SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org * તરાતમ પલાણુ જે કાળમાં ક્ષત્રપકલા છે તે કાળમાં શૃંગકુષાણુ વગેરે તે ચાલુ જ છે. કન્યાંક એમનું મિશ્રણ છે અને ગુપ્તકલા પ્રવેશે છે. ગુપ્તકલા પાતે એ મિાજમાં છેઃ પૂર્વકાલીન અને ઉત્તરકાલીન. આ બે ધારાઓ જે તે પ્રદેશમાં પહેાંચી અનેકવિધ પ્રાદેશિક શૈલીભેદ્યમાં પરિણમે છે, જેમાંની એક પશ્ચિમકલા શૈલી છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ઈ. સ.ની છઠ્ઠો સદીથી પશ્રિમીકલા, જેને મુખ્ય આશ્રયદાતા રાજવંશ મૈત્રક હાઈ “ મૈત્રકકાલીન કલા ' એવા સામાન્ય નામથી પણ ઓળખાય છે. જો કે ઇ.સ.ની આઠમી સદીના અ`તમાં મૈત્રાના અસ્ત થયા છતાં ગુર્જર-પ્રતિહારકલા ’ એવા વિશેષ નામથી પશ્ચિમીકલા જ સતત રહેલી ગ્ણાય છે. નવમીથી તેરમી સદીનાં પાંચસે। વ આમ જુએ તેા રાજપૂત કલા ’ છે, જેમાં પ્રારંભે ઉપર નાંધ્યું તેમ ગુર્જર પ્રતિહાર ', રાષ્ટ્રકૂટ, સ્વૈન્ધવ, સેાલ કી આદિ રાજપૂતા મુખ્ય છે. ઇ.સ.ની ચૌદમીના આર્ભથી મુસ્લિમશાસન અને ગુજરાતની કલાપરપરામાં એક અણુધાર્યો વળાંક. આમ ગુજરાતની કલાપરપરાના ચાર યુગ કલ્પી શકાય છેઃ આરંભથી ઇ.સ.ની પાંચમીને અંત, છઠ્ઠીથી આઠમીના અંત સુધીમાં ત્રણ સ વર્ષ પશ્ચિમી અથવા મૈત્રકકલા, નવમીથી તેરમીનાં પાંચસે વર્ષ ‘ રાજપૂત કલા ' અને ચૌદમીથી મિશ્રકલા, ( આ માત્ર કામચલાઉ આલેખ છે.) › ઈ. સ. ૬૦, એની આગળનાં પચાસ વર્ષ અને પાછળનાં પચાસ વ ગૂચવષ્ણુભરેલાં અતિ સંકુલ એવાં સે વરસ છે. ડૉ. ઉમાકાન્ત શાહ આદિ અનેક કલાવિવેચક્ર ( અને સંભવતઃ આ લેખક પણુ) આ સમયગાળાને સ્પષ્ટ કરવા જતાં ભિન્નભિન્ન અનેક મુશ્કેલીમાં મૂકાયેલ છે 1 ડૉ. શાહે ‘સ્વાધ્યાય’ ઑકટોબર ૧૯૭૩માં આ સમયગાળાની કલાને સ્પષ્ટ કરવા ઘણી પાયાની મથામણુ કરેલી છે, પર`તુ એમના સંખ્યાબંધ તસવીરા સાથેને એ લેખ, પરસ્પર-વિરોધી વિધાન અને કાળનિણૅયથી કઠિન બની ગયેલા છે. દ્વિભુજ ગણેશને તેએ ચોથી સદીના ગણે છે, જ્યારે ઢાંકના દ્વિભુજ સ્કંદને છઠ્ઠીમાં મૂકે છે, વાસ્તવમાં શામળાજીના ગણેશ કરતાં ઢાંકના કદ વિશેષ પ્રાચીન જણાય છે ! શામળાજીના ગણેશે જે ધાતી પહેરી છે તે મથુરાના વિષ્ણુની છે, વળી ગણેશની ઊભા રહેવાની શૈલીમાં એક ‘ એકશન ’ છે, જ્યારે સ્કંદ સન્મુખ દર્શીન અને તેથી વિશેષ પ્રાચીન છે. કહેવાનું એટલુંજ કે આ દિશામાં હજુ વધું પરીક્ષણની આવશ્યક્તા છે. શામળાજીના ઢાંકની બ્રહ્મમૂર્તિની ચર્ચા કરીએ તેની પહેલાં ઢાંકની કઈ કઈ ભૂતિ એ કયાં કયાં પ્રસિદ્ધ થઈ છે તેનું સ્હેજ વિd ગાવલેાકન કરી લઈએ ઃ ૧૯૪૧માં ડૉ. હસમુખ સાંકળિયાએ સૂર્યસૂર્યાણી, પાર્શ્વનાથ અંબિકા અને તીથ કરાની પેનલ ‘આકલાજી આક ગુજરાત ’માં/૧૯૪૫માં સારાભાઈ નવાએ પાર્શ્વનાથ (ઊભી પ્રતિમા) · જૈન તીર્થાઝ 'માં/૧૯૬૩માં એમ. આર. મજમુદારે વિષ્ણુ ' મુનશી ફેલીસીટેશન વોલ્યુમમાં/૧૯૬૮માં ડૉ. ગૌદાનીએ ભિન્નભિન્ન છાપાંમાં, જો કે પેાતાના ગ્રંથ ‘ભવ્ય ભૂતકાળ'માં એક પણ મૂર્તિ મૂકી નહિ/૧૯૭૧માં મણિભાઇ વેરા, નરોતમ પલાણુ દ્વારા કુબેર, યક્ષ, યક્ષી, ગણેશ, ઉત્તાનપાદ- અદિતિ (મુજેશ્વરી), ઉત્તાનપાદ અદિતિ ( ફાડેશ્વરી), ફાડેશ્વરના ત્રણ ખડા, બલરામ, પાર્શ્વનાથ ( બેઠી પ્રતિમા), સૂર્ય' (ઢાંકની કૂઈ) For Private and Personal Use Only
SR No.536109
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages139
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy