SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir T વસનતકુમાર મ જદ કતર અર્થપરક નિર્વચન વિચારાયું છે અને એ રીતે ભૂમિને માટે ઃ શબ્દ કેમ વપરાતા થયા છે. એને ખુલાસો આપવામાં આવ્યો છે. (ઉપર નિશલા ૧૦-૩૫ લેકમાં “દુહિતત્વ 'ને પૃથની પુત્રી બની ' એ રૂઢ અર્થ કરે ઉચિત જણાતું નથી.) મસ્યપુરાણુના ૧૮૦ થી ૧૮૫ અધ્યાયમાં “વારાણુસી–મહામ્ય ’નું વિસ્તૃત વર્ણન આવેલું છે. એમાં દેવી પાર્વતી શંકરને “અવિમુક્ત' ક્ષેત્રનું માહામ્ય કહી સંભળાવવા વિનંતી કરે છે. શંકર વારાણસીમાં આવેલા અવિમુક્તક્ષેત્રને મહિમા ગાય છે. જેમકે, આ ક્ષેત્ર તે મેક્ષદાયક છે અને શિવલોકની ઈચ્છાવાળા લોકો અહીં આવીને નિવાસ કરે છે વગેરે. હવે આ ક્ષેત્રને ” અવિમુક્ત ' કેમ કહેવામાં આવે છે એને સમજાવતાં શંકર કહે છે કે—() विमुक्तं न मया यस्मान्मौक्ष्यते वा कदाचन । महत् क्षेत्रमिदं तस्माद् अविमुक्तमिदं स्मृतम् ॥ -मत्स्यपुराणम् (१८०-५५) અર્થાત “મેં (ભૂતકાળમાં) આ ક્ષેત્રને છેડયું નથી; કે ભવિષ્યમાં પણ એને છેડવાને નથી.તેથી આ મોટું ક્ષેત્ર “અવિમુક્ત' નામે ઓળખાય છે. આ જ મુદ્દાની પુનરુક્તિ કરતાં કહ્યું છે કે यत्र सन्निहितो नित्यमविमुक्ते निरन्तरम् । तत्क्षेत्रं न मया मुक्तमविमुक्तं ततः स्मृतम् ॥ -मत्स्यपुराणम् (१८१-१५) આ અવિમુક્ત ક્ષેત્રમાં હું સતત હાજર હેઉં છું અને મેં કયારેય આ ક્ષેત્રને છોડયું નથી. તેથી તેને “અવિમુક્ત-ક્ષેત્ર કહે છે.” (૪) આ ક્ષેત્રને જદી જુદી રીતે મહિમા ગાવા માટે “ અવિમુક્ત” શબ્દનું એક બીજ નિર્વચન પણ રજૂ કરવામાં આવ્યું છે, જેમ કે, विघ्नश्चालोड्यनानोऽपि योऽविमुक्त न मुञ्चति ।। - ર મુનતિ કાબુ કમ તલગાજત –મતીપુરમ્ (૧૮૨-૨). (વારાણસીમાં રહેતાં રહેતાં એ છવનમાં વિદને આવી પડે તે) તે વિદનેથી ચારે તરફ શુમાવવામાં આવે તે પણ જે અવમુક્ત ક્ષેત્રને છોડતું નથી, તે વ્યક્તિ જરા, મૃત્યુ અને અનિય એવા જન્મને (કાયમને માટે) છોડી દે છે; (અર્થાત નિત્યપદને પામે છે, અજર-અમર બને છે).” (1) ત્રીજે તબકકે પણ વારાણસીમાહામ્ય વિસ્તાર કરવા આ “અવિમુક્ત' શબ્દના નિર્વચનને જ ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમ કે, પાર્વતીએ પ્રશ્ન કર્યો છે કે બ્રહ્માડમાં હિમાલય, મેર, ગન્ધમાદન પર્વત, માનસરોવર અને નન્દનવન જેવું દેવઘાન હોવા છતાં ય એ સાળાને ત્યાગ કરીને તમે અવિમુક્ત-ક્ષેત્રમાં જ રહેવાનું કેમ પસંદ કરો છો ? તથા આ ક્ષેત્રને નહીં છોડવાનું શું કારણ છે? આને રહસ્યસ્ફોટ કરતાં શંકર એક કથા કહે છે. બ્રહ્માજીએ • અહીં H. H. Wilson વાળી આવૃત્તિમાં તથા શ્રી નલાલ મોર દ્વારા સસ્પાદિત મસ્પપુણની આવૃત્તિમાં થો વિમુરાતે કાતિ એ અવગ્રહ વિનાને પાઠ છે. પરંતુ અવગહ હો જારી છે. (જુઓ: માપુIળામ-Tહમvજનમાણાયા: થયો શપુષ્યમ્, સં. નતા મોર, ના, 1954, જુઠ ૧૩૬ તથા પાદટીપ-૧ માં દર્શાવેલી વિલ્સનવાળી આવૃત્તિના બીજા ભાગનું ૫૪ ૮૬૩), For Private and Personal Use Only
SR No.536111
Book TitleSwadhyay 1992 Vol 29 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy