SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નરેશ વક નાન્યતરરૂપનું લાગે છે. દશે દિશાએ બિડાઈ ગઈ હોય, અને વર્તમાન થીજી ગયા હોય એમ તેને લાગે છે. એ સોગામાં એ સારવાર કરતાં કટરને “ મસીફીલીંગ ' ની ભાવનાથી મારી નાખવા વિનવે છે. એને લાગે છે કે એની પેરેલાઈઝ્ડ થયેલી જિંદગીને હવે કોઈ શ્રી જીવતી નહીં કરી શકે. પરંતુ એના થીજી ગયેલા વમાનને, એક સોગરૂપે એના જીવનમાં પ્રવેશેલી, એના જેવી જ દુઃખી મેટ્રન આશિકા દીપ હલાવી, ઓગાળે છે. એના નિષ્ક્રિય થયેલા તનમનને સ્નેહ, સમસ’વેદન અને સારવાર દ્વારા ક્રી ચેતનવંત કરી જીવનરસ લેતેા કરે છે. જેની સાથે પાછલું લગ્નજીવન સુખી ન હતું એ પત્નીએ અને જેને પુત્રવત્ સ્નેહથી ઉછેરી હતી એ પુત્રોએ એની ગંભીર પ્રકૃતિ અને દુ:ખમાં અવિશ્વાસ કરીને દુઃખ અને પરિતાપ પહેાચાડયાં હતાં. પણ એક મરેલા મશીનીસ્ટની વિધવા, જે ખુદ એગણુયાલીસમે વર્ષે જીવવું રેાકીને ઊભી હતી અને આજાર દર્દી એની સારવાર કરી પેાતાની એકલતાને વિદારતી હતી એ મેટ્રન આશિકાએ પૂરી સમજદારી અને નિષ્ઠા દાખવી તેને ફ્રી મેઢા કર્યા તેથી તેને એક વસ્તુનું ભાન થાય છે, “ જીવવું પડશે, જીવવું પડશે, જીવી નાખવું પડશે. માણુસ ન જીવવાને પ્રત્યેષ્ણ કરી શકતા નથી.” તેથી પોતાના અપગ અને અસ્તવ્યસ્ત થયેલા અસ્તિત્વને ફરી એક્વાર તેાલ બનાવવાને પ્રયત્ન એ કરી લે છે. ઘટનાએના ઘાને ખેાતરતાં ખાતરતાં અપંગનું નાન્યતર જીવન એને જીવી નાખવું પડશે એમ એ માનતા હતા પણુ આશિકાનું દૃષ્ટાંત એને આત્મભાન કરાવી ઓગણપચાસમે વર્ષે, એની ભૂતાવળ જેથી ભૂતકાળની સ્મરણુષ્ટિમાંથી બહાર કાઢી, નવું જીવન જીવવા કટિબદ્ધ કરે છે. એ કે, અરામના આત્મખેાધ એટલું ધ્યાન નથી ખેંચતા જેટલું ધ્યાન એની જીવનવેના ખેંચે છે. એનું કારણ એ છે કે અરામના જીવનના અર્થ એની જીવનધટનાઓ વડે ઊપસાવવાને એમાં જેટલેા પ્રયાસ કરવામાં આવ્યા છે તેટલે તેના મનેાગત અને આંતરલેાકનું આકલન કરી એ ઉભારવાનું બની શકયું નથી, એ આ સુંદર વિષયવસ્તુની પણ એનાથી પૂરા પ્રસન્ન ન કરી શકતી રચનાની ઊણુપ છે, . રઘુવીર ચૌધરીની ‘ તેડાગર ’ લઘુનવલના વિષયવસ્તુનું વિભાવન · પેરેલિસિસ ’ સાથે ઠીક ઠીક સામ્ય ધરાવે છે. અશાક, ‘ પેરેલિસિસ 'ના પ્રોફેસર અરામ શાહની માફક પત્ની અને પુત્રીના અકાળ મરણની ઘટનાઓથી ધા ખાઈ ગયેલા માણુસ છે. પણુ અરામ કરતાં એ જુદી એ રીતે છેકે, રૂપા સાથેનાં લગ્ન પહેલાં અને તેની સાથેના સુખી લગ્નજીવન દરમ્યાન પણુ જીવન પ્રત્યે નિવેદ અને વિસ્તૃતના ભાવ અનુભવતા રહે છે. આ મનાભાવને કારણે પત્ની રૂપાં અને બાળકો મલય અને સ્મૃતિ સાથે પૂરું સાહચર્યાં અનુભવી શકતા નથી. પરંતુ તેની આ મનેદશા પર પહેલા ધા પડે છે પત્નીના મૃત્યુથી, અને એથીય ઘેરા કુઠારાધાત થાય છે પુત્રીના મૃત્યુથી. હજુ તેા પારિવારિક જીવન પ્રત્યે પૂરા ઉન્મુખ પણ થયા ન હતા ત્યાં માથે આવી પડેલી આપત્તિ અને મલયના ઉછેરની જવાબદારીથી એ વેરાઈ જાય છે. મા અને બહેનના હૈત માટેને બાળક મલયના ઝુરા। એ ભૂલાવી શકતા નથી અને એને એની દયનીય લાચાર મનેદશામાંથી બહાર આણી શકતા નથી. પુત્ર મલય માટે એ કશું કરે એ પહેલાં એને નડતે અકસ્માત એને પૂ પણે ખળભળાવી નાખે છે. પત્નીના મૃત્યુ માટે અને પરિવારની દુર્દશા માટે પોતાની ખેપરવાઈ જ કારણરૂપ હેાવાનું મનમાં ઠગતી એ અપરાધ અનુભવી જીવનમાંથી રસ લેતા અટકી જાય છે, એની નિમ મતાને વિદારી એને જીવનમાં રસ લેતી કરવાના એની સાળી સૂરજ, આશિકા દીપ માક For Private and Personal Use Only
SR No.536110
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages192
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy