SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શુજાતનાં ફતના સાધન તરીકે પણ ૪ ગુજરાતની આઝાદીની ચળવળના પરિપ્રેક્ષ્યમાં વિવાથીઆંદોલને અને વિદ્યાર્થી પ્રવૃત્તિઓને વિશ્લેષણાત્મક અભ્યાસ. ૫ કોઈ એક મહત્વના સત્યાગ્રહને ઇતિહાસ. ૬ સૌરાષ્ટ્રમાં પ્રજાકીય આંદોલનને અભ્યાસ. ૭ ગુજરાતમાં સ્વદેશી ચળવળ ૮ કોઈ એક જિલ્લામાં સ્વાતંત્ર્યચળવળ ૯ (દેશી રાજ્યનું નામ) રાજ્યની પ્રતિનિધિ સભા (પરિષદ)ની રચના-સત્તાઓ અને કાર્યોને અભ્યાસ. ૧૦ ગુજરાતમાં આઝાદીની લડતમાં નેતૃત્વ-કર્ભવસ્વરૂપ અને કાયૅ પદ્ધતિ. ૧૧ ગાંધીજીના આગમન પૂર્વે ગુજરાતમાં રાષ્ટ્રીય જાગૃતિ. ૧૨ સ્થાનિક નેતાઓને સ્વતંત્રતા સંગ્રામમાં ઢળે. ૧૩ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં “હિંદ છેડાની લડતને અભ્યાસ. ૧૪ ગુજરાતના પ્રજાકીય આંદોલનનાં સામાજિક તથા આર્થિક પરિબળે. ૧૫ સ્વાધીનતા સંગ્રામમાં ધર્મપુર અને ધાર્મિક સંસ્થાઓને ફાળે. ૧૬ ગુજરાતની આઝાદીની લડત અને છીએ. ૧૭ આઝાદીની લડતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું પ્રદાન. ૧૮ આઝાદીની લડત અને દેશી રાજ્યોનાં વલ. ૧૯ આઝાદી જંગ અને રાષ્ટ્રીય શૈક્ષણિક સંસ્થાઓ, ૨૦ આઝાદીની લડત અને પત્રકારિત્વ. ૨૧ ...........(નેતા/સ્વાતંત્ર્ય સેનાની)નું આઝાદીની લડતમાં પ્રદાન. ઉપર દર્શાવેલા વિષયે તે માત્ર નમૂનારૂપ છે. બીજા અનેક વિષય છે. કેટલાક એવી પણ શંકા વ્યક્ત કરશે કે ઉપર્યુક્ત વિથ અ ની આધારસામગ્રી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી. છે કે એ હકીકત છે કે આ સામગ્રી જુદે જુદે સ્થળે વેરવિખેર છે. પરંતુ તેને શોધીને તેને પારસમણિને સ્પર્શ આપનાર કીમિયાગર સાધકની જરૂર છે. ઇતિહાસકારનું કાર્ય એક ધૂળધોયાનું કાર્ય છે. તેથી તેણે તે સત્યરૂપી સોનું મેળવવા માટે ખૂબ પરિશ્રમ લે પડશે. ગુજરાતની આઝાદીની લડતના ઇતિહાસને અભ્યાસ અને સંશોધન કરવાનું વલણ હાલમાં વધતું જાય છે તેથી તેનું મહત્વ વધે છે. ગુજરાતની આઝાદીની લડત વિષે સંશોધન કરનારે ગુજરાતમાં આવેલા દતર ભંડારમાં તથા ગુજરાતની બહારના દફતર ભંડારોમાં સંગ્રહિત આધાર સાધનોનો ઉપયોગ કરીને સ્વાતંત્ર્યની લડતના ઈતિહાસનું વૈજ્ઞાનિક પદ્ધતિએ વેધ્ય પ્રમાણમાં અને પરિમાણમાં આલેખન કરવું જોઈએ. ઈતિહાસ-લેખનમાં સાધનોના એકત્રીકરણનું કાર્ય સાવચેતી અને સાવધાની માગી લે છે. વળી એકત્રીકરણ માટે સંશોધકમાં તે માટેની રૂચિ, દષ્ટિ અને ઇત્ત હોવાં જોઈએ. આઝાદીની લડતના આગળ દર્શાવ્યા પ્રમાણેનાં વિવિધ દફતરની માહિતી એકત્રિત કર્યા પછી તેને વળાનિક ઢબે વિશ્લેષણ કરવું જરૂરી છે. ઇતિહાસનું સંશોધન એટલે કોઈ માહિતીને For Private and Personal Use Only
SR No.536111
Book TitleSwadhyay 1992 Vol 29 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy