SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વસંતકુમાર મ ભક સિદ્ધ કરવી છે; બીજા શબ્દોમાં કહીએ તે જગત્પત્તિની અંદર “ શરીર' એવું નામકરણ કયા ઈતિહાસને કહેનારું છે ? એ તરફ અંગુલિનિર્દેશ કરવાનો આશય છે. (પુરાણમાં મળતાં નિર્વચનની સમીક્ષા આગળ ઉપર કરવામાં આવશે). કશ્યપ દ્વારા અદિત, દિતિ, દનુ વગેરે પત્નીઓમાં જે વિવિધ પુત્રોને જન્માવવામાં આવ્યા છે એનું વર્ણન કરતાં “મસ્યપુરાણ'માં મારુતિની ઉત્પત્તિ પણુ વર્ણવી છે. સામાન્ય રીતે તે દિતિના પુત્રોને “દૈત્ય ' જ કહેવાય છે; પણ મરુતે દિતિના પુત્રો હોવા છતાંય, “મરુતે ' શા માટે કહેવાયા ? અને તેઓ દેવવલભ-દેવોના મિત્ર-કેવી રીતે બન્યા તેની કથા આ પ્રમાણે છે: દેવાસુર-સંગ્રામમાં દૈત્ય હણાયા પછી દિતિએ મદનદ્વાદશીનું વ્રત કર્યું. આમ તે ઈન્દ્રને વધ કરનાર પુત્રને જન્માવવા ઉદ્યત થઈ! પણ ઇન્ડે એક અશોચની ક્ષણને લાભ લઈને દિતિના ગર્ભને સાત ટુકડા કર્યો. તે સાત કુમારરૂપે પરિણમ્યા અને સાત તાલની જેમ રડવા લાગ્યા. તેથી ઇન્દ્ર તે સાતેયના ફરી સાત-સાત ટુકડા કર્યા. પરંતુ તે એગપચાસ પુત્રો બનીને વધારે રડવા લાગ્યા. આથી ઈન્દ્ર “તમો રડશે નહીં–વો નિવારવાના મા તેથી પુનઃ પુનઃ - મરપુરાનમ્ (૭-૫૮) એમ વારંવાર કહ્યું. પછી ઇન્દ્ર જાણ્યું કે આ તે મદનદાદશીવ્રત દ્વારા ધર્માચરણ કરીને વિષ્ણુના પ્રસાદથી મેળવેલા પુત્રો છે. તેથી પુનઃ પુનઃ સજીવન થાય છે. આથી તેમને દેવકોટિમાં જ મૂકવા પડશે. આમ મરતે કેવી રીતે દેવના મિત્ર બન્યા તે કથા કહી, ત્યાર પછી મરુતે “મરુ' શા માટે કહેવાયા? એ વાતને ખુલાસો કરીને પુરાણકાર આ કથાને ઉપસંહાર કરે છે : यस्मा'मा रुदते'त्युक्ता रुदन्तो गर्भसंस्थिताः । मरुतो नाम ते नाम्ना भवन्तु मखभागिनः ॥ -मत्स्यपुराणम् (७-६२) અર્થાત ગર્ભમાં રહેલા તેમને મા ઉત-“તમો રડશે નહીં ”—એમ કહેવાયું હતું તે કારણે તમે ભલે “મરત' એવા નામે ઓળખાઓ, અને યજ્ઞમાં આહુતિને ભાગ મેળવનાર બને (એમ ઇન્ડ વડે કહેવાયું છે). નૈમિષારણ્યના ઋષિઓ સૂતને પ્રશ્ન પૂછે છે કે – बहुभिर्धरणी भुक्ता भूपालः श्रूयते पुरा। વધવા વિવીયોriz “વિ ' 0 વોr: II. किमर्थञ्च कृता संज्ञा भूमेः किं परिभाषिणी। गौरितीयञ्च विख्याता सूत कस्माद् ब्रवीहि नः ॥-मत्स्यपुराणम्(१०.१,२) અહીં પ્રશ્ન કર્યો છે કે પૃથિવીને બેગ કરનારા હોવાથી રાજઓ “પાર્થિવ' કહેવાય છે એ તે સમજ્યા, પણ આ ધરણુને શા કારણે 'પૃથિવીકહેવાય છે? વળી આ પૃથિવીને : (ગાય) એવી સંજ્ઞા કેમ મળી, અર્થાત આ પૃથિવીને માટે જ એવી પરિભાષા કક્ષારથી વપરાવા લાગી ? હવે નિર્વચન-જિજ્ઞાસામાંથી ઊભે થયેલો આ પ્રશ્ન પૃથ્વીદેહનની કથાને અવતારવામાં નિમિત્ત For Private and Personal Use Only
SR No.536111
Book TitleSwadhyay 1992 Vol 29 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy