ પણ પ્રમાણની અપેક્ષા ન કરનારી કૃતિ અને અતિરૂપ અન્ય પ્રમાણુની અપેક્ષા કરનારી મૃતિ પણ વૈદિક શબ્દથી સર્વ જગતની ઉત્પત્તિ કહે છે. બ્રહ્મસૂત્રનાં ઉપરોક્ત ત્રણ સૂત્રોનાં ભાષ્યોમાં શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, વલ્લભાચાર્ય વગેરેએ પિતાની વિચારસરણી રજૂ કરી હોવા છતાં સૌએ સૂત્રકારને અનુકુળ અર્થધટન આપવાને પ્રયત્ન કર્યો છે. જન્મમૃત્યુયુક્ત અનિત્ય દેવાદિ શરીરની સાથે નિત્ય શબ્દને સંબંધ સ્વીકારવાથી તે અનિત્ય થઈ જતું નથી. કેમકે વૈદિક શબ્દથી દેવદિ જગતની ઉત્પત્તિને આચાર્યોએ સૂત્રકારને અનુસરીને સ્વીકાર કર્યો છે. ઇદ્રાદિ દેવની વેદના શબ્દોથી જ ઉત્પત્તિ છે અને પૂર્વે પૂર્વેને ઈકાદિ નાર પામતા એ વૈદિક ઇન્દ્રાદિની આકતિવિશેષને કહેનાર ઈન્દ્રાદિ શબ્દાદિથી ઈન્દ્રાદિ જાતિનું સમરણ કરીને તેવા આકારના અન્ય ઇન્દ્રાદિને પ્રજાપતિ સૂજે છે. વ્યક્તિએ ઉત્પન્ન થાય છે તે પણ આકૃતિઓ નિત્ય હેવાથી શબ્દમાં કંઈ વિરાધ આવતું નથી. આમ આકૃતિ નિત્ય હોવાથી દેવાદિને પ્રભવ સ્વીકારાય તે ૫ણું શબ્દમાં વિરોધ આવશે નહિ. વેદિક શબ્દ , અનન્ય ગણાશે નહિ. વળી ‘દેવદત્ત” વગેરે શબ્દની જેમ “ઈન્દ્ર' વગેરે શબ્દો વ્યક્તિવિશેષના સંતવાળા નથી, પરંતુ 'ગો' આદિ શબ્દોની જેમ જાતિવિશેષને સંત . બતાવનાર છે. તેમ જ તે શબ્દોમાં વાચવાચકભાવ (અર્થ એ થાય છે અને શબ્દ એ વાચક છે, એ બંને પરસ્પર વાવાચકભાવ માન્ય છે) પણ નિત્ય છે. વૈદિક એવા ઇન્દ્રાદિ શબ્દથી તેના ખાસ અર્થનું સ્મરણ કરીને કુંભાર જેમ ઘડાને બનાવે તેમ પ્રજાપતિ ઇંદ્રાદિને સુજે છે, તે પ્રત્યક્ષ એટલે શુતિ અને અનુમાન અર્થાત સ્મૃતિથી જણાય છે, જેમ કે--“uતે તિ વૈ પ્રજાતિवानसजतासप्रमिति मनुम्यानिम्बब इति पितस्तिरः पवित्रमिति बहनाशव इति स्तोत्रं विश्वानीति મિસૌમત્વચા બગઃ ” “ પ્રજાપતિ રે (દેવ) એ શબ્દના સ્મરણપૂર્વક દેવતાને, . અસુરમ્ (રુધિરધાન દેહમાં રમણ કરનાર મનુષ) એ શબ્દના સ્મરણપૂર્વક પિતાને, : પવિત્રક (પવિત્રને તિરસ્કાર કરનાર પ્રહ)એ શબ્દના સ્મરણપૂર્વક પ્રહને, માથા : (ઋચાઓમાં વ્યાપી રહેલા સ્તોત્રો એ શબ્દના સ્મરણપૂર્વક સ્તોત્રને વિજ્ઞાન (ઑત્રપછી પ્રગમાં આવનારાં સ્તોત્રો)એ શબ્દના સ્મરણપૂર્વક શાસ્ત્રને અને fમણમા ( સર્વત્ર સોભાગ્યયુકત)એ શબ્દના સ્મરણપર્વક અન્ય પ્રજાને સુજતા હતા. વળી “ મૂરિસ કાજૂ મમતા ” તે પ્રજાપતિએ “ભૂ' એવો ઉચ્ચાર કરતાં પૃથ્વી સરછ, સમૃતિ પણ કહે છે કે " नामरूपे , भूतानां कर्मणां च प्रवर्तनम् ।। वेदशम्देभ्य एवाऽऽदो निर्ममे महेश्वरः ॥"१४ ૧૩ . બા. ૨૫-૨-૪-૨. ૧૪ મ૨-૧૨૧. For Private and Personal Use Only
SR No.536111
Book TitleSwadhyay 1992 Vol 29 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy