SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અરુણા કે. પટેલ ૨ાધુનિક આલેચકી સુદ્ધાં મહિમભટ્ટના નવા અભિગમ પ્રત્યે રુચિ દાખવી શકયા નથી. તેનાં ક રણોની ચર્ચા અહીં પ્રસ્તુત છે. કારણ કે અહીં કેવળ મહિમે કપેલ અનુમિતાનુમય નામના કાવ્યપ્રકારની ઉદ્દભાવનાને રસાસ્વાદ કરવાનું છે અને તે પણ આલેચકની દૃષ્ટિથી. ૨૫નુમિતાનુયની ભૂમિકા: મહિમના મતે વ્યંજના કરતાં, અનુમાનની ક્ષિતિજો સુદૂરવતી છે એટલું જ નહિ, અર્થપ્રાપ્તિની બાબતમાં પણ વ્યંજના કરતાં અનુમાન વડે સુધમાતિસૂમ અર્થ પણ ગ્રાહ્ય બને છે. રકા તથને પ્રત્યક્ષરૂપે સિદ્ધ કરવા માટે તેમણે અનુમિતાનુમેય નામના કાવ્યપ્રકારની, કહે કે ૨ નુમાનના એક પ્રકારની ઉભાવના કરી છે. અલબત્ત તેમને ઉપક્રમ, આ પ્રસંગે પણ વ્યંજનાપંડનને જ રહ્યો છે. અનુમિતાનુમેય નામના અનુમાન પ્રકારને સંદર્ભ આનંદવર્ધનની નિપરભાષાના ખંડનને છે. આનંદવર્ધનની વનિપરિભાષા यत्रार्थः शब्दो वा तमर्थमपसर्जनीकतस्वार्थों व्यङक्तः काव्यविशेषः स ध्वनिरिति सरिभिः कथितः ॥ માં પ્રયુક્ત અર્થ' શબ્દ સામે તેમણે વાંધો ઉઠાવ્યો છે. તેમણે પ્રશ્ન કર્યો છે કે, અર્થના ઉ પસ૮નીકૃતત્વ વડે આનંદવર્ધન શું કહેવા માગે છે? વન્યર્થની અભિવ્યક્તિ માટે વાચ્યાર્થ ઉપસર્જનીકત બને છે કે વ્યંગ્યાર્થ પણ ઉપસર્જનીકૃત બને છે? લંડ્યાર્થ ઉપસર્જનીકૃત બને, તેવું આનંદવર્ધનને અભિમત નથી જ. કારણ કે પરિભાષામાં તેણે જ “તાર્થ' એવો શબ્દપ્રયોગ કર્યો છે, ત્યાં તેમના મતે “તદ્' શબ્દનો અર્થ કેવળ પ્રતીયમાન અર્થરૂપે જ ઇષ્ટ છે. ને વળી, તેમણે જ સ્વયં, “ પ્રતિમાને પુનરચય......( વન્યા. કારિકા-૪) અને અરયતી ધાતુ સર્વપલ્લુ નિદણમાના........... (વન્યા. કારિકા-૬)માં “સા' શબ્દને પ્રોગ પ્રતીયમાન અર્થ માટે જ કર્યો છે. તેનો અર્થ એ થયો કે, પરિભાષામાં જે અર્થના ઉપસર્જનકિતત્વની વાત કરવામાં આવી છે. તે વાચ્યાર્થીની જ હોઇ શકે છે, પ્રતીયમાનની નહિ. કારણ કે પ્રતીયમાન એ તે સાધ્ય વસ્તુ છે. વાવાર્થ સાધન છે, અને સાધન જ હમેશાં સધ્ધિની અપેક્ષાએ ગણુ હોય છે, આનંદવર્ધનના શબ્દોમાં ઉપસર્જનીકૃત હોય છે. આમ, દહનપરિભાષામાં, આનંદવર્ધનને વાગ્યાથનું ઉપસર્જનાકૃતત્વ વિવિક્ષિત છે. પરંતુ તેણે આપેલા ઉદાહરણ લેકમાં તે તેના આ સિદ્ધાંત કરતાં જુદું જ જોવા મળે છે. તેનાં કેટલાંક ઉદાહરણોમાં એવું દષ્ટિગોચર થાય છે, કે વાચ્યાર્થ સ્વને ઉપસર્જનીકૃત બનાવીને અન્ય વ્યંગ્ય અર્થની પ્રાપ્તિ કરાવે છે. આ રીતે પ્રાપ્ત થયેલ વ્યંગ્ય અર્થ પુનઃ પિતાની જાતને ઉપસર્જનીકૃત બનાવીને એટલે 'ક વ્યંજક બનીને ત્રીજા જ અર્થની અભિવ્યક્તિમાં નિમિત્તભૂત બને છે ! દષ્ટાંતમાં આવું બને છે, તે છતાં, એકવાર પ્રાપ્ત થયેલ વંડ્યાર્થ પુન: વ્યંજક બની શકે, તે વાત આનંદવર્ધનને અસ્વીકાર્ય છે. આથી આનંદવર્ધનને સિદ્ધાંત, “વાર્થ સ્વને ઉપસર્જનીકૃત બનાવીને ‘ગ્યાથને પ્રગટ કરે છે. બીજા શબ્દોમાં–વાચ્યાર્થ વ્યંજક બનીને વ્યંગ્યાર્થીને વ્યક્ત કરે છે.” તે અવ્યાપ્તિ દોષયુક્ત કરે છે. કારણ કે વાગ્યાથે સિવાય, બંગાથે પણ વ્યંજક બનતે ઉદાહરણ ૧ આનંદવર્ધન-વન્યાલક, સં. ત્રિપાઠી રામસાગર, મોતીલાલ બનારસીદાસ, દિલ્લી, ૧૯૧૩, પૂર્વાર્ધ ૧-1. For Private and Personal Use Only
SR No.536111
Book TitleSwadhyay 1992 Vol 29 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy