SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કલ્યાણમકૃત સાવલીના પરિમાણમાં વૈદકીય વિચાર -૨૨૩ તિપદીય વિવેચનની સાથેસાથ લેખકે આયુર્વેદિક વિચારોનું રોગો અને તેના ઉપચાર સાથે રિસપ્રદ વર્ણન કર્યું છે. જન્મના ચંદ્રયોગથી કયારે અરિષ્ટનો ભંગ કે નાશ થાય છે તેના એક એક યોગની સાથે લેખકે રોગ અને ઉપચારના ઉદાહરણ દ્વારા વૈદકીય વિચાર રજૂ કરેલ છે. જાતકની જન્મકુંડળીમાં ચંદ્રના વિવિધ ગાથી જેમ અરિષ્ટને ભંગ કે નાશ થાય છે તેમ વૈદકીય વિવિધ ઉપચારોથી કે પ્રગોથી વિવિધ રોગોને નાશ થાય છે તેવું સમુચિત દર્શન કરાવ્યું છે. સારાવલીના ૧૧મા અધ્યાયમાં કુલ સત્તર શ્લોકો જોવા મળે છે. કેટલીક આવૃત્તિમાં અઢાર લેકો જોવા મળે છે. કલેકોમાં કેટલીક જગ્યામાં પાઠભેદ પણ જોવા મળે છે. આમ છતાં રોગ અને ઉપચારમાં કંઈ ખાસ તફાવત જણાતું નથી. પ્રથમ બે લેાકોમાં બાળારિષ્ટયોગ અને તેની નિષ્ફળતાની પ્રસ્તાવના ર્યા બાદ ત્રીજા સ્લેકથી લેખક જન્મસમયના ચંદ્રની સ્થિતિને આધારે બાલારિષ્ટયાગના નાશનું વર્ણન કરે છે. જેમ રાજા ન્યાયભંગ કરનારને નાશ કરે તેમ સંપૂર્ણ ચંદ્ર જે જન્મસમયે બધા ગ્રહોથી દુષ્ટ હોય તે અરિષ્ટને નાશ કરે છે. અહીં દંડવિષયક રાજનૈતિક વિચારથી બાલારિષ્ટ ભંગની ચર્ચાને પ્રારંભ થાય છે. તેવી જ રીતે છેલ્લા અઢારમા શ્લોકમાં જેમ પિતા પોતાના પુત્રને મારતું નથી, પરંતુ રક્ષણ કરે છે તેમ જાતકની જન્મકુંડળીમાં છઠ્ઠા કે આઠમા ભાવમાં રહેલ ચંદ્ર શુભાશુભ પ્રહથી દુષ્ટ હોવા છતાં જે જાતકને જન્મ શુકલ પક્ષમાં રાત્રે થયો હોય અથવા કૃષ્ણ પક્ષમાં દિવસે થયેલે હેય તે ચંદ્ર પ્રયત્નપૂર્વક આપસમાં રક્ષણ કરે છે. આમ અહીં છેલ્લા કોમાં કૌટુંબિક વિચાર રજૂ થયેલ છે. અન્ય શ્લોકમાં લેખકે મહદ્ અંશે વૈદકીય વિચારો રજૂ કર્યા છે. કોઈ કોઈ વાર આ ચર્ચાની વચ્ચે ( ૧૦, ૧૧, ૧૨, ૧૪, ૧૬ અને ૧૭માં) અન્ય (કુલાંગના, લેભી, ડરપોક, સૂર્ય, રાજાની સેના, સૈનિક, વાલ, મૃગ વગેરેનાં) ઉદાહરણો દ્વારા. બાલારિષ્ટભંગની તુલના કરીને વિવિધ વિચારો રજૂ કર્યા છે ૮ આમાં લેખકની વૈદકીય વિચારણા ઉપરાંત અન્ય સામાજિક, રાજકીય, બોધવિષયક વગેરે બાબતેનું જ્ઞાન સમુલસિત થાય છે. હવે આ સારાવલીના અગિયારમા અધ્યાયમાં વૈદકીય વિચારનું અનુશીલન કરતાં જણાય છે કે અહીં લગભગ દશેક રોગો અને તેના ઉપચાર કે તે રોગને નાશ કરવા માટેના પ્રયોગોનું નિરૂપણ થયું છે. આ રોગો અને ઉપચાર લેખકના સમયના પ્રચલિત અને જાણીતા હેવા 8 R. Santhanam, Saravali of Kalyana Varma, Vol I, Ranjan Publications, 16, Ansari Road, Daryaganj, New Delhi 110002, First Edition, 1983, Page-142. ५ चतुर्वेदी (डॉ). मुरलीधर, श्रीमत् कल्याणवर्म-विरचिता सारावली “कान्तिमती" हिन्दी व्याख्या सहिता, मोतीलाल बनारसीदास, वाराणसी, १९८६, तृतीय संशोषित ઉતળ, ૫૦ ૮૨. . જ ૬ એજન, પૃ. ૭૯, ૧૧/૩ (૧૧ મે અધ્યાય/હે. :). -- ૭ એજન, ૫. ૮૧, ૧૧/૧૮, ' ' ; * : ૮ એજન, ૫. ૮૦-૮૧, ૧/ ૧૨, ૧૪, ૧૧, ૧૦, ૨૦, ૨૫; ; ; ; ' : સ્વા ૪ For Private and Personal Use Only
SR No.536110
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages192
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy