SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨: - નરેશ વેદ, જુદી રીતે વિચારવા જીવવા એ મથે છે, પણ પરિણામે પત્ની, પાડોશીઓ, વિદ્યાર્થીએ, સાથીઓ અને કોલેજના સંચાલકો સોની ગેરસમજ અને ટીકાનિંદાનો ભોગ બની બેસે છે. નેકરી ગુમાવે છે. આદર્શો-સિદ્ધાંત છેડી પ્રવાહપતિત થયા વિના નવી નોકરી મળે તેમ નથી કરી મેળવવા કાંકાં માતા પિતાપણું જાળવી રાખવા અર્થે એને ઘણું ઝૂઝવું પડે છે. પણ આખરે પરિસ્થિતિ અને સંજોગોની ભીસ સામે ટકી ન શકતાં પિતાના આદર્શો-સિદ્ધાંતો સાથે બે કરી, પિતાપણું છોડી તેને સૌના જેવું થઈ જવું પડે છે.! આવૃત જોશી મટી ક-૨૩ થઈ જવું પડે છે ઘરની અને બહારની બેવડી પ્રતિકુળતાઓ વચ્ચે પોતાનું સ્વત્વ-સંમાને સાચવી ન શકતાં, પિતાની વૈયક્તિક ચેતનાને સાચવી રાખવાની શકય તેટલી મથામણુ કર્યા પછી, કર વાસ્તવ સામે પરાભૂત થતા લાચાર મનુષ્યની વાત તેમાં લેખકે કરી છે. આપણું સમાજ અને શિક્ષણક્ષેત્રે આજકાલ ફેલાયેલું દૂષિત વાતાવરણ એક સંવેદનશીલ અને પ્રામાણિક મનુષ્યનું કેવું કરુણ રીતે અનાત્મીકરણ કરે છે તેની કથા વાસ્તવવાદી દૃષ્ટિકોણથી લેખકે કરી છે. “ આવૃત 'માં અનાત્મીકરણને વણ્યવિષય જે રીતે નિરૂપાય છે તેમાં વસ્તુ આજન અને નિરૂપણમાં તેના સર્જકને આવાસ સહેજહાજ કળાઈ આવે છે. પરંતુ એ જ વિષયનું નિરૂપણ કરતી ધીરુબેન પટેલની “એક ભલે માણસ 'માં આ આયાસ હેજ પણ દેખાતે નથી. તેથી તે વધારે સહજ સ્વાભાવિક લાગે છે. તે કથાના નાયક એછવલાલ છે તે મુંબઈની એક વેપારી પેઢીના સામાન્ય મુનિમ. પરંતુ તેમણે તેમની નિષ્ઠા, પ્રામાણિકતા અને કાર્યકુશળતાથી તેમ ગરીબડા સ્વભાવથી તે જ્યાં નેકરી કરે છે તે પેઢીના શેઠ-શેઠાણીના દિલમાં આદરભર્યું સ્થાન મેળવ્યું છે અને બજારના અન્ય વેપારીઓમાં એક શાખઆબરૂ મેળવી છે. એમની ચુસ્ત સ્વામીભકિત અને એના વળતરમાં મળતા મામુલી પગારને કારણે એમનાં પત્નીપુત્રને રોષ વહોર્યો છે, તેમ એમના જ્ઞાતિ સમાજમાં માનસ્થાન મેળવી શકયા નથી. અન્ય પેઢીની આકર્ષક પગારવાળી નોકરીનું નિમંત્રણ પણ તેમને લલચાવી શક્યું નથી. એ એરછવલાલ શેઠાણી પ્રત્યેના આદર, પેઢી પ્રત્યેની વફાદારી અને શેઠની વિનંતીને કારણે શેઠના પુત્રોને દાણચોરીને ગુને માથે ઓઢી લઈ જેલવાસ પણ ભેગવી લે છે. પણ જેલમાંથી સજા ભોગવી બહાર આવતા એમની વર્ષોની પ્રામાણિક સેવા અને અપ્રતીમ વફાદારીના બદલારૂપે મામુલી રકમ લઈ વતનભેળા થઈ જવાની સલાહ મળે છે, અગાઉ આકર્ષક પગારવાળી નેકરીના નિમંત્ર આપનારા ઊભા પણ રહેવા દેતા નથી ! ઉપરથી ભલાળા દેખાતા ઓચ્છવલાલ દાણચોરીના ધંધામાં પાવરધા હશે અને એમણે ઠીકઠીક મના હાથ કરી લીધી હશે એવું માનતા વેપારીઓ અને જ્ઞાતિજનોને જોઈ એની પત્ની અને એને પુત્ર પણ એ વાત માનતા થઈ જાય છે. એ જોઈ એછવલાલને દુઃખ સાથે આશ્ચર્ય થાય છે. પિતાના વિશે ગેરસમજ થઈ જ છે એ દૂર થવાની નથી અને અન્ય કોઈ રીતે પ્રામાણિક માર્ગે પોતે રોટલો રળી શકવાના નથી એની ખાત્રી થતાં તેઓ દાણચોરીના ધંધામાં સામે ચાલીને ઝંપલાવે છે. એમ કરતાં એમને અને એમના એક પુત્રને આત્મા કકળે છે, પરંતુ અન્ય સૌ-બીજો પુત્ર, પત્ની, વેવાઈ, વેપારીઓ, સમાજ-સહજરૂપે એ વાતને સ્વીકારે છે. ત્યારે વિના હચકિચાટ આગળ વધતાં ઓચ્છવલાલ દાણચોરીના કળણમાં ઊંડા ઉતરતા જાય છે, પૈસા રળે છે, એની પાછળ આવતાં દૂષણોમ For Private and Personal Use Only
SR No.536110
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages192
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy