SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતી વઘુનવલનાં વિષયવસ્તુઓ પ્રયત્ન કરે છે, પણ તે અસફળ રહે છે. આખરે એ કામ સમય કરી આપે છે. પિતાને જીવવાને કોઈ અધિકાર નથી, પિતાની એ માટે પાત્રતા નથી એવી ગાંઠ વાળીને બેસી ગયેલા અશોકને આખરે સમયદેવતા જ સમજાવી શકે છેઃ “ન જીવવું એ એના હાથની વાત નથી. હાવું જીવવું એ સ્વાર્થ નથી, એ આપણી નિયતિ છે. ” માણસ ન જીવવાને પ્રયોગ કરી શકતો નથી એ વાત “પેરેલિસિસ 'ના અરામની માફક “તેડાગર 'ના અશાકને પણ મોડી મોડી સમજાય છે. તેથી, આ લઘુનવલનું વિષયવસ્તુ પણ આત્મબંધનું છે. અલબત્ત, નાયકને આ આત્મબોધ કરાવવા માટેની જરૂરી કારણવ્યવસ્થા લેખક કરી શકયા નથી. પેરેલિસિસ'માં એ કામ આશિકા કરી શકી હતી, આ રચનામાં તે સૂરજ એ કરવામાં અસફળ રહે છે. મલયની નિરાધારીને કારણે પણ એ થઈ શકયું નથી. “દુ:ખનું ઓસડ દહાડા” એ ન્યાયે અશોકનું દુઃખ હળવું થાય એ સમજાય પણ સમયે કઈ રીતે એનું ભ્રમનિરસન કરી એને આત્મભાન કરાવ્યું એ લેખક પ્રતીતિકરૂપે દર્શાવી શકયા નથી. ગુજરાતી સર્જકોને અનાત્મીકરણનું વિષયવસ્તુ પણ પસંદ પડયું હોય એવું એના પરની ત્રણ કથાઓ જોતાં લાગે છે. એમાંની એક છે દિલીપ રાણપુરાની “સૂકી ધરતી, સૂકા હોઠ.” તેમાં પરિસ્થિતિ અને સંજોગાની ભીંસમાં એક આશાસ્પદ યુવાનના થતા આત્મવિલોપન (self effacement)ની કથા છે. પંચાળના નપાણિયા પ્રદેશમાં માત્ર ૨૩૭ માણસોની વસ્તી ધરાવતા શેખોદડ ગામમાં સેવા અને ઉદ્ધારનાં અનેક ઉરઅરમાને લઈ શિક્ષકની નોકરી કરવા આવતા ભાવનાશાળી યુવાન જયંતીલાલ ઠાકરનાં, અનેક દૂષો અને વિકૃતિઓથી ખદબદતા મામ સમાજમાં કોઈ સ્વાને સાકાર થતાં નથી. એથી ઊલટું એના આશાઅરમાન ઈમાનધરમને વંસ થાય છે. ત્યાંથી બદલી કરાવવાના એના પ્રયત્ન લાંચિયા વહીવટીતંત્રમાં કારગત નીવડતા નથી. ગ્રામસમાજની બદીઓ અને વિકૃતિઓને દૂર કરવાની વાત તે બાજુ પર રહી, પરિસ્થિતિ અને સંજોગોવશ, એ ખુદ બીડી, દારૂ, જુગાર જેવાં વ્યસનમાં સરતે જાય છે. પશુમૈથુનની અધમ કોટિ સુધી એ પહેચે છે. રૂપાળા આદર્શ પર નગ્નકઠોર વાસ્તવને એ વિજય થાય છે કે એને આ સ્થિતિમાં લાવી મૂકનાર ગામમાંથી તેને ખસેડી લઈ શહેરમાં સ્થાયી કરવાના એનાં બહેન-બનેવીના પ્રયત્ન ખુદ જયંતી જ સફળ થવા દેતા નથી ! ધણું પ્રયત્નને અંતે તેને ત્યાંથી બદલીને ઓર્ડર મળે છે ત્યારે વિધિની વક્તા એ છે કે પોતાની બહેન પર તે કુદષ્ટિ કરે એટલી હદે તેનું પતન થઈ ચૂકયું હોય છે. જયંતી મટીને જાણે એ “જ' બની ગયો છે અને તેથી જ બદલીને ઓર્ડર એ ઈ-કારે છે. એક ઉમંગી અને ભાવનાશીલ શિક્ષિત યુવાનના શતમુખ વિનિપાતની ઘટનામલક માળખાંથી પરંતુ પૂરા વાસ્તવિક અભિગમથી રજૂ થતી આ કથા, જયંતીમાંથી “જંતુ' બની જતા માણૂસના આત્મવિલોપનની કરુણ કથા છે. આવી બીજી કથા છે જયંત ગાડીતની “આત'. તેમાં વૈયક્તિક ચેતનાના હૂાસની કથા છે. તળ ગુજરાતના કોઈ ટાઉનની કૅલેજમાં અધ્યાપકની નોકરી કરતો એને નાયક આવૃત આજકાલ કાલેલા અશેક્ષણિક વાતાવરણુમાં રીઢા અને અપ્રામાણિક અધ્યાપકે જે રીતિનીતિ અખત્યાર કરે છે તેવી અપનાવી આચરી શકતો નથી. વર્ગમાં વિદ્યાર્થીઓને ને છતરાવતા નથી. ટયુશને કરતા નથી. ટાળામાં મિજબાનીઓમાં સૌ સાથે ભળતું નથી. પોતાની આસપાસના સૌ કરતાં For Private and Personal Use Only
SR No.536110
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages192
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy