SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૫ એસ. વી. જાની પ્રાદેશિક કે સ્થાનિક ઇતિહાસ પણ એક સ્વતંત્ર અભ્યાસને વિષય છે.પ રાષ્ટ્રીય ઇતિહાસના ઘડતર અને ચણુતરમાં તેનુ મહત્ત્વનું સ્થાન છે, કારણુ કે જ્યાં સુધી પ્રાદેશિક ઃ સ્થાનિક ઈતહાસ પ્રમાણભૂત અને સપૂરૢ રીતે લખાય નહિ ત્યાં સુધી રાષ્ટ્રનો ઇતિહાસ પણ સોંપૂર્ણ લખી શકાય નહિ. વળી પ્રદેશને ઇતિહાસ પણ દેશના ઇતિહાસથી જુદેં નથી જ બુક તેને પૂરક છે. પ્રાદેશિક ઇતિહાસ અને રાષ્ટ્રીય પ્રતિહાસના સબંધ શરીરના જુદા જુદા અવયવ અને પૂર્ણ શરીર જેવા છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતની આઝાદીની લડતનાં વિવિધ પાસાંઓનાં ક્ષેત્રે કેંટલાંક સશાધન—કાર્ય થયાં છે અને હજુ ઘણાં પાસાંઓ પર કાર્ય કરી શકાય તેમ છે. ગુજરાતની આઝાદીની લડતનાં છતરી ગુજરાત રાજ્યમાં તથા ગુજરાત રાજ્યની બહાર પણ છે. ગુજરાતનાં આ દતા મુખ્યત્વે દરેક જિલ્લાની ડીસ્ટ્રીકટ રેકર્ડ ઓફિસમાં સંગ્રહાયેલાં છે. તે ઉપરાંત ગુજરાત રાજ્ય સ્તરે ખાતાની સ્થાપના ૧૯૭૧ થી થઈ છે અને ૧૯૮૦થી તેના પૂરા સમયના નિયામકશ્રીની નિમણૂક કરવામાં આવી છે. આ તરખાતા હેઠળ હાલમાં વદરા, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, પોરળદર, જામનગર અને અમદાવાદ તથા ગાંધીનગરના દફ્તરભડારા છે, આ દફ્તરભડારામાં દસ્તાવેજોની સંખ્યા લાખામાં છે. તેમાંથી આઝાદીની લડતનાં જ દ¥તરાની સંખ્યા ઠીક ઠીક પ્રમાણમાં છે. ગુજરાતની બહાર મુંબઈમાં મહારાષ્ટ્ર રાજ્ય દફ્તર ભંડાર અને નવી દિલ્હીમાં રાષ્ટ્રિય અભિલેખા ગારમાં પણ ગુજરાતની આઝાદીની લડત અંગેનાં અનેક દૃતરા છે. આ તરાના ઉપયોગ કરીને આ લેખના લેખક સહિત ડૉ. શિરીનબહેન મહેતા, ડૉ. ઉષાબેન ભટ્ટ, ડૉ. જયકુમાર શુકલ, ડૉ. મુગટલાલ બાવીસી, ડૉ. અંજના ધારૈયા, ડૉ. કિરીટભાઈ પટેલ, ડૉ. સરવૈયા, ડૉ. મહેબૂબ દેસાઇ, ડૉ, લલિતકુમાર પટેલ, ડો. ડેવિડ હાડી મેન વગેરેએ ગુજરાતની આઝાદીની લડતનાં વિવિધ પાસાંઓને સ્પર્શતા મહાનિબધા રજૂ કરી પીએચ.ડી.ની ડીગ્રી મેળવી છે ખીજા “કેટલાક વિદ્યાર્થીઓ ગુજરાતની કેટલીક યુનિવર્સિટીમાં એમ.ફિલ, કે પીએચ.ડી.ની ડીગ્રી માટે આઝાદીની લડતના લડવૈયાઓ, સ`સ્થાએ, પ્રસ`ગા કે વિચારોના વિયો લઇને સશોધનકાર્ય કરી કથા છે. આમ આ વિષયમાં સારુ ખેડાણ થઇ રહ્યું છે. આ દતકેન્દ્રોમાં જે દસ્તાવેજો કે આધારસામગ્રી મળે છે તેનું વર્ગીકરણ આ રીતે કરી શકાય :-- (૧) હસ્તપ્રતાની ફાઈલ: સ્થાનિક સત્યાગ્રહો અંગેની પોલીસ દફતરાની ફ્રાઈ લા, બ્રિટિશ પોલીટીકલ એજન્ટ, રેસિડેન્ટ કે કલેકટરોએ મુંબઇના ગવર્નરને લખેલા પત્રા, અઠવાડિક, પખવાડિક કે માસિક અહેવાલોની ફાઇલેા, ન્યાયતંત્રે સત્યાગ્રહીને કરેલી સજા અંગેની કાપલા, ઢામરુલ ચળવળ અંગે પ્રજાના પ્રત્યાધાતાની ફાઈ લે, સ્વદેશી ચળવળ અંગેની ાખલા, મીઠાના સત્યાગ્રહી તથા ભારત છેડે આંદોલન અંગે વહીવટતત્રના પ્રતિભાવા દર્શાવતી ફાઈલ. 5 Ghate, V. D. -The Teaching of History, Oxford University Press, 6th Ed., Bombay, 1964, P. 19. For Private and Personal Use Only
SR No.536111
Book TitleSwadhyay 1992 Vol 29 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy