SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૨ નરેન્દ્રકુમાર પી. મહેતા તિશાસ્ત્રમાં પ્રાચીન ઋષિમુનિઓએ અને આચાર્યોએ તિષશાસ્ત્રીય દિવ્યજ્ઞાનની સાથે સાથે ભારતીય સંસ્કૃતિનાં વિવિધ પાસાંઓનું સુંદર નિદર્શન કર્યું છે. ઘણીવાર એક શાસ્ત્રના નિરૂપણની સાથે સાથે અન્ય શાસ્ત્રોનું નિરૂપણ આડકતરી રીતે પોતાની બહુમુખી પ્રતિભા દ્વારા રજૂ કરી દે છે. દેવશિરોમણિ વરાહમિહિરે જોતિષશાસ્ત્રના ત્રણે સક ઉપર પિતાના ગ્રંથોની રચના કરી છે. “પંચસિદ્ધાંતિકા ', “અહજજાતક” અને “બૃહતસંહિતા'માં તેની બહુમુખી પ્રતિભા જોતિષોને તેમ જ તા વિદ્વાનોને પ્રભાવિત કરી દે છે. તેને “બૃહત સંહિતા' ગ્રંથ તે ભારતીય જ્ઞાનવિજ્ઞાનને વિશ્વકોશ કહી શકાય. બહત્સંહિતાના “પ્રહગોચરાધ્યાયમાં આચાર્ય વરાહમિહિરે જ્યોતિષવિષયક ગોચરજ્ઞાનના નિરૂપણની સાથે સાથે મુદ્રાલંકાર દ્વારા વિવિધ દેવૃત્તોને પરિચય કરાવ્યું છે. આ મહોચારધ્યાયમાં લેખકે એક સાથે જ્યોતિષ, છંદ, કાવ્ય અને અલંકારને પરિચય કરાવી દીધું છે. વાહમિહિરની ભાષાશૈલીમાં કાલિદાસની શૈલી પ્રતિબિંબિત થતી જોવા મળે છે. તેની કેટલીક શ્લેકપંક્તિઓ કાલિદાસની આમ્રમંજરી જેવી મધુર સૂક્તિઓને રસાસ્વાદ કરાવે છે અને કાલિદાસની યાદ તાજી કરાવે છે. કદાચ કાલિદાસ અને વરાહમિહિર (ઈ. સ. ૫૫) સમકાલીન હોય અને તત્કાલીન ( ગુપ્તકાલીન ) વિદ્યાકીય વાતાવરણની તેમના ઉપર અસર હોય તે બનવાજોગ છે. વરાહમિહિર પછી લગભગ તુરત જ થયેલ કલ્યાણવર્માએ તેના સારાવલી નામના જાતક ગ્રંથમાં ચંદ્રારિyભંગાધ્યાય'માં જતિષવિષયક ચંદ્રના વેગથી થતા બાલારિષ્ટભંગની સાથે સાથે આયુર્વેદિક વિચારોનું નિરૂપણ કર્યું છે. “ચંદ્રારિષ્ટભંગાધ્યાય' નામના આ અગિયારમા અધ્યાયમાં લેખકે ચંદ્રથી થતા વિવિધ શુભયોગે અને તેનાથી થતા બાલારિષ્ટભંગોગોનું વિવરણ કર્યું છે “ અરિષ્ટ” એટલે અનિષ્ટ, અમંગળ કે બાળપણમાં બાળકને થતો મૃત્યુયોગ. બાળકના જન્મ સમયે આકાશના ચહેને આધારે જાતકની જન્મકુંડળી બને છે અને તેમાં શુભાશુભ રહેને આધારે જાતકનું ભાવિજીવન ઘડાય છે. અશુભ મહયોગથી બાળકનું બાળપણમાં જ મૃત્યુ થાય છે. આ જાતના રોગ બાલારિષ્ટ વેગ કહેવામાં આવે છે. લેખકે સારાવલીના દશમાં અધ્યાયમાં બાલારિષ્ટગોનું વિશદ વર્ણન કર્યું છે. દશમાં “અરિષ્ટાધ્યાય 'માં અરિષ્ટ ગોનું વિગતે વર્ણન કર્યા પછી અગિયારમા અને બારમા અધ્યાયમાં લેખકે ચંદ્ર, ગુરુ, શુક્ર વગેરે ગ્રહથી થતા, શુભયોગ દ્વારા અરિષ્ટભંગનું વિવરણ કર્યું છે. ચંદ્રારિષ્ટભંગાધ્યાય” નામના અગિયારમાં અધ્યાયમાં માત્ર ચંદ્રથી થતા શુભ ચેનો દ્વારા અરિષ્ટભંગનું નિરૂપણ કર્યું છે અને તેની સાથે સાથે આયુર્વેદિક વિચારોનું પણ નિદર્શન કર્યું છે. અરિષ્ટભંગ અંગેના ૨ ઝા (પ.) અમૃતાનન, “બૃહત્સંહિતા” ચૌખમ્બા વિદ્યાભવન, વારાણસી-૧, ૧૯૮૩, ૫. ૪. વાવઃ વારી નુતનો હિ yળાવોપાલ માસિ | - કુ પડેય (ડે.) રામચન્દ્ર, તિવિધાભરણમ', મોતીલાલ બનારસીદાસ, દિહી, ૧૯૮૮, આ. ૧, પૃ. ૬૫૬. धन्वंतरिः क्षपणकामरसिंह शकुवेतालभट्टघटसर्परकालिदासाः। ख्यातो वराहमिहिरो नृपतेः सभायां रत्नानि वै वररुचिनव विक्रमस्य । २२.१." For Private and Personal Use Only
SR No.536110
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages192
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy